SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ • મારું જીવનવૃત્ત મળી જ ગયો. ધર્મવિજયજી મહારાજ મુખ્ય ખરા, પણ શાસન ચાલે ઈન્દ્રવિજયજીનું. તેઓ ધાર્યા પ્રમાણે મહારાજજી પાસે કરાવી લે. આથી ઘણા વિદ્યાર્થીઓને સહેવું પણ પડતું. પાઠશાળાના નવા મકાનમાં મહારાજજીએ ગુજરાતમાંથી પ્રસ્થાન કર્યું તે પહેલાં પાઠશાળા માટે માંડલ આદિ સ્થાનોમાં અમુક ફંડ થયેલું. તેમના કાશી આવ્યા પછી તે ફંડમાં શ્રી વેણીચંદ સૂરચંદે કાંઈક વધારો કરી આપ્યો. પાઠશાળાના ખર્ચ વિષે કશી જ અગવડ હતી નહિ. મહરાજજીની ઈચ્છા એ જ બજેટનું પ્રમાણ અને મહારાજજી પણ એવા હિંમતબાજ અને કુશળ કે ગમે ત્યાંથી પૈસા મેળવી જ લે. હવે તેમનો વિચાર પાઠશાળા માટે સ્વતંત્ર મકાન ખરીદવાનો થયો. દરમિયાન એક કોઠી મળી આવી, જે અંગ્રેજી કોઠીના નામથી પ્રસિદ્ધ હતી અને જ્યાં મિસિસ એની બિસેન્ટે બનારસમાં સર્વપ્રથમ શિક્ષણ આપવું શરૂ કરેલું. કે. સી. આઈ. વીરચંદ દીપચંદ અને શેઠ ગોકુળભાઈ મૂળચંદ બંને મહારાજજીની મદદે આવ્યા અને તેમણે પાઠશાળા માટે પોતાને નામે મકાન ખરીદી લીધું. અને એ જ સાલના ચોમાસામાં પાઠશાળા નવા મકાનમાં આવી. મકાન પાંચ માળનું અતિ વિશાળ અને ભવ્ય એટલે એમાં અનેક નવીનવી પ્રવૃત્તિઓ શરૂ થઈ, પણ મારો એકાંગી રસ અને પ્રયત્ન તો મારા પ્રારંભેલ અધ્યયનમાં જ હતો. ઇચ્છું તેટલી ગતિએ અને તેટલા સંતોષથી નહિ, પણ મારું ગાડું ચાલ્યું જ જતું. હું ત્રીજે માળે એક રૂમમાં રહેતો, જેની જમણી બાજુના રૂમમાં મોહનવિજયજી અને ડાબી બાજુના રૂમમાં અમીવિજયજી બીજા એક કીર્તિવિજયજી સાધુ સાથે રહેતા. મારા રૂમમાં બે સાથીઓ હતા, જેમાંના એક શાન્તિલાલ કસ્તુર, જે અત્યારે અમદાવાદમાં ક્યાંક ભણાવે છે. આ સાથીઓથી મને ઘણી રાહત મળતી અને તેઓ મને માનતા પણ બહુ, પરંતુ કાશીમાં આવ્યા પછી મારી નજીકની મિત્રતા તો બીજા એક વિદ્યાર્થી સાથે બંધાઈ. એ મૂળે બગદાણાના અને એમનું નામ પોપટલાલ. તે મારા પહેલાં આવેલા અને કાવ્ય વગેરે ભણતા. તે હતા બહુ સ્વમાની અને સ્વતંત્ર એટલે તેમને પાઠશાળાનું મનસ્વી તેમજ સાધુશાહી તંત્ર પસંદ ન આવતું. ઘણી વાર તેઓ પાછા ચાલ્યા જવાનું વિચારતા અને માત્ર મને જ એ વાત કરતા. એક વાર કહે કે સુખલાલભાઈ, આ બધી માથાફોડ શાને ! આ કરતાં યોગાભ્યાસ શો ખોટો ? હું પણ કાંઈક એવા જ કારણથી કંટાળેલો એટલે મેં તેમને બાળકૃષ્ણજીવાળા જૂનાગઢ જવાના સંકલ્પની વાત કરી. હું જાઉં તો તે તદ્દન તૈયાર છે એમ પોપટલાલે મને કહ્યું, હું પણ કાંઈક પીગળ્યો, પરંતુ વિશેષ વિચારને અંતે મેં તેમને કહી દીધું કે હું તો જૂનાગઢ રહી શકું નહિ. છેવટે પોપટલાલ દેશમાં ચાલ્યા ગયા અને મારો યોગ તો ચાલતો હતો તે પ્રમાણે માત્ર વ્યાકરણ વિષે જ ચાલુ રહ્યો. હૈમ વ્યાકરણના અભ્યાસની સમાપ્તિ સાત રૂપિયામાં પાંચ કલાક લગી ભણાવવા આવતા એક જનાર્દન નામના દક્ષિણી પંડિત પાસે મને એક કલાક વધારે મળ્યો, જેનો ઉપયોગ હું માત્ર શીખેલું યાદ કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy