SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ - મારું જીવનવૃત્ત મહારાજજીને જ થયો. એમ બને એ સ્વાભાવિક પણ હતું. તેઓ જ પાઠશાળા ઉત્પાદક અને કર્તાધર્તા. ચાલ્યા જનાર સાધુઓ પણ તેમને લીધે દેશ છોડી કાશીમાં આવેલા. જૈન સમાજમાં નવયુગના પ્રવર્તક તરીકે તેમનું જ નામ ચોમેર જાણીતું થયેલું. મુંબઈ-કલકત્તા વગેરેના અનેક ધનાઢ્યો તેમની જ તરફ આશાની મીટ માંડી જોઈ રહ્યા હતા. હવે પ્રશ્ન એ ઊઠ્યો કે સાધુઓ ચાલ્યા ગયા તેની જાણે જાણ કોઈને છે કે નહિ? જાણ હોય તો કોને અને કોણે તેમને ટિકિટ અપાવી, કોણે ગાડીમાં બેસાડ્યા? અને તેઓ ક્યાં ગયા ? ઈત્યાદિ. ધીરે ધીરે ઘટસ્ફોટ થયો કે અમુક વિદ્યાર્થીઓ એ બાબત જાણે છે. તેમણે તે કબૂલ કર્યું અને મદદ કરવાના મુદ્દાનું પ્રબળ સમર્થન પણ કર્યું. આ વખતે પાઠશાળામાં બે ચોખ્ખા પક્ષો પડી ગયા. એક મહારાજજીની બાજુનો બચાવ ઇચ્છતો અને બીજો તેની વિરુદ્ધનો. મારી સ્થિતિ સાવ જુદી હતી, પહેલાં તો એ કે હું સાધુઓ ચાલ્યા ગયાની વાત બહાર આવી ત્યાં લગી કશું જાણતો જ નહિ અને આ કે તે પક્ષ સાથે મારો કશો લગવાડ હતો નહિ. મારું તટસ્થપણું મહારાજજીના પક્ષવાળાને બીજા પક્ષ સાથે મારા સંબંધની શંકા કરાવતું. મને મારા અધ્યયન-ચિંતન અને મનન સિવાય બીજી એકેય વાતમાં રસ ન હતો, પરંતુ ત્યાં બનતા બનાવોથી સાવ અલિપ્ત રહેવું અશકય હતું. એક દિવસે કંટાળો આવવાથી એવો વિચાર આવ્યો કે આ બધી વસ્તુ સીધેસીધી પાઠશાળાના પોષક શેઠ વરચંદ દીપચંદને મુંબઈ જઈ કહી દેવી. આ વિચારમાં સહભાગી હતા મારી જ કોટડીમાં રહેતા શાન્તિલાલ. રાતે વગર પૂછત્યે નીકળી જવાની કરેલી યોજના મારા જ વિચારથી પડી ભાંગી. મને છેવટે એમ થયું કે આ કચરો સાફ કરવા જતાં અધ્યયનકાળ નષ્ટ થશે અને પરિણામ કાંઈ નહિ આવે. હું મારી પ્રવૃત્તિમાં જ પરોવાઈ ગયો, પણ પાઠશાળામાં થયેલ ભૂકંપના ધડાકા ગુજરાતમાં અને સર્વત્ર સંભળાયા. વસ્તુસ્થિતિની તપાસ કરવા ભાવનગરથી શેઠ કુંવરજી આણંદજી વગેરે આવ્યા. આ વખતે જ તેમની સાથે મારો પ્રથમ પરિચય થયો, જે તેમના છેલ્લા ભાગ સુધી ઉત્તરોત્તર વધતો અને વિકસતો જ ગયો. તપાસ સમિતિએ વાણિયાશાહીથી બધું ચઢું ઠાર્યું ને કાશી પાઠશાળા જેવી સર્વોપયોગી સિદ્ધ થઈ શકે એવી સંસ્થા પડી ન ભાંગે એવા શુભાશયથી હિતૈષીઓએ સન્મિત્ર કપૂરવિજયજીને ગુજરાતથી કાશી આવવા પ્રેર્યા. સન્મિત્ર મહારાજજીના નાના ગુરુભાઈ. તેઓ ભાવનગર કૉલેજમાં ભણેલ એટલે શિક્ષણના નવયુગથી કાંઈક પરિચિત. સ્વભાવે તદ્દન સરળ અને ગુણગ્રાહી. તેમને પણ એમ થયું કે જો મારા જવાથી સંસ્થા ટકતી હોય તો બીજાઓ ગમે તે કહે છતાં જવું. તેઓ ૧૯૬ રમાં પોતાના ત્રણ શિષ્યો સહિત કાશી આવ્યા. મહારાજજીના અને પાઠશાળાના હર્ષનો પાર ન રહ્યો, પરંતુ એ હર્ષ લાંબો સમય ટક્યો નહિ. ૧૯૬૨ના જ ચોમાસામાં મહારાજજી અને સન્મિત્ર વચ્ચેનો મધુર સંબંધ પૂરો થયો. પાઠશાળા ઉપર નવી આફતનાં વાદળ ઘેરાયાં. મહારાજજીના મંડળ સામે સમસ્યા એ હતી કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy