SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ - મારું જીવનવૃત્ત પૂનાના કેટલાક વિદ્યાર્થીઓ પૂનામાં હું જે ધર્મ અને તત્ત્વજ્ઞાનનો વર્ગ ચલાવતો તેમાં દરેક શ્રોતા કે વિદ્યાર્થીની ઇચ્છાનુસાર પ્રશ્નો કરવાની છૂટ હતી. આને લીધે વર્ગમાં ઘણી વાર બહુ આકર્ષક બૌદ્ધિક વાતાવરણ જામતું. ને હું વિદ્યાર્થીઓ સાથે વધારે તાદાભ્ય કેળવી શકતો. કેટલાક વિદ્યાર્થીઓ તો એટલા બધા મમતાળુ બનેલા કે ત્યારપછી આજલગી તેઓ જ્યારે અને જ્યાં મળે છે ત્યારે અને ત્યાં એ ભૂતકાલીન વાતાવરણને યાદ કરતાં અમે થાકતા જ નથી. ઇન્જિનિયરિંગ કોલેજમાં ભણતા લીંબડીવાળા સૌભાગ્યચંદ, ખેતીવાડી કૉલેજમાં ભણતા અંબાલાલ ત્રિભુવન, તલકચંદ ને ચીમનલાલ નરસિંહ. જે આજે એક અથવા બીજી જગ્યાએ બહુ સારા ખાતામાં ગોઠવાયેલા છે તેઓને મળતાં આજે મને કુટુંબમેળાનો ભાસ થાય છે. પૂનામાં ચલાવેલા વર્ગનું જ એ પરિણામ છે એમ કહેવું જોઈએ. મેં પૂનામાંથી વિદાય લીધી ત્યારે બધા જ પરિચિતોએ એટલી બધી હાર્દિક મમતા બનાવી કે ઘડીભર તો હું વિચારમાં જ પડી ગયો કે આવા જિજ્ઞાસુ મંડળને છોડીને જવું કે નહિ ? પરંતુ એક વિદ્યાર્થી, જે હંમેશાં ક્લાસમાં મૌન રહેતા તેમણે એ વખતે વિદાયગીરીના મેળાવડામાં વર્ગ ચલાવવાની પાછળ રહેલું મારું દષ્ટિબિંદુ બરાબર સ્પષ્ટ કર્યું તે જોઈ મારું ધ્યાન તેમના પ્રત્યે આકર્ષાયું. તેમણે કહ્યું કે, “હું હંમેશાં ક્લાસમાં આવતો ને જોતો કે પંડિતજી ચલાવે છે તો તત્ત્વાર્થસૂત્ર પણ લગભગ પંચાવન મિનિટ તો બીજા વિષયો જ ચર્ચે છે. આમ કેમ ? પણ હું ધીરે ધીરે સમજી ગયો કે અધિકારવાળા અને અધિકાર વિનાના બધા જ વિદ્યાર્થીઓને એકસરખી રીતે રસ પડે તેમ જ તત્ત્વાર્થસૂત્રના વિષયો ચાલુ જીવનના પ્રશ્રો દ્વારા ચર્ચાઈ બુદ્ધિગમ્ય બને એ જ પંડિતજીનું દૃષ્ટિબિંદુ છે. આ વિદ્યાર્થી તે વાલજી ગાંધી. તે મૂળ ગુજરાતી છતાં દક્ષિણમાં સોલાપુર જઈ વસેલા. એટલે મરાઠી જ ગણાય. તેઓ દિગંબર હોવાથી નાની ઉંમરથી જ તત્ત્વાર્થસૂત્ર, તેની ટીકા સર્વાર્થસિદ્ધિ આદિ ગ્રન્થો ભણેલા. હું પહેલાં જેને વિષે એમ કહી ગયો છું કે એક ભાઈ રાજવાર્તિક શીખવા ઇચ્છતા તે આ જ. એમનો શાસ્ત્રીય અધિકાર બીજા બધા વિદ્યાર્થીઓથી ઘણો ચડિયાતો હતો, કારણ કે તેમની પૂર્વતૈયારી ઘણી સારી હતી. શ્રીનેમચંદ ગાંધી અને તેમના બ્રાહ્મણ પંડિત વાલજી ગાંધીએ સોલાપુર પોતાના મોટાભાઈ નેમચંદ, જે હજી પણ હયાત છે ને ગયે વરસે જ મને મુંબઈ મળી ગયા તેમને સૂચવ્યું કે અહીં એક કાશીથી પંડિત આવેલ છે, જે તમારી શાસ્ત્રીય શંકાઓનું નિવારણ કરશે. નેમચંદભાઈ પોતાની સાથે એક વૃદ્ધ બ્રાહ્મણ પંડિતને લઈ પૂના આવ્યા. એ પંડિત તેમના ઘરપંડિત જ હતા ને ઘરના સૌને દિગંબર શાસ્ત્રો ભણાવતા. પંડિત જાતે બ્રાહ્મણ, સંસ્કારો પણ બ્રાહ્મણ - પરંપરાના ને હંમેશાં કામ કરે જૈન કુટુંબમાં. જેનો પંડિત પાસે પોતાના શાસ્ત્રો અતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy