SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કાશી પાઠશાળા • ૫૯ અધ્યાપકો સવારે આવતા અને ધનપતસિંહજીની ધર્મશાળામાં અધ્યાપન ચાલતું. મુખ્ય અધ્યાપક અંબાદત શાસ્ત્રી દાક્ષિણાત્ય હતા અને ન્યાયદર્શન તેમજ કાવ્ય-સાહિત્ય ભણાવતા. એમની પાસે મોટે ભાગે સાધુવર્ગ જ ભણતો, જેમાં ધર્મવિજયસૂરીશ્વરનો પણ સમાવેશ થાય છે. બીજા અધ્યાપક હરનારાયણ તિવારી. તે વૈયાકરણ હતા. એમ કહી શકાય કે તે વખતે અધ્યાપકોની આ પસંદગી સારામાં સારી હતી, કારણ કે અંબાદત્ત શાસ્ત્રીને પોતાના ગુરુ સુપ્રસિદ્ધ નૈયાયિક સીતારામ શાસ્ત્રીનું પીઠબળ હતું તો તિવારીજીને પોતાના ગુરુ ભારતવિકૃત શિવકુમાર શાસ્ત્રીનું પીઠબળ હતું. ઉપરાંત બંને પોતપોતાના વિષયમાં પારગામી, અને ભણાવવામાં ઉત્સાહી પણ હતા. એમ યાદ છે કે તે વખતે બેમાંથી એકેયનો માસિક પગાર પંદરથી વધારે ન જ હતો. અને આટલો પગાર પણ અધ્યાપકો તેમજ જૈન પાઠશાળા માટે ભૂષણરૂપ લેખાતો. મારે તિવારીજી પાસે ભણવું એમ ઠર્યું કારણ કે એક તો તેઓ અતિવ્યુત્પન્ન મહા વૈયાકરણ અને બીજું તેઓ મારા આવ્યા પહેલાંથી જ હૈમ વ્યાકરણ વિદ્યાર્થીઓને ભણાવવા લાગેલા એટલે એના સંકેતોથી પણ પરિચિત થયેલા. લાંબા અનુભવ પછી અત્યારે પણ એમ કહી શકું છું કે તિવારીજીને ગુરુ બનાવવાનો યોગ મળ્યો એ મારા જીવનમાંના અનેક સુયોગો પૈકી એક સુયોગ હતો. ( વિશાળ પ્રમાણથી તેમ જ લખેલ પાનાને આધારે ભણાવાના ત્રાસથી કંટાળી રહે હું સિદ્ધહેમ વ્યાકરણ છોડી દઉં અને કૌમુદી તરફ યા ન્યાયાદિ વિષયની તરફ વળું એવા ભયથી અમીવિજયજીએ મને એક વાર હૈમ વ્યાકરણ વિષે ઉત્સાહિત કરી પહેલેથી જ વાડામાં પૂરવા સાધુ-સ્વભાવ પ્રમાણે બાધા આપી કે, જ્યાં લગી બૃહદ્રવૃત્તિ પૂરી ન થાય ત્યાં લગી બીજું કશું જ ભણવું નહિ.” એમણે બાધા તો આપી, પણ મારી ભણવાની અમુક અગવડ વિષેનો ન તો વિચાર કર્યો કે ન મને પૂછ્યું. મુખ્ય કહી શકાય તેમ જ મને નિરુત્સાહ કરી મૂકે એવી અગવડો આ હતી – ૧. પોથી લખેલી અને તે પણ કાંઈક અશુદ્ધ અને અક્ષરો પણ જૈન વળાંકના છતાં સુયોગ્ય વાચકની અપેક્ષિત ગોઠવણ નહિ. ૨. ઝીલી શકું તેટલું શીખવા માટે અધ્યાપક પાસે પૂરતો સમય નહિ. ૩. ઘેરથી વાંચી તૈયાર થઈ આવ્યા વિના જ શીખવવાની પંડિતોની પુરાણ પ્રથાને લીધે થતી સમય તેમ જ શક્તિની બરબાદી. આ મુશ્કેલીઓ છતાં મારું ગાડું તો ચાલ્યું જ. શ્રી ઈન્દ્રવિજયજી સ્વતંત્રપણે કંઈ ન ભણે, પણ કાં તો બીજા ભણનાર સાથે મનસ્વીપણે જોડાય અને કાં તો ભણનારને મદદ કરે. હું નવો અને મેં પ્રારંભ પણ મોડો કરેલો એટલે તેઓ ભણવામાં મારી સાથે જોડાયા. ખરી રીતે તેઓ ભણતા નહિ, પણ મને વાંચી આપતા અને ભણવામાં મારો ઉત્સાહ ટકાવતા, પણ એમનો મિજાજ તેજ અને ક્ષણિક. કોની સાથે ક્યારે અને ક્ય નિમિત્તે એ બગાડી બેસે એ કહેવું જ કઠણ, પણ મારો અને એમનો તો કાર્યસાધક મેળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy