SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વૃંદાવન અને મથુરાના અનુભવો – ૧૫૫ અનેક જાતના ઉદ્યોગોનું શિક્ષણ આપવાની સગવડ હતી ને તેથી અનેક વિદ્યાર્થીઓ જીવનયાત્રા ચલાવવાની શક્તિ પ્રાપ્ત કરતા એટલે એનો ઉદ્દેશ ને એની પ્રવૃત્તિ અમને બહુ ગમી. પં. શ્રી સુદર્શનાચાર્યનો પરિચય અને શ્રીરંગમંદિરનો ઇતિહાસ જે વયોવૃદ્ધ સુદર્શનાચાર્યને હું વિ. સં. ૧૯૬૪માં મળેલો તેમની પાસે ઘણાં વર્ષ પછી જવાની ઉત્કંઠા પ્રબળ જાગી હતી. અમે એમને ભેટ્યા. એટલી જ સરલતા ને સ્નેહવૃત્તિથી તેમણે અમારો સત્કાર કર્યો. આ વખતે હું ભણવાના ઉદેશથી નહિ, પણ સત્સંગતિની દૃષ્ટિથી ગયો હતો. તેમણે મને કહ્યું કે, વિશિષ્ટાદ્વૈત એ અનેકાન્તવાદનું જ એક સ્વરૂપ છે એ તમે જાણો છો ? એમના આ કથન ઉપર આગળ જતાં મેં તાત્ત્વિક અને ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કર્યો તો એમાં પુષ્કળ સત્ય દેખાયું છે. ગુજરાતમાં જેમ ચા પીશો ? એમ પુછાય છે, તે રીતે યુ. પી. માં જળપાન કરશો ? એમ પુછાય છે. એક વાર કાશીમાં એક મંદિરના પૂજારીએ મને પૂછેલું કે જળપાન કરશો ? મેં તરસ ન હોવાથી ના તો પાડી, પણ જ્યારે મારા સહચારી મિત્રે એનો ભાવાર્થ મને કહ્યો ત્યારે મેં જળપાનને વધાવી લીધું. ત્યારથી જ મને જળપાનની પૂર્વભૂમિકા તો મીઠાઈ હોય છે એમ ખબર હતી એટલે સુદર્શનાચાર્યના જળપાનના પ્રશ્નને અમે વધાવી જ લીધો. બેસનની લાડુડીઓએ વધારે ચપળતા પ્રેરી ને અમે એમના શ્રીરંગજીના મંદિર વિષે તેમ જ તેની વ્યવસ્થા વિષે વધારે જાણવા ઇચ્છા દર્શાવી. સુદર્શનાચાર્યજીએ મંદિર-મૂર્તિ આદિ બધું જ બતાવવાની ગોઠવણ કરી. અમને માલૂમ પડ્યું કે આ શ્રીરંગનું મંદિર સુવર્ણમંદિર તરીકે જાણીતું છે. એમાં એક સ્તંભ ઊભો છે, જેના ઉપર સુવર્ણની બહુમૂલી ખોળ છે. એ મંદિર એક જૈન ગૃહસ્થે બંધાવેલું છે એ જાણીને તો વધારે વિસ્મય થયો. તેથીય વધારે વિસ્મય તો એ પાછળ કરેલી વ્યવસ્થા જાણીને થયો. લક્ષ્મીચંદ નામના અતિ ધનાઢ્ય ગૃહસ્થે મંદિર બંધાવી તેના નિભાવ ખાતર ઘણાં ગામો દાનમાં આપેલાં છે. એની આવક બહુ મોટી છે. એમાંથી બધો ખર્ચ ચાલે છે. પ્રતિદિન અમુક પ્રમાણમાં ભોગની વસ્તુઓ તૈયાર કરવા માટે ઘી જોઈએ. ઘીની કીમત મોંઘવારીના પ્રમાણમાં બદલાતી રહે તો બાંધેલ ખર્ચમાં અવ્યવસ્થા ઊભી થાય તેથી તે શેઠે ઘીનું પ્રમાણ નક્કી ન કરતાં રૂપિયાનું જ પ્રમાણ પહેલેથી નક્કી કરી દીધું છે કે ભાવ વધે કે ઘટે, પણ રોજ ઘી માટે તો અમુક જ રૂપિયા ખરચવા. તેટલી રકમમાંથી ગમે તેટલા ઘીમાં ભોગ-બત્તી વગેરે બધી વિધિઓ પતાવવી. મંદિરની આવક એટલી બધી મોટી છે કે તેમાંથી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ નભે છે ને વિદ્યાર્થીઓ પણ અધ્યયન કરવા પામે છે. એ સખી જૈન ગૃહસ્થે વૈષ્ણવ મંદિરની પેઠે જૈને મંદિર ને જૈન ધર્મશાળા પણ બંધાવેલ છે. ને તે મથુરામાં ચૌરંગીને નામે શહેર બહાર જાણીતી છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy