SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પરીક્ષાત્યાગ અને વિદ્યાવિસ્તાર • ૯૯ સમજી શકીશ. આ રીતે હું સ્વપરીક્ષામાં પાર ઊતર્યો એટલે વિચાર થયો કે હવે કાશીમાં રહી માથે આર્થિક ભારણ વધાર્યા કરવું એ બરાબર નથી. હવે કાર્યકાળ પાચો કહેવાય ને કામમાં જ પડી જવું જોઈએ. નવીન ન્યાયમાં મહત્ત્વનું સ્થાન ભોગવતા આખા અનુમાન ખંડને તેમજ બુપત્તિવાદ, શક્તિવાદ જેવા શબ્દખંડના ગ્રન્થોને અને સપ્રકાશ કુસુમાંજલીને ભણી જવાનો લાંબા કાળનો મનોરથ કાશીમાં જ સિદ્ધ થયો એવા સંતોષ સાથે હવે આગળનો માર્ગ લેવાનો હતો. વિદ્યાવિસ્તાર તરફ વ્રજલાલજી કલકત્તા રહી વેદાન્ત ભણતા. વચ્ચે વચ્ચે કાશી આવે. એમની માતા ને ભાઈ તો મારી સાથે જ રહેતાં. એમણે પણ વેદાન્તતીર્થ થઈ હવે કામે ચડવાનો વિચાર કર્યો. યોગ્ય કામ અને સ્થાન શોધવા જવાની ચિંતા હતી જ નહિ. અમારા બંને માટે એ વિષેની કેવી તૈયારી થઈ રહી છે તે અમે જાણતા જ હતા. અલબત્ત, અમારે પોતાને ત્યાં જઈ અમારી દૃષ્ટિએ તે કેટલું માફક છે અને ઇષ્ટ છે કે નહિ તે જોવાની જરૂર તો હતી જ. દરમિયાન ઉનાળામાં દર વર્ષની જેમ નક્કી કર્યું કે આ ગરમીનો ઉપયોગ કેટલાક જૈન ગ્રન્થો ને કેળવણી, ઇતિહાસ આદિનાં હિન્દી પુસ્તકો વાંચવામાં કરવો. નિશ્ચય પ્રમાણે ઉપાધ્યાય યશોવિજયજીનાં ન્યાયાલોક આદિ જેવા અઘરા ગ્રન્થો પણ જોયા અને મીલ, હર્બટ સ્પેન્સર આદિ પશ્ચિમીય લેખકોનાં હિન્દીમાં અનુવાદિત કેટલાંક પુસ્તકો પણ વાંચ્યાં. આને પરિણામે વિદ્યારુચિ, માત્ર જૂની ઘરેડમાંથી મુક્તિ પામી ને બીજી દિશાએ પણ વળી. - ભજ્જૈની જૈનઘાટ ઉપર રહેવા આવ્યો ત્યારથી સાર્વજનિક સભાઓમાં જવાનો અને વિશિષ્ટ વક્તાઓનાં વ્યાખ્યાનો સાંભળવાનો શોખ વ્રજલાલજીની સોબતથી ઠીક-ઠીક કેળવાયો હતો. આર્યસમાજના વાર્ષિક ઉત્સવોમાં સવારના આઠથી રાતના અગ્યાર સુધી ભજનો અને ભાષણોની ઝડી થતી. અમે કંટાળ્યા વિના એમાં તરબોળ થતા. થિયોસોફિસ્ટના, સનાતનીઓના અને બીજા બીજા સંપ્રદાયોના સંભાવ્ય વક્તાઓ હોય ત્યારે ઘણે ભાગે અમે બંને પહોંચી જઈએ. વિપિનચન્દ્ર પાલ ને માલવિયાજી જેવાનાં જોશીલાં અંગ્રેજી ભાષણો થતાં હોય ત્યારે પણ અંગ્રેજી નહિ જાણવા છતાં પહોંચી જઈએ. તે વખતે કોણ સરસ બોલે છે એ જાણવાની મારી કસોટી એટલી જ હતી કે કોણ અંગ્રેજીમાં અટક્યા વિના બોલે છે અને કોના ભાષણમાં વધારે તાળીઓ પડે છે. હું ધારું છું, આજે પણ ઘણા ખરા અંગ્રેજી જાણનારાઓ સુધ્ધાંની લગભગ આવી જ કસોટી હોય છે. ભાષણો સાંભળવાની ટેવે, ભાષણો કરવાની વૃત્તિ પણ જન્માવી. સિદ્ધસેન દિવાકરની ઉક્તિ શ્રોતાર: ન્તિ સર્વત્ર – પ્રમાણે શ્રોતાઓ તો જ્યાં ત્યાં હોય જ એટલે અનાયાસે બોલવાની તક મળે અને કાંઈક બોલીએ પણ ખરા. આ રીતે વચનમાત્રથી શારદાની ઉપાસના ચાલતી, પણ મેં કાંઈયે લખવાનો વિચાર હજી સેવેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy