SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગીઓમાં પદવીનો મોહ સાથે ચાલો તો અમે રેલમાં પણ બેસીશું. હું ન જાણું તેવી રીતે પાછળથી પોતાના એક અનુયાયીને પંજાબથી તાર દ્વારા બોલાવી પણ લીધો. બેએક દિવસ પછી મને કહે કે, જુઓ આ ભાઈ પંજાબથી આવ્યા છે, મહારાજજીના ભક્ત છે, તે બધો ખર્ચ કરશે. મેં જોયું કે મકરીનો ભાવ સાચા અર્થમાં લેવાયો છે એટલે તરત જ હસીને કહ્યું કે મહારાજજી ! તમે એટલું પણ ન સમજ્યા કે એ સંભવ હોય તોય પદવીખરીદીની ઠેકડી ઉડાડનાર સુખલાલ કદી શું એવા કામમાં ભાગ લે ? તેઓ ખસિયાણા પડી ગયા. આગળ જતાં ઇતિહાસના વાચને તેમજ બીજા સાક્ષાત્ અનુભવોએ એ સ્પષ્ટ કરી દીધું કે, પદવીની લોલુપતા તેમજ હરીફોમાં પદવી વિષેની સ્પર્ધા ત્યાગીઓમાં જાણે વારસાગત ઊતરી આવી છે. ઉમેદવારોની રાજગાદી મેળવવાની ખટપટ કરતાં આચાર્ય કે તેવાં પદ મેળવવાની ખટપટ ત્યાગીઓમાં જરાય ઓછી હોય તેમ મને દેખાતું નથી. ઘણી વાર મને એમ લાગ્યું કે, પૂર્ણ ધૃષ્ટતા કેળવ્યા સિવાય કોઈપણ પદવીનો સ્વીકાર ને જાહેરાત કરવી એ શક્ય જ નથી. જૈનેતરો સાથેનો સહવાસ - હવે હું સંસ્કારી બ્રાહ્મણ કુટુંબ સાથે રહેતો. તેથી મારી રહેણીકરણીમાં ફેર પડે એ સ્વાભાવિક હતું. જેનપરંપરાની ને કુટુંબની કેટલીય વારસાગત ટેવો બદલાઈ. આજે વિચાર કરું છું ત્યારે મને એનું બહુમૂલ્ય સમજાય છે. અને એમ પણ લાગે છે કે જૈનોએ બ્રાહ્મણ સંસ્કાર મિત્રાને વિરોધી ગણી હસી કાઢવા એ ઘાતક છે. મારા સંસર્ગથી એ બ્રાહ્મણકુટુંબમાં પણ કેટલુંક પરિવર્તન થતું જોયું છે. આ અનુભવે મને શીખવ્યું છે કે જુદી જુદી નાતો અને ધર્મપરંપરાના સભ્યો સમજણ અને ઉદારતાપૂર્વક સાથે રહે તેમાં બંનેને લાભ છે. અતડાપણું, કૂપમંડૂકતા, અને શ્રેષ્ઠમન્યતા એથી સરી પડે છે. દૈનિક જીવનના સંસ્કારોની આપલે ઉપરાંત ધાર્મિક દૃષ્ટિએ પણ એ સહવાસથી મને લાભ જ થયો છે. મેં વૈદિક દર્શનોનો ગમે તેટલો અભ્યાસ કર્યો હોત ને સંસ્કારી બ્રાહ્મણ કુટુંબનો જાગતો પરિચય ન હોત તો વધારે સંભવ એવો છે કે વૈદિક દર્શનો વિષે ઘાતક પૂર્વગ્રહ જ રહ્યો હોત. અલબત્ત, મારા અને વ્રજલાલજીની વચ્ચે સંસ્કાર તેમજ ધર્મની બાબતમાં ઘણી વાર ગરમાગરમ ચર્ચા થતી ને તે અથડામણીની હદ સુધી પહોંચતી છતાં પરસ્પરની મિત્રતા અને ગુણગ્રહણ દૃષ્ટિએ અમને બંનેને એથી ફાયદો જ થતો. મેં જોયો છે. મારી બાબતમાં તો હું એટલું ખાતરીથી કહી શકું છું કે આજની મારી આસાંપ્રદાયિક વૃત્તિમાં જેટલો ભાગ જેનેતર દર્શનના અધ્યયને ભજવ્યો છે તેટલો જ ભાગ જૈનેતર લોકોની સાથેના સહવાસે પણ ભજવ્યો છે. દિગમ્બર પરિચય ભદૈની જેને ઘાટ ઉપર આવ્યો અને એક બીજું નવું પરિચયપ્રકરણ શરૂ થયું. ત્યાં દિગમ્બર પાઠશાળા ચાલે છે. તેમાં માત્ર દિગમ્બર વિદ્યાર્થીઓ રહે છે. એ વિદ્યાર્થીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy