SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. પરીક્ષાત્યાગ અને વિદ્યાવિસ્તાર સ્વયંપરીક્ષાનું વલણ વિ. સં. ૧૯૬૬ના વસંતમાં ક્વીન્સ કૉલેજની ચતુર્વષય સંપૂર્ણ ન્યાય મધ્યમાપરીક્ષા આપી એટલે આચાર્યપરીક્ષામાં બેસવાનું દ્વાર ઊઘડ્યું. તે વખતે એ પરીક્ષા છ વર્ષમાં પૂર્ણ થતી. મેં વિ. સં. ૧૯૬૯ સુધીમાં ત્રણ ખંડની પરીક્ષા આપી. બાકીના ત્રણ ખંડોની પણ પૂરી તૈયારી પ્રથમથી જ કરી લીધી હતી. છતાં ત્રીજા ખંડની પરીક્ષા આપી ત્યારે એક ઘટના એવી બની કે મેં તે જ વખતે મારો નિશ્ચય બદલી નાખ્યો. અંગ્રેજ પ્રિન્સિપાલ કમરામાં સામે બેઠેલા. બે બાજુએ બે નૈયાયિકો એક જીવનાથ મિશ્ર અને બીજા વામાચરણ ભટ્ટાચાર્ય. બંને છપાયેલ પ્રશ્નપત્ર હાથમાં લઈ મને મૌખિક પ્રશ્ન પૂછે અને હું ઉત્તર આપું. પ્રિન્સિપાલ સંસ્કૃતજ્ઞ ખરા, પણ નવીન ન્યાય જાણતા હોવા ન જોઈએ. પરીક્ષક મહાશયો મારો ઉત્તર સાંભળી વચ્ચે વચ્ચે છપાયેલ નહિ એવા કેટલાક પ્રશ્નો - કોટિક્રમના પ્રશ્નો પૂછે છે એમ મને જેમ જેમ સમજાતું ગયું તેમ તેમ પંડિતોના વ્યવહારથી મારું માનસચક્ર ઊલટી દિશામાં ગતિશીલ થયું. પ્રશ્નો અને ઉત્તરો પૂરા થયા. પાછો ફર્યો, પણ એ કમરાના દરવાજામાં પગ પડવા સાથે જ માનસિક નિશ્ચય થઈ ગયો કે હવે કદી અહીં પરીક્ષા આપવા ને પરીક્ષકોની કુટિલતાનો ભોગ થવા નહિ આવું. મને બરાબર યાદ છે કે તે વખતનો મારો એ પ્રબળ નિશ્ચય દરવાજાના ઉંબરા ઉપર પગને પછાડવા દ્વારા પ્રગટ થયો. બાકીની પરીક્ષા આપવી હોય તોય તે માટે કાશીમાં રહેવાની જરૂર નથી. ગમે ત્યાં જઈને કામ કરવું અને વખત આવ્યે હાજર થઈ પરીક્ષા આપી દેવી એ દૃષ્ટિથી પરીક્સ બધા જ ગ્રન્થોનું અધ્યયન તો કરી જ લીધું હતું, પણ હવે પરીક્ષા ન આપવાના નિર્ણયે એક નવો વિચાર ઉત્પન્ન કર્યો. તે એ કે, મારે આપમેળે પોતાની જાતની કસોટી કરી લેવી કે યોગ્યતા કેટલી આવી છે અને કેટલી બાકી છે ? આ કસોટીનું મારું ધોરણ એ હતું કે શ્રીહર્ષનું ખંડનખંડખાદ્ય, મધુસૂદન સરસ્વતીની અદ્વૈતસિદ્ધિ, ને ચિસ્વરૂપાચાર્યની ચિસુખી એ ત્રણ વેદાન્તના અંતિમ ગણાતા ગ્રન્થો જો હું આપમેળે વાંચી અને સમજી શકું તો ન્યાયની યોગ્યતા મારામાં આવી છે એમ મારે સમજવું. આ મારું કસોટીધોરણ હતું. એ પ્રમાણે હું તે ગ્રન્થો લઈ સમજવા બેઠો ને મને લાગ્યું કે આ ગ્રન્થો આપમેળે ગમે ત્યારે વાંચી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy