SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. ઉદેપુર થઈ અમદાવાદ ગાડીનું સાધન સાથે હતું, પણ પહાડી પ્રદેશમાં પગે ચાલવાની મજા માણવા પાદવિહાર જ શરૂ કર્યો. ઉદયપુર પહોંચ્યા સુધીમાં બે-ત્રણ વિશેષતાઓએ મારું ખૂબ ધ્યાન ખેંચ્યું. રાતે પડાવ કરેલ છે અને બીજા મગરાનાં ગામડાંઓમાં જ્યાં દેખો ત્યાં જેનો વિનાનાં જૈન મંદિરોનું રાજ્ય છે. એ મંદિરો પણ જેવાં તેવાં નહિ. આજે એવાં મંદિરો બંધાવતાં અઢળક ખર્ચ કરવો પડે. આ વસ્તુસ્થિતિ ધર્મ અર્થમૂલક છે એ સિદ્ધાંતની સૂચક છે. જ્યાં લગી મેવાડમાં આર્થિક દૃષ્ટિએ જૈનો આબાદ હતા ત્યાં લગી આવા મગરાઓમાં રહી પોતાની ધર્મભાવના પોષી ને જ્યારે તેમની આર્થિક સ્થિતિ પડી ભાંગી ત્યારે તેઓ પોતાના તેમજ પૂર્વજોના પ્રાણથી પણ અધિક એવાં ધર્મસ્થાનોને છોડી જ્યાં ત્યાં ચાલ્યા ગયા. રસ્તે ચાલતાં ગમે ત્યાં વાવડીઓ મળે. એમાં ઊતરતાં અને એનું શીતલ-મધુર પાણી પીતાંવેંત જ મારો થાક અને કંટાળો કોણ જાણે ક્યાં ચાલ્યા જતાં. ને આગળ ચાલવાની તાજગી મળતી. મોટરનો મોતકર-મોતર) મોત દોનર એવો અર્થ કાઢવાની વ્યુત્પત્તિ મને એ રસ્તામાં સૂઝી. રસ્તે ચાલતા ગાડા કે મુસાફરને ભાગ્યે જ બચવાની તક મળે એટલી બેફામ ગતિથી દોડતી મોટરોનો ભોગ બનતાં હું તો દૈવયોગે બચી ગયો, પણ કુદૈવ ઊતર્યું એક પંજાબી જૈન યાત્રીને શિરે. એ બિચારો બેલગાડી નીચે કચરાઈ ક્ષણભરમાં સ્વર્ગની યાત્રાએ ગયો. એના ત્રણ સાથીઓ એના મૃતક દેહને લઈ ઉદયપુર દાહકર્મ અર્થે પાછા ફર્યા. આ ઘટનાએ પેલા બળદની ઘટનાથી થયેલ દુઃખમાં ભારે ઉમેરો કર્યો. પોતાની જાન બચી ગયાના વાસ્તવિક આનંદમાં પણ એ દુઃખ ભારે વિઘ્નરૂપ બન્યું. બળદનો ઉદ્ધાર કઈ રીતે શક્ય છે એ પ્રશ્નના જે અનેક જણ પાસેથી અનેક ઉત્તરો મળ્યા તેમાંથી છેવટે એક જ વ્યવહારુ લાગ્યો. તે પ્રમાણે મારે રાજદરબારમાં જવું ને ત્યાં જે લાગવગવાળા અમલદારો કે જાગીરદારો હોય તેમની મદદ માંગવી એમ ઠર્યું. અનેક વર્ષો થયાં સાચવી રાખેલ માથે બાંધવાનો કાઠિયાવાડી ફેંટો ટૂંકમાં સાથે નિરર્થક ફેરવવાનું ડહાપણ સચવાયું ન હોત તો મારે માટે રાજદરબારમાં જવું પણ અઘરું બનત. આભાર એ ફેંટાનો કે તેણે દરબારના દરવાજા મારા માટે ખુલ્લા કરાવ્યા. એક બહુ વૃદ્ધ જાગીરદાર હાડવૈદ્ય તરીકે જાણીતા હતા. તે કાંઈક રસ્તો બતાવશે એવી ઉમેદ હતી, પણ જ્યારે એ બહુ સરળ જાગીરદારને મળ્યો ત્યારે લાગ્યું કે મેવાડમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy