SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ૭ મારું જીવનવૃત્ત અને ઉત્સાહથી ભણાવવા. સંઘે માનપત્ર સાથે કીમતી દુશાલો અને રેશમી દુપટ્ટા લઈ કદી વા૫૨વાનો નથી. છતાં લઈશ ખરો, પણ તે તરત જ બીજા ગમે તેને આપી દઈશ. સાધુ વર્ગની ઇચ્છા એવી હતી કે હું જ તેને વાપરું એટલે એ બધો વિધિ માત્ર વિચારમાં જ રહી ગયો અને લખેલ માનપત્ર પણ લખેલું જ રહી ગયું. હું સૌહાર્દપૂર્વક સાધુમંડળ ને પાલનપુરથી છૂટો પડી સીધો દેશમાં ગયો. આગ્રામાં શ્રીલબ્ધિવિજ્યજીનો સંપર્ક ગુરુકુળની વિચારાતી યોજના સ્થિરરૂપ ન લે ત્યાં લગી આગ્રા જ કેન્દ્ર રહે એમ અમે વિચારી રાખેલું તેથી હું દેશમાંથી આગ્રા ગયો. આગ્રામાં આવી મેં નાનાવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. વચ્ચે વચ્ચે ભાષણ કે બીજે નિમિત્તે દિલ્હી જવાનું બનતું. ત્યાં મુનિ લબ્ધિવિજયજી હતા. તેમનો પરિચય તો પહેલાંથી જ હતો. તેઓ સારા વક્તા અને જોશીલા પણ ખરા. તેમની ઇચ્છા હતી કે હું તેમને ભણાવવા દિલ્હી જાઉં, પણ મેં મારા પૂર્વ સંકલ્પ પ્રમાણે તેમને કહ્યું કે મેં તો મારા કેન્દ્રસ્થાને ભણવા આવે તેને જ ભણાવવાનો નિર્ધાર કર્યો છે ઇત્યાદિ. બધી લાલચો આપ્યા છતાં જ્યારે તેમણે મારો નિશ્ચય પાકો જોયો ત્યારે તેઓ આગ્રા આવ્યા ને મારી પાસે રત્નાકરાવતારિકા સંપૂર્ણપણે ભણી દિલ્હી ચોમાસુ ચાલ્યા ગયા. લબ્ધિવિજયજી સાથેના બે-ત્રણ મહિનાના નિકટ પરિચયે પણ સાધુઓની સવૃત્તિ વિષેની મારી પહેલેથી ચાલી આવતી શંકા કાંઈક વધારે પુષ્ટ કરી. એમણે મારી મોજૂદગીમાં એક છોકરાને સિકંદરાબાદ (જિ. બુલન્દશહર)માં દીક્ષા આપી હતી, પણ આગ્રામાં તેમણે હદ વાળી. કોઈ રખડુ જેવો એક માણસ હાથમાં પડતાં તેની યોગ્યતા – અધિકાર વગેરે કશું જ જોયા સિવાય બે-ચાર દિવસના પરિચયમાં જ તેને દીક્ષા આપી દીધી. મેં અને બીજા મિત્રોએ તેમને ચેતવ્યા હતા, પણ શિષ્યલોભ ખાળી શક્યા નહિ. એ મહાશય બીજે જ દિવસે કપડાં વગેરે લઈ રાતે જ ગુપચુપ પલાયન કરી ગયા. લબ્ધિવિજયજીએ બેએક દિવસ તો વાત છુપાવી, પણ નવદીક્ષિત સાધુ ક્યાં છે ? એવા શ્રાવકોના પ્રશ્નને હમેશાં શી રીતે ખાળી શકે ? મને એક વાર ડરતાં ડરતાં બીના કહી, ને પૂછ્યું કે શ્રાવકોને જવાબ શો આપવો ? મેં કહ્યું કે કહી દેવું કે પૂછ્યા વિના બીજે દિવસે ચાલ્યો ગયો. એમને દીક્ષા માટે ખર્ચ કરનાર તેમજ બીજા સુધારક બંનેનો ડર હતો તેથી કાંઈક ભળતો જ ઉત્તર આપવા વિષે મારી સલાહ પૂછી. મેં કહ્યું, તમને ડર શા માટે ? આવી નજીવી બાબતમાં જૂઠું બોલવાનો વિચાર કેમ આવે છે ? ઇત્યાદિ. હું ધારું છું ત્યાર બાદ અમે બંને ક્યારેય મળ્યા નથી. જોકે ઘણે સ્થળે મળી શકાય એવા પ્રસંગો આવેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy