SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પૂનાના અનુભવો. ૧૪૫ શ્રદ્ધાથી ભણે. પંડિતને એ શાસ્ત્રો ભણાવતાં મનમાં કેટલાય પ્રશ્નો ઊઠે, પણ જો તે ભણનાર અતિ શ્રદ્ધાળુ જૈનો સમક્ષ રજૂ કરે તો જૈનો પંડિત વિષે એમ ધારે કે આ તો બ્રાહ્મણ હોઈ છેવટે જૈનગ્રન્થોમાં દોષ જ જુએ છે. પોતાના નભાવના૨ જૈન શિષ્યોનું મન દૂભવવું પંડિતને ન પાલવે તેથી તે પોતાના બધા જ પ્રશ્નો મનમાં શમાવી લે; ને શિષ્ય જૈનોને રુચે તેવું જ કહે. આવો ક્રમ લાંબા વખત સુધી ચાલ્યો હશે એ વાત હું પંડિતના પ્રશ્નો ઉ૫૨થી તરત કળી ગયો. શરૂઆતમાં એ બ્રાહ્મણ પંડિત મને જૈન સમજી કેટલુંક પૂછતાં અચકાયા કે રખે સુખલાલજી પણ જૈન હોઈ મને બ્રાહ્મણને વિરોધી તો નહિ ગણે ? પણ એમણે જ્યારે જોયું કે હું તો તેમના અંતરમાંથી પરાણે પ્રશ્નો કઢાવું છું ત્યારે લાંબા વખતથી ગૂંગળાતું મન ખુલ્લું કર્યું. તેઓ પ્રશ્ન કરે અને હું જૈનદર્શન તેમજ અન્ય દર્શનોની દૃષ્ટિએ મને સૂઝે તેનો જવાબ આપું. ને ઐતિહાસિક તેમજ તાત્ત્વિક દૃષ્ટિએ ખુલાસો કરું ત્યારે તેમનું કાંઈક સમાધાન થતું જોયું. મારા જવાબમાં ઘણી વાર એવી વાત પણ આવતી કે જેમાં રૂઢિચુસ્ત જૈનોને આઘાત પણ થાય. આ ચર્ચા દરમિયાન પંડિત સાથે નેમચંદભાઈ પણ બેસતા. આખી જિંદગી સુધી અતિ સાંપ્રદાયિક રૂઢ દૃષ્ટિએ શાસ્ત્ર ભણવા અને સમજવાના સંસ્કાર કેળવેલ નેમચંદને ઘણી વાર મારા જવાબથી નવાઈ ઊપજતી. તેમને શરૂઆતમાં એમ લાગતું હશે કે સુખલાલજી શ્વેતાંબર હોઈ દિગંબર ગ્રન્થો વિષે કાંઈક ઘસાતું તો નહિ બોલતા હોય ? તે પોતે મારી દૃષ્ટિને બરાબર ન્યાય આપવા જેટલી યોગ્યતા ધરાવતા નહિ એટલે તેમને ઘણી વા૨ મારા જવાબોથી મૂંઝવણ ઊભી થતી, પણ તેમના ચિરપરિચિત ને અતિ વિશ્વાસી એ વૃદ્ઘ પંડિત જ્યારે કહે કે આ જવાબ જ મને ખરો લાગે છે ત્યારે નેમચંદની શ્રદ્ધા કાંઈક અંશે મારા તરફ ઢળી, નેમચંદ પાકા વેપારી અને રૂઢ દિગંબર એટલે ભીરુ મનના તેમજ સ્થૂળ સમજણવાળા. કુળશ્રદ્ધાએ જ તેમને શાસ્ત્રાભ્યાસ તરફ વાળેલા છે એમ મને લાગ્યું, પણ પંડિત વધારે સમજણા તેમજ ઉત્કટ જિજ્ઞાસુ, તેમને ઘણી વાર મારી પાસેથી ચાલુ બ્રાહ્મણ પરંપરા વિરુદ્ધ પણ સાંભળવાનું મળતું. શરૂઆતમાં તો તેથી તેમને કાંઈક આઘાત થતો હશે, પણ ધીરે ધીરે એ સમજી ગયા કે હું તેમને કોઈ સંપ્રદાયને વશ થઈ આમ કે તેમ નથી કહેતો. તેથી તેઓ વધારે આકર્ષાયા ને મને પૂછ્યું કે જો અમે આગ્રા આવીએ તો તમે વખત આપશો ? મેં બહુ ખુશીથી હા પાડી. હું તો આગ્રા પહેલો પહોંચી ગયો, પણ નેમચંદ એ પંડિત સાથે એકાદ મહિના બાદ આગ્રા પહોંચ્યા. નેમચંદ જિજ્ઞાસુ હતા તે કરતાં ભીરુ વધારે. તેથી હું રહેતો તે મકાનમાં રહે ને મારી પાસે ભણતાં એમને મનમાં એમ થયા કરતું કે આ વાત દિગંબર પંડિતો ન જાણે તો સારું. પંડિત પોતે સ્વભાવે સત્યજિજ્ઞાસુ તેથી તેમને એટલો બધો ડર તો નહિ છતાં સોલાપુરમાં ગયા પછી દિગંબર પંડિતો દ્વારા વગોવણી થવાનો ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy