SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પરીક્ષાત્યાગ અને વિદ્યાવિસ્તાર • ૧૦૩ બહેન સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત થોડો જૈન વાય પણ શીખેલાં. મેં કહ્યું કે તમે ઉપાશ્રયમાં આવો ને હું વિશેષાવશ્યકભાષ્ય ભણાવું છું તે સાંભળો. તેમણે ત્યાં આવવું શરૂ તો કર્યું પણ એ મહારાજશ્રી તેમજ રૂઢિચુસ્ત વર્ગને ગમ્યું નહિ. એક તો એ કે તે સ્ત્રી અને તેમના જેવા મોટા વિદ્વાન ગણાતા સાધુ સાથે શાસ્ત્ર શીખે તો સાધુની મહત્તા શી રહે! એ તેમનો ડર. ને બીજું એ કે મહારાજજીને નહિ ઉઠેલ પ્રશ્ન એ બહેન પૂછે તો તેમની હીણપત પણ દેખાય. કારણ ગમે તે હો, પણ લાડુબહેનના આગમને મહારાજજીની ગંભીરતા છોડાવી. તેમણે એક વાર મને મૃદુભાવે કહ્યું કે પાઠમાં બીજા ન આવે તો સારું. મેં તરત જ લાડુબહેનને આવવા ના કહી ને કહ્યું કે હું સાંજે તમારા ઘેર આવીશ. ત્યાં તમારાં સાસુ-સસરા આદિની મંડળી વચ્ચે ભણાવીશ. એ ક્રમ શરૂ થયો. એમના સસરા તો મૂર્તિપૂજક સંઘના મુખ્ય આગેવાન પૈકી જ હતા. હવે મહારાજજીને સીધી રીતે કહેવાપણું તો રહ્યું નહિ, પરંતુ હું બહેનોનો શાસ્ત્રો ભણાવું છું તે એમને જરાય ગમતું નહિ. કેટલોક વખત મૌન રસાકસી ચાલ્યા પછી એક વાર તેમણે મને એકાન્તમાં કહ્યું કે બહેનોને ભણાવવાં ઠીક નહિ. પૂછ્યું, “કાંઈ પરિચય વિષે શંકા છે?' તેમણે નિખાલસભાવે તરત જ કહ્યું, “જરાય નહિ. તમે તો સુશીલ છો, પણ બહેનો ભણી નમ્ર થવાને બદલે ઉદ્ધતાઈ શીખે છે ને સાધુઓ પ્રત્યે પોતાનો નમ્ર વ્યવહાર પણ છોડી દે છે.” મેં કહ્યું, હું એવું કાંઈ જોતો નથી. અને એ બહેન તો હદથી વધારે નમ્ર છે. ત્યાં જ વાત હતી. પણ ધીરે ધીરે આ બીના મુંબઈ પહોંચી. ત્યાં વલ્લભવિજય મહારાજ સામે ઊહાપોહ શરૂ થયો હશે, પણ તેઓ સીધી રીતે મને કશું જ કહી શકે તેમ હતું નહિ. અને વધારામાં બહેનનું કુટુંબ તો વલ્લભવિજય મહારાજનું ખાસ અનુયાયી હતું. વાત ચડસે ચડી. મેં પછી તો કેટલાય શ્રાવકોને નિર્ભયપણે કહી દીધું કે, જો યોગ્ય કોઈ ઢેઢભંગી કે બહેનો ભણવા આવશે ને વધારે વખતની જરૂર હશે તો હું સાધુઓને ભણાવવાનું છોડી દઈને પણ તેમને ભણાવીશ. મારા આ વલણથી મારી સામે તો કોઈ કાંઈ કહેવાની હિંમત કરતું જ નહિ, પણ અંદર અંદર કેટલાક લોકો ધંધવાતા. જેમ તેમ રસાકસીના આનંદમાં દિવાળી આવી ને હું મુંબઈ ગયો. મને સાત્ત્વન આપવા વલ્લભવિજયજી મહારાજે કહ્યું કે થોડા દિવસ બાકી છે. કુશળતાથી સંભાળી લો. એ તો જૂની ઢબના કહેવાય. નવો યુગ કયાં જાણે છે ! ઈત્યાદિ. સાધુઓને સામે ચાલી ન ભણાવવા નિર્ણય મેં પાલનપુર આવી બાકીના બારેક દિવસ વ્યતીત કર્યા. ને ત્યાં જ સંકલ્પ કર્યો કે હવે ગમે તેટલી છૂટ ને સગવડ મળે તોય સાધુ વર્ગને સામે મોઢે ચાલી ભણાવવા ન જવું, પણ જો તેઓ મારી શરતે મારા સ્થાને ભણવા આવે તો તેમને સંપૂર્ણ આદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy