SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પૂનાના અનુભવો ૦ ૧૪૩ બર નથી આવતી તો પૂના છોડવું. પૂના છોડવાનો વિચાર કરું છું ત્યાં તો બે મિત્રો ભગવાનદાસ અને પ્રભુદાસ પારેખ પૂના આવી ચડ્યા. મૂળે ગુજરાતી, પણ મહારાષ્ટ્રમાં વસી ગયેલ એવાં બે જૈન કુટુંબના છોકરાઓ હું હતો તે છાત્રાલયમાં ભણતા. તેમના આગ્રહથી તેમનું ગામ તળેગાવ જોવા અમે બધા ઊપડ્યા. તળેગાંવ એ સંતરાના બગીચાઓનું જ ગામ છે એમ ત્યાં ગયા પછી જાણ્યું. જે યજમાનને ત્યાં અમે ઊતરેલા તેના બગીચામાં એકસાથે જિંદગીમાં કદી નહિ ચૂસેલ હોય એટલા સંતરા અમે સૌએ ચડસાચડસીથી ચૂસ્યાં. એક પૂરું ન ચુસાય ત્યાં તો યજમાન એમ કહીને બીજું સામે ધરે કે આ વધારે મીઠું નીકળશે. અમે પરીક્ષા કરવામાં પાછળ ન પડ્યા. મેં તો કેરીઓ અને જાંબુડાઓ વિષે આવો અનુભવ સિંહવાડા અને દરભંગા વચ્ચે મિથિલામાં પણ કરેલો તે વખતે પણ રસ્તે ચાલતાં સહચારી લાભચંદ બ્રહ્મચારી એમ કહે કે, પંડિતજી એ કેરી ફેંકી દો. આ વધારે પાકી ને મીઠી છે. એ જાંબુડાં કરતાં આ વધારે સારું છે. આ જ ખાઓ, ઇત્યાદિ પણ તળેગાંવની સ્મરણીય વસ્તુ તો બીજી જ હતી. ગુજરાતી અને જૈન છતાં તેમની ખાનપાન વિષેની ચોકસાઈ તેમ જ પીરસવાની સુઘડતા જોઈ ત્યારે એમ લાગ્યું કે આવાં કુટુંબોમાં જે ઔદાર્ય અને ચોખ્ખાઈનો સુભગ મેળ દેખાય છે તે ગુજરાત અને મહારાષ્ટ્રના સંસ્કારોના સુંદર સંમિશ્રણનું પરિણામ છે. ગુજરાતની આતિથ્ય ઉદારતા, મહારાષ્ટ્રની સ્વચ્છતા અને સુઘડતાથી ખરખર દીપી ઊઠતી દેખાઈ. તળેગાંવના પ્રવાસે મહારાષ્ટ્રના એક ગામડાનો સુખદ પિરચય કરાવ્યો. ત્યાં એક રાજવિજયજી નામના શ્વેતાંબર સાધુ હતા. તેમને મળવાનો ઉદ્દેશ પણ હતો. મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠિત થયેલા એ એકલવિહારી સાધુ આગળ જતાં ૬૦ વર્ષથી મોટી ઉંમરે પહોંચ્યા પછી પૂનામાંથી એક વિધવા બાઈને લઈ રાતે ગુપ્ત રીતે ટ્રેનમાં બેસી ક્યાંય ચાલ્યા ગયા એ સમાચાર જ્યારે જાણ્યા ત્યારે એ અનુભવ પાકો થયો કે, ઘણાખરા શિથિલાચારી ને ચિરત્રભ્રષ્ટ સાધુઓ ને જાતિઓ બીજા પ્રદેશમાં થતા અપમાનથી બચવા ને પ્રતિષ્ઠાપૂર્વક ધર્મનો ધંધો ચલાવવા મહારાષ્ટ્રનો આશ્રય લે છે. શ્રી રમણીકભાઈ મોદીનો સાથ પૂનાથી પ્રસ્થાન કરી વિજયા દશમીએ આગ્રા પહોંચ્યો ને છાપવાનું કામ હાથમાં લીધું. હું દેખું નહિ ને બંને સહચારીઓ છોકરા તેમ જ બિનઅનુભવી હતા એટલે શુદ્ધ અને સુંદર છપાવવાનો મનોરથ સિદ્ધ થતો ન દેખાયો. હવે મારી નજર કોઈ બીજા યોગ્ય માણસને શોધવા તરફ વળી. શ્રીયુત રમણીકલાલ મોદીને પણ મારી સાથે આવી રહેવું ને શાસ્ત્ર પરિશીલન વધારવું ઇષ્ટ હતું. તેથી તેઓ દિવાળીની રજા દરમિયાન આવી આગ્રા જોઈ ગયા. છેવટે રહેવાનું નક્કી કરી પોતાની ધર્મપત્ની તારાબહેનને પણ લઈ આવ્યા. હવે અમારો સંઘ અમારી ઢબના આશ્રમજીવનમાં જ ફેરવાઈ ગયો. ને વિ. સં. ૧૯૭૪થી એક નવા જ જીવનમાર્ગ ઉપર ચાલવાની તક મળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy