SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ • મારું જીવનવૃત્ત વેવલાપણું જોઈ ભગવાન ઋષભદેવ, તેવા ભક્તો વિષે શું ધારતા હશે ? એ કહેવું કઠણ છે. જે જમાનામાં ધર્મો અને પંથોના ભેદો પડ્યા ન હતા એ પૌરાણિક સત્યયુગમાં થયેલ ભગવાન ઋષભદેવના દરબારમાં બધા જ ધર્મો અને તેમના દેવો સ્થાન પામ્યા છે એ તો અનેકાન્ત દૃષ્ટિના વિકાસને અનુરૂપ થયું છે ને એમાં જૈનપરંપરા ગૌરવ લે તો તે અસ્થાને પણ નથી, પરંતુ અનેકાન્તને સર્વથા કલંક લગાડે એવી વસ્તુ તો ત્યાં જેનો પોતે જ આચરી રહ્યા છે ને તે શ્વેતાંબર-દિગંબર પરંપરાની હક્ક વિષેની તકરારો. આ તકરારોએ જૈનધર્મના આત્માસમાન અહિંસા અને અનેકાન્ત બંને સિદ્ધાંતોનું ખૂન કરાવ્યું છે ને તે હજુ ચાલુ છે. દુઃખની વાત તો એ છે કે બંને પક્ષો આવી તકરારોને ધન્ય ગણી પોષે જ જાય છે. - આ ત્રણ બાબતોના વિચારથી એ સ્થાનમાં જે આધ્યાત્મિક ફુરણા થવી જોઈએ તે મારામાં થતી મેં ન જોઈ ને શૂળ યાત્રાનો સંતોષ માનવા છતાં સૂક્ષ્મયાત્રા વિનાનો જ હું કેશરિયાજીથી પ્રસ્થાન કરી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy