SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ - મારું જીવનવૃત્ત સિદ્ધાંતો વિષે વાતચીત કરી રહ્યા હતા. તેને લીધે બાધા તોડી ન્યાય શીખવાનો પ્રારંભ કર્યો. અને વ્યાકરણ પૂર્ણ થયું ત્યાં સુધીમાં હું ન્યાયને લગતા પ્રાથમિક કેટલાક ગ્રન્થો ભણી પણ ગયો, જેમાં અનેક ટીકાઓ સહિત તર્કસંગ્રહ, મુક્તાવલી અને પચવાદના કેટલાક ગ્રન્થોનો સમાવેશ થાય છે. ન્યાયમાં મને બહુ રસ પડ્યો. હું સમજતો પણ ઠીક - ઠીક અને મનન તેથીયે વધારે કરતો. એટલે મારા પહેલેથી ભણતા કેટલાયને હું ન્યાયશાસ્ત્ર સમજાવતો. શાસ્ત્રીજી પણ મારા ઉપર ઠીક-ઠીક પ્રસન્ન રહેતા. ન્યાયનો પાઠ શીખવો ત્યારે મને ઘણી વાર એમ થતું કે હું આ વિષય ક્યાંક શીખેલો છું. આ પૂર્વજન્મના સંસ્કાર હોય કે વિષયની સમજણ હોય તે કહેવું કઠણ છે. જ્યારે વંશપરંપરાથી આવો સંસ્કાર પ્રાપ્ત થયાનું પ્રમાણ શોધી કાઢવું તે તો મારા માટે એથીય વધારે અઘરું છે. વ્યાકરણના વાડા બહાર સંચરવાની મુક્તતાએ કાવ્ય તરફ પણ પ્રેર્યો હતો. રઘુવંશ, કિરાત, માઘ અને નૈષધ એ મહાકાવ્યોનો આસ્વાદ વ્યાકરણ તેમ જ ન્યાયના થાકને હળવો બનાવતો. પ્રાકૃત કાવ્યો તો જાતે જ વાંચ્યાં. હવે અલંકારશાસ્ત્ર શીખવાની ભૂમિકા તૈયાર થઈ હતી અને તેની ભૂખ પણ ખૂબ જાગેલી એટલે વિ. સં. ૧૯૬૪ના પ્રારંભમાં સાહિત્યદર્પણ શીખવું શરૂ કર્યું. એ વિષયમાં સહાધ્યાયી હતા મારા મિત્ર વ્રજલાલજી. તે હતા તો બાહ્મણ, પણ રહેતા અને ભણતા અમારી પાઠશાળામાં. કાવ્ય અને સાહિત્યના સહાધ્યાયને અમને બંનેને વધારે નજીક આપ્યાં. તે હતા તો વ્યુપ્તન, પણ મારાથી ઉંમરે નાના અને એક નાની ઉંમરમાં પોતાના વતન વરાડમાંથી કાશી ભણવા આવી ગયેલા તેમ જ આવતાંવેંત જ કાશીના વેદિયા વિદ્યાર્થીઓ વચ્ચે રહેલા એટલે લૌકિક અનુભવની દૃષ્ટિએ અણઘડ જેવા ખરા. અમે બંને શાસ્ત્રીજી પાસે સાહિત્યદર્પણ શીખીએ. એમાં નાયક-નાયિકાની અનેક વ્યંગ્યપૂર્ણ ઉક્તિઓ આવે. શાસ્ત્રીજી ટૂંકમાં પતાવે. હું તો સમજી જાઉં, પણ વ્રજલાલજીનું સમાધાન થાય નહિ. એ શરમથી શાસ્ત્રીજીને પૂછે નહિ અને ક્યારેક પૂછે તો શાસ્ત્રીજી કહે કે “જાઓ, શાદી કર લો. પીછે પૂછના.” આમ કહી શાસ્ત્રીજી એક કાંકરે બે પંખીઓ ઉડાડતા. છોકરાંઓ સામે શૃંગારનું રહસ્ય ખુલ્લું કરવાની બલા ટાળતા અને સાધુઓના પરિચયને લીધે છોકરમતમાં જ આ બ્રાહ્મણ સાધુઓના હાથે મુંડાઈ જશે અને જિંદગી બગાડશે એવી પોતાની શંકાનું સૂચન લગ્નનો માર્ગ બતાવીને કરતા. ગમે તેમ હોય, પણ મને તો સાહિત્યદર્પણ દ્વારા લૌકિક અનુભવનો શાસ્ત્રીય આસ્વાદ મળતો અને પાછળથી હું વ્રજલાલજીને સમજાવી પણ દેતો. શરૂઆતનાં બે વર્ષમાં શીખવા સિવાયનો સમય પુનરાવર્તન અને મનનમાં જતો તો પાછલાં બે વર્ષમાં શીખવા સિવાયનો સમય મનન અને અધ્યાપનમાં જતો. તેથી શ્રીહર્ષે નૈષધમાં કહ્યા પ્રમાણે ત્રધાનપ્રવીરઃ એ ચાર ભૂમિકામાંથી પસાર થવાની તક વિદ્યાને અનાયાસે મળી. ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે એ શિખામણના ઉત્તરાર્ધને અત્યાર લગી જે હું બરાબર અનુસર્યો હતો તે કંઈક મારા સંજોગોનું પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy