SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કાશી પાઠશાળા • ૬ ૧ કરતો. જનાર્દન શાસ્ત્રીના ઉચ્ચારો બહુ ચોખા એટલે મને ફાવતું. શીખવામાં એક કલાક અને શીખેલું કંઠસ્થ કરી લેવામાં એક કલાક એમ માત્ર બે કલાક તો ગોઠવાયા, પણ મારી ઇચ્છા અને શક્તિ તેથી વધારે ખોરાક માંગતી. હું મારા પોતાના પૈસાથી પણ વધારે વખત માટે યોગ્ય વાચકની સગવડ કરી શકું તેમ હતું અને ત્યાં તો બહુ ખર્ચ પડે તેમ હતું પણ નહિ છતાં મેં તેવી ગોઠવણ કરવા મહારાજજીને સંકોચવશ ન કહ્યું તેમાં મેં પાછળથી મારી જ ભૂલ જોઈ. વધારે પ્રમાણમાં નવું શીખવાનો અને તેને યાદ કરવાનો જોઈતો પ્રબંધ ન થયો એટલે તે વખતે સમગ્ર ઈચ્છા અને શક્તિ ચિંતન તરફ વળ્યાં. જેટલું શિખાતું તે બધું કંઠસ્થ તો થતું જ. જાણે બધું મુખસ્થ રાખવાનો પ્રાચીન શ્રુતિને શ્રુતયુગ જ અવતર્યો હતો. એટલે કંઠસ્થ પાઠનું પ્રમાણ રોજ વધ્યે જાય. તે ન ભુલાય એ માટે એનું પુનરાવર્તન સતત ચાલતું. તે ત્યાં લગી કે આહાર, વિહાર અને બિહારમાં મન પુનરાવર્તનમાં જ રોકાયેલું રહેતું. મારું પુનરાવર્તન વેદપાઠી બ્રાહ્મણની પેઠે શબ્દપાઠ પૂરતું ન હતું. અર્થચિંતન ખૂબ કરતો એટલે શીખેલ પાઠમાંથી અનેક પ્રશ્નો ઉદ્દભવતા, તેનું સમાધાન અધ્યાપક તિવારીજી પાસેથી મળી જતું. વાચનનું પ્રમાણ ઓછું અને ચિંતનનું પ્રમાણ વધારે તેથી ઊંડાણમાં ઊતરાવાનો લાભ થયો તો જરૂરી બીજી વસ્તુઓ વાંચવાનું રહી જવાથી નુકસાન પણ થયું. આ રીતે ૧૯૬૦માં શરૂ કરેલ બૃહદ્રવૃત્તિ ૧૯૬૩માં લગભગ ત્રણ વર્ષે પૂરી થઈ. વખત તો કાંઈક વધારે ગયો, પણ એના શાબ્દિક અને આર્થિક સંસ્કારો એટલાં ઊંડા પડ્યા કે આજે ચાલીશ વર્ષ પછી પણ એનાં દરેક સૂત્ર, દરેક ઉદાહરણ અને દરેક ચર્ચિત વિષય લગભગ અધ્યાય અને પાદવાર થોડે પ્રયત્ન સ્મૃતિપટ ઉપર તાજાં થાય છે. સાત અધ્યાય અને અઠાવીસ પાદમાં પૂર્ણ થતા સંસ્કૃત વ્યાકરણને સમાપ્ત કર્યા બાદ આઠમા અધ્યાય તરીકે જાણીતું પ્રાકૃત વ્યાકરણ આપમેળે જ શીખી લીધું. સંસ્કૃતમાં પ્રવાહબદ્ધ બોલવાની દેશમાં સેવેલી ઈચ્છા તો અમુક અંશે સિદ્ધ થઈ જ હતી, પણ હવે પ્રાકૃતમાંય બોલી શકવાનું અભિમાન પોષાયું. ભારતીય ઋષિઓ અને વિદ્વાનોની હજારો વર્ષ થયાં એવી માન્યતા બંધાયેલી છે કે વ્યાકરણનું સમ્યફ અને પૂર્ણ જ્ઞાન બાકીનાં બધાં શાસ્ત્રોમાં યથાર્થ પ્રવેશ કરવાની અસલી ચાવી છે. અનુભવે એ માન્યતાના ખરાપણા વિષે મને લેશ પણ સંદેહ રહ્યો નહિ. ન્યાય, કાવ્ય ને અલંકારનો અભ્યાસ અમીવિજયજીએ વચ્ચે બીજું ન શીખવાની બાધા તો આપી હતી, પણ તે વધારે વખત ટકી નહિ. અને તે ઠીક જ થયું. અંબાદત્ત શાસ્ત્રી તક મળતાં એકલો હોઉં ત્યારે મને કહે કે તમે મારી પાસે ન્યાય શીખો અને રસ તો ચાખો. તમારી બુદ્ધિ ન્યાયયોગ્ય છે, ઈત્યાદિ, શાસ્ત્રીજી સાધુઓને પરિશ્રમપૂર્વક ભણાવતા, પણ તેમને પૂરતો સંતોષ થતો નહિ એટલે કોઈ યોગ્ય શિષ્યની શોધ કરતા. બીજાને ભણાવતાં તેમને અવારનવાર સાંભળી હું પણ તેમના તરફ આકર્ષાયેલો. ખાસ આકર્ષણ તો તે દિવસે વધ્યું કે જ્યારે સંસ્કૃતમાં શુદ્ધ પ્રવાહબદ્ધ બોલતા એક અંગ્રેજ પાદરી સાથે શાસ્ત્રીજી ભારતીય દાર્શનિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy