SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ મારું જીવનવૃત્ત માઈલનું અંતર હોવા છતાં એવાં પણ માધ્યમો હતાં કે જે દ્વારા અવનવા બનાવો વિષે અનિચ્છાએ પણ જાણ થઈ જાય. સમાચાર મળ્યા કે મહારાજજીને કાશીના વિદ્વાનો. શાસ્તવિશારદની પદવી આપે છે તેનો ભારે મહોત્સવ શરૂ થયો છે ને બહારથી મોભાદાર જૈન સંગ્રહસ્થો પણ આવ્યા છે. સાથે સાથે એ પણ જાણ થઈ કે શાસ્ત્રવિશારદનું પદ સમર્પણ કરનાર પંડિત માત્ર કાશીના જ નથી, પણ બંગાલ, મિથિલા વગેરે દેશોના છે. આટલા બધા પંડિતોએ સહી કરી તેનું રહસ્ય પણ જાણવામાં આવ્યું. પ્રોફેસર ઊનવાલાને પણ જાણ થયેલી એટલે તેમણે અમને બોલાવી કહ્યું કે પદવીદાનની પાછળનું રહસ્ય તમારે પ્રગટ કરવું જોઈએ. ભોળા જેનો અંધારામાં ન રહે. અમે કહ્યું – સારું, એક પત્રિકા લખી પ્રસિદ્ધ કરીશું, પણ બીજે દિવસે પ્રોફેસર ઊનવાળાએ બોલાવી કહ્યું કે, મેં તમને કહ્યું હતું તે પાછું ખેંચી લઉં છું. તમે પોતાના કામમાં જ રહો. કીચડથી દૂર ન રહીએ તો તેના છાંટાં ઊડે જ, એમ અમે જ કર્યું. આજે પણ મને ઊનવાલાની એ સલાહ કીમતી લાગે છે. અમે મૌન રહ્યા એટલે મહારાજજીને નારાજ થવાનું કારણ પણ ન મળ્યું કે અમારા કામમાં વિક્ષેપ પણ ન પડ્યો. પોલ કોઈ પ્રગટ ન કરે તોય તે કાળક્રમે ખુલ્લી થઈ જ જાય છે. બન્યું એમ કે મહારાજજીને શાસ્ત્રવિશારદની પદવી આપવામાં મહેનત કરનાર એક પંડિત શ્યામસુંદર વૈશ્ય ગુજરાતમાં રહેતા મુનિ બુદ્ધિસાગરજીને પણ એવી પદવી અપાવવા ખટખટ કરી. એણે બુદ્ધિસાગરજીના અનુયાયીઓ પાસેથી પૈસા મેળવી પૂર્વ દેશના પંડિતોમાં વહેંચી તેમની પાસેથી સહીઓ લીધી. શ્યામસુંદરજી પાઠશાળામાં રહેવા છતાં આ કામ ગુપ્તપણે જ કર્યું હતું. છેલ્લી ઘડીએ જ્યારે તે પંડિતોનું સહીપત્ર લઈ મુંબઈ બુદ્ધિસાગરજી પાસે જવા ઊપડ્યા ત્યારે પાઠશાળામાં જાણ થઈ. મહારાજજી અને તેમનો પરિવાર ચિડાયો. એટલા માટે કે શ્યામસુંદર તો ગુજરાતમાં રહેતા સાધુને પણ શાસ્ત્રવિશારદ પદ અપાવે છે અને તેથી મહારાજજીને મળેલ પદનું ગૌરવ આપોઆપ ઘટે છે. છેવટે બંને પક્ષોના વિરોધને લીધે આ પોલ આપમેળે જ ખુલ્લી થઈ કે આવાં શાસ્ત્રવિશારદ પદો ખિસ્સે ગરમ હોય તો પંડિતો પાસેથી મેળવવા સહેલાં છે. પંડિતોને મન પૈસાની જ યોગ્યતા છે. ત્યાગીઓની પદવીલોલુપતા બે-ચાર વર્ષ બાદ આવી જ પદવીલોલુપતાનો મને પોતાને પરચો મળ્યો, મુનિ લમ્બિવિજયજી, જે અત્યારે વિજયલબ્ધિસૂરિના નામથી પ્રસિદ્ધ છે ને જે વિજયકમલસૂરિના ઉત્તરાધિકારી છે, તેમને એક વાર મશ્કરીમાં મેં દિલ્હી મુકામે કહ્યું કે, મહારાજજી ! પૈસા હોય તો તમે પણ શાસ્ત્રવિશારદ બની શકો. તેમણે અને તેમના શિષ્ય ગંભીરવિજયજીએ મને પૂછ્યું કે કેટલા રૂપિયા લાગે ? મેં કહ્યું કે જોઈએ ૨૦૦ ૨૫ હજાર. તેઓ કહે, એટલા રૂપિયા હોય તો તમે પ્રયત્ન કરો ? મેં કહ્યું કાશીમાં તમારે આવવું જોઈએ. ને જલદી કામ પતાવવા મારી સાથે રેલમાં પણ બેસવું જોઈએ નહિ તો ઘણો વખત જાય. તેમણે મારી ઉક્તિને તદ્દન સાચી માની કહ્યું કે જો તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy