SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ • મારું જીવનવૃત્ત વીસમી સદીનું પ્રભાત પણ નથી ઊગ્યું. એમની સહાનુભૂતિ તો દેખાઈ, પણ અમે બધો ખર્ચ કરીશું એમ કહ્યા છતાં તે નિષ્ક્રિય જ સિદ્ધ થઈ. ઉદયપુર સુધી બળદ પહોંચે તો જ ઇલાજ થાય ને છેવટે પાંજરાપોળમાં પણ સ્થાન પામી શકે એમ જણાતાં જ હું સીધો સ્ટેશને પહોંચ્યો. કેશરિયાજીમાં હજી સંઘપતિ છે ને ત્યાં ભગવાન પણ બિરાજે છે એટલે બળદનું કાંઈ થઈ રહેશે એ જ આશ્વાસને દુઃખ ઘટાડવું, ને મને અમદાવાદ પહોચતો કર્યો કર્મસિદ્ધાંતનો અભ્યાસ સંકેત પ્રમાણે પ્રવર્તકજી ગુજરાતમાં પાછા આવે ત્યારે જ તેમને મળી આગળાનો કાર્યક્રમ નક્કી કરવાનો હતો. તેથી વચલા દિવસોનો ઇષ્ટ ઉપયોગ અમદાવાદમાં રહી કરી લેવો એમ નક્કી કર્યું. જૈન કર્મશાસ્ત્રનાં મૂળ તત્ત્વો ને કેટલીક વીગતો તો સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો ન હતો ત્યારથી જ જાણતો, પણ એ વિષયનું સંસ્કૃત-પ્રાકૃત વામય શાન્તિથી વાંચવા-વિચારવાની તક હજી લગી મળી ન હતી. પાટણથી પગરસ્તે ચાલતી વખતે એ વિષયનાં બેએક પુસ્તકો સાથે લીધેલાં એમ ધારીને કે ગાડામાં બેસીશું ત્યારે ને પડાવ નખાશે ત્યાં અનુકૂળતાએ સાંભળીશ. તે પ્રમાણે પ્રવાસ દરમિયાન સટીક કર્મગ્રન્થ પહેલો ભાગ તો પૂરો થયેલો. હવે અમદાવાદમાં આગળનું વાચન શરૂ થયું. બીજો ભાગ પૂરો કરી કર્મપ્રકૃતિ હાથમાં લીધી. જેનપરંપરામાં કર્મપ્રકૃતિ ગ્રન્થની ભારે પ્રતિષ્ઠા છે. ક્રમ વિષયનો છેલ્લામાં છેલ્લો એ ગ્રન્થ ગણાય. ગરમીના એ સખત દિવસોમાં ઝવેરીવાડ વિદ્યાશાળાના મકાને મને બહુ રાહત આપી. ને એ ગ્રન્થ પૂરો વાંચી સમજી લીધો. લોકો એને જેટલો અઘરો માને છે તેટલો મને ન લાગ્યો. તેનું કારણ તો એને લગતી પૂર્વભૂમિકાની મારી સંપૂર્ણ તૈયારી એ જ ગણી શકાય. પ્રથા એવી પડી છે કે જે સંસ્કૃત-પ્રાકૃત-ભાષા પણ ઠીકઠીક ન જાણતો હોય, જે ન્યાય અને દર્શનનાં પ્રાથમિક તત્ત્વો ન જાણતો હોય, તે સુધ્ધાં કર્મ-પ્રકૃતિ વાંચે. પરિણામે એના ગણિતને ભેદપ્રભેદના જંગલમાં ભણનારનું ભેજું એવું અટવાઈ જાય કે તે મૂળ વસ્તુ સુધી ન પહોંચે ને ગ્રન્થની પ્રશંસામાં જ ભણ્યાનો આનંદ માણે. હું કર્મપ્રકૃતિ મલયગિરિ અને ઉપાધ્યાયજીની બંને ટીકા સહિત આપમેળે વાંચું છું એ બીનાએ જોતજોતાંમાં ત્યાંના તજ્જ્ઞ અને પ્રતિષ્ઠિત લોકોમાં મને વધારે જાણીતો કર્યો. કેટલાક પ્રતિષ્ઠિત તજજ્ઞો રાત્રે આવે ને ચર્ચા પણ કરે. કેટલીક વાર તે વિષે મને ઊઠતા દાર્શનિક પ્રશ્નો સાંભળી તેઓ નવાઈ પામે ને સાથેસાથે કહે કે આ બધું તો સર્વજ્ઞગમ્ય છે. આપણા જેવા છદ્મસ્થોની એમાં પૂરી ગતિ નહિ. મારે સ્વીકારવું જોઈએ કે, સટીક કર્મપ્રકૃતિના વાચન વખતે મને ઘણી બાબતોમાં મારા મિત્ર હીરાચંદ દેવચંદ તરફથી રાહત મળી હતી. જ્યારે કેટલાક દાર્શનિક પ્રશ્નોનું સમાધાન શ્રી સાગરાનંદજી સૂરિ પણ કરી શક્યા ન હતા. તે વખતે જ મને પ્રથમ લાગ્યું કે, સાગરાનંદજીનું વાચન જેટલું વિશાળ છે તેટલી સ્પષ્ટતા કે અસંદિગ્ધતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy