SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મારું જીવનવૃત્ત નાના ભાઈ લક્ષ્મણ સાથે પાલનપુર પહોંચ્યો અને વ્રજલાલજી એ ચોમાસામાં મુંબઈ જ રહ્યા, પરંતુ એ જ વખતે કુદરતના અજ્ઞાતપટની પાછળ એના આ ખેલની બીજી બાજુની તૈયારી પણ થઈ રહી હતી. એમ હું આગળ જતાં જોઈ શક્યો. આ રીતે મારો કાર્યારંભનો સૂત્રપાત થયો. ને નવી જ પરિસ્થિતિમાં મુકાયો. શ્રીમાન હંસવિજયજી જેવા વયોવૃદ્ધ ને પ્રભાવશાળી મુનિ મારી પાસે વિશેષાવ્યશકભાષ્ય જેવો મહાન ગ્રન્થ વાંચે છે ને તેમનો શિષ્ય હેમચંદ્રની બૃહદુવૃત્તિ શીખે છે એ વાત ફેલાતાં જરાય વાર ન લાગી. શ્રાવકો ઉપરાંત શહેરના બીજા શિક્ષિત અમલદારો શ્રદ્ધાપૂર્વક મળવા લાગ્યા. જે સાધુ ભારે વિદ્વાન અને લાગવગવાળા હોય તે જ મોટા પંડિતનો સફેદ હાથી આંગણે બાંધી શકે એવી લોકમાન્યતાને લીધે સાધુમંડળી તેમજ તેનો અનુયાયી વર્ગ પણ મારા વધતા જતા મોભાને પોતાનો જ મોભો લેખતા ને પ્રસન્નતા અનુભવતા. હું કાશીમાં લાંબો વખત રહી ભણો ને પગાર લીધા વિના ભણાવું છું એ વસ્તુએ પાલનપુરના ભોળા લોકોને મારા પ્રત્યે વધારે શ્રદ્ધાળુ બનાવ્યા છે એમ હું જોઈ શકતો. શતાવધાની રત્નચંદ્રજીનો સંપર્ક સદ્ભાગ્યે તે જ વખતે ત્યાં શતાવધાની રત્નચંદ્રજી મુનિ પણ ચોમાસુ હતા. રત્નચંદ્રજી સ્થાનકવાસી પરંપરામાં તો પોતાની વકતૃતા, વિદ્વત્તા અને અવધાનશક્તિને લીધે જાણીતા હતા જ, પણ એ શક્તિઓને કારણે તેમનો પ્રભાવ સામાન્ય જનવર્ગ ઉપર પણ ઠીક પડતો. તે વખતના પાલનપુરના નવાબ અવારનાવર તેમનું વ્યાખ્યાન સાંભળવા જતા. આખી સ્થાનકવાસી આલમમાં જાણીતા પાલનપુરના માજી દિવાન પીતાંબર મહેતા તો કટ્ટર સ્થાનકવાસી હતા ને રોજ રત્નચંદ્રજીના વ્યાખ્યાનમાં જતા. રત્નચંદ્રજી પહેલેથી જ મારા પરિચિત હોઈ ઈચ્છતા કે હું તેમની લખેલી કર્તવ્ય – કૌમુદી આદિ સંસ્કૃત કૃતિઓ સાંભળી જાઉં ને સુધારી પણ દઉં. મેં એ કામ કરવા સહર્ષ સ્વીકારેલું એટલે પીતાંબર મહેતા જેવા મોભાદાર ધનિકો ને અમલદારો પણ મને મળવા આવતા અને જમવા પણ નોતરતા. મૂર્તિપૂજક અને સ્થાનકવાસી બંને વર્ગો આમ તો અનેક રીતે સંકળાયેલા, પણ તેમની વચ્ચે કાંઈક ફિરકાગત મનોમાલિય પણ ખરું. આ કારણથી હું એક સ્થાનકવાસી સાધુના વિશેષ પરિચયમાં આવું કે સ્થાનકવાસી સગૃહસ્થોના પરિચયમાં આવે તે બીજા પક્ષના રૂઢિચુસ્ત લોકોને ન રુચે એ સ્વાભાવિક છે, પરંતુ એમાંથી કોઈ પોતાનો અણગમો કે અરુચિ હજી લગી મારી સામે સીધી રીતે પ્રગટ ન કરતા. સ્ત્રી અને શાસાવાચનનો વિવાદ બીજી બાજુ એક બીજું જ ચક્ર ગતિમાન થયું. ત્યાંના એક જાણીતા આગેવાન કુટુંબની વિધવા પુત્રવધૂ જેનું નામ લાડુબહેન હતું તે મારી પાસે ભણવા ઇચ્છતાં. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy