SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ - મારું જીવનવૃત્ત અમુક અંશે પુરવણી પણ કરતું. મચ્છર ને માંકડના ઉપદ્રવનો બદલો તો કુદરતી રમ્ય પ્રદેશોમાં ભ્રમણ કરવાથી મળી જતો. ખેતરો અને ટેકરીઓ વચ્ચે ભવાનીમંદિર કે ચતુર્ભુજનું મંદિર છે. વાચનનો મારો ઘણો સમય ત્યાં વીતતો અને તેથી થાક પણ ઓછો અનુભવાતો. ગાંધીજી સાથે ચર્ચા ગોખલેના ભારત-સેવકસમાજમાં એક વાર ગાંધીજી આવી ચડ્યા. મારા પરિચિત એટલે તેમની પાસે લઈ જવા વિદ્યાર્થીઓએ મને કહ્યું. હું ગાંધીજીને મળ્યો કે તરત જ તેમણે પૂછ્યું કે તમે અહીં છો? શું કરો છો? હું જૈન ધર્મને લગતું કાંઈક આ વિદ્યાર્થીઓને શીખવું છું એમ મેં કહ્યું કે તરત જ તેમણે પોતાની લાક્ષણિક શૈલીએ : સ્મિત કરી “એમ !” એવો ઉચ્ચાર કરી મને જૈન પરિભાષાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર શબ્દોની વ્યાખ્યા કરવા તેમજ મોટરનો ત્યાગ હોય છતાં તેનો ઉપયોગ કરવામાં એ પરિભાષા કામ આપી શકે કે નહિ ? એનો ખુલાસો કરવા કહ્યું. મેં આ પ્રસંગની ચર્ચા મારાં કેટલાંક સ્મરણો એ લેખમાં કરી છે ને તે લેખ “ગાંધીજીના સમાગમમાં એ પુસ્તકમાં પ્રસિદ્ધ થયો છે. મારા ખુલાસાથી બહુ સંતોષ નથી થયો એમ જાણી મેં જ તેમને એની વ્યાખ્યા ને ઉપયોગ વિષે પૂછ્યું. અને તેમણે ઘટતું કહ્યું પણ ખરું. આ વખતે ગાંધીજીની થેલીમાં પંડિત ગોપાલદાસ બરિયાનું જૈનસિદ્ધાંત પ્રવેશિક એ પુસ્તક હતું. તેના વાચનને પરિણામે તેમને આવો વ્યવહારુ પ્રશ્ન ઉદ્ભવેલો. સામાન્ય રીતે મોટરમાં ન બેસવું એવો તેમનો નિશ્ચય હશે, પણ મિસિસ પોલાકને સ્ટેશને મોટરમાં જાય તો જ મળી શકે એટલો જ સમય રહ્યો હોવાથી તેમણે આ પ્રશ્ન પૂછેલો. સામાન્ય રીતે ધર્મ ને તત્ત્વજ્ઞાનનો દરેક અભ્યાસી એની પરિભાષાઓ, એના શાબ્દિક અર્થો ને વિસ્તૃત ચર્ચાઓ જાણવામાં મસ્ત રહે છે પણ એનો વ્યવહારુ ઉપયોગ ક્યારેક અને કેમ થઈ શકે એનો વિચાર ભાગ્યે જ કોઈ કરે છે. આ વસ્તુસ્થિતિનું ભાન તે વખતની ગાંધીજી સાથેની વાચચીતથી મને થયું. ને ગાંધીજીના જીવનની સફળતાની ચાવી પણ ધ્યાનમાં આવી. ગાંધીજી ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ મૌલવી કે પંડિતની પેઠે નથી કરતા, પણ તેઓ એને જીવન્ત પ્રશ્નોમાં લાગુ કરી સજીવ બનાવે છે. આ વાત મને ત્યાં પહેલવહેલી આટલી સ્પષ્ટતાથી સમજાઈ. મુસાફરીમાં અનેક કામના ભારનું દબાણ હોય ત્યારે પણ એક ધાર્મિક પુસ્તક થેલીમાં રાખવું અને તેનો અર્થ જીવનદષ્ટિએ વિચારવો એવી સૂઝ ગાંધીજી સિવાય બીજામાં ભાગ્યે જ હશે. તળેગાંવની યાત્રા – ગુજરાત અને મહારાષ્ટ્ર ત્રણ મહિના વીત્યા ત્યાં તો આસો શુકલમાં પૂના છોડવાનો પ્રસંગ આવ્યો. મેં કર્મગ્રન્થોના અનુવાદનું જે મેટર આગ્રા છાપવા મોકલેલું તે બરાબર શુદ્ધ અને સારી રીતે નથી છપાતું એમ પૂફો ઉપરથી જાણ્યું એટલે નક્કી કર્યું કે કરેલી મહેનત બરાબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy