SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ૦ અનેકાન્ત ચિંતન “” રૂપ છે. આમ કહેવામાં “ઝ' એ “” રૂપ છે એનો કાંઈ જ અર્થ નથી. એ રીતે નિરર્થક બોલવાથી તે નિરર્થક નામના નિગ્રહસ્થાનને પામે છે, અને પરાજય પામેલો ગણાય છે. (૧) વાદી પોતાના પક્ષનું સાધન કરતો હોય કે સામાના પક્ષનું દૂષણ કરતો હોય પણ તે પોતાનું વક્તવ્ય ત્રણ વાર કહે છતાં તેને સભા કે પ્રતિવાદી કોઈ ન સમજી શકે તો એ કથન કાં તો ક્લિષ્ટ શબ્દવાળું હોવું જોઈએ અથવા તેના શબ્દો સર્વપ્રસિદ્ધ ન હોવા જોઈએ—અને કાં તો તે અત્યંત ધીરેથી બોલતો હોવો જોઈએ. ગમે તેમ હોય પણ ત્રણ વાર કહ્યા છતાં કોઈથી ન સમજાય તો તેવું બોલનાર વાદી પરાજય પામે છે અને તે અવિજ્ઞાતાર્થ નિગ્રહસ્થાન કહેવાય છે. (૯) દાડમ દસ, છ પુડલા, કડું, અજચર્મ અને માંસપિંડ આ રીતે પરસ્પર સંબંધ વિનાનાં પદો ઉચ્ચારવાથી જ્યારે વાક્યનો અર્થ નિષ્પન્ન ન થવાથી વાદી પરાજય પામે ત્યારે અપાર્થક નિગ્રહસ્થાન. (૧૦) પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ ક્રમે બોલવા જોઈતા અનુમાનવાક્યનો વિપર્યાસ કરી ગમે તેમ આડુંઅવળું બોલનાર વાદી અપ્રાપ્તકાળ નામનું નિગ્રહસ્થાન પામે છે, કારણ કે તે જે કાંઈ બોલે છે તે કાળ પ્રાપ્ત થયા વિના જ બોલે છે. (૧૧) શ્રોતાને જ્ઞાન આપવામાં પાંચે અવયવો ઉપયોગી છતાં તેમાંથી એક પણ અવયવ ન બોલવામાં આવે તો તે ન્યૂન નિગ્રહસ્થાન. (૧૨) કોઈ પણ એક હેતુ કે ઉદાહરણથી સાધ્ય સિદ્ધ થતું હોય છતાં બીજાં હેત કે ઉદાહરણોનો પ્રયોગ કરનાર અધિક નામના નિગ્રહસ્થાનથી પરાજિત ગણાય છે. (૧૩) અનુવાદના પ્રસંગ સિવાય પણ તે જ શબ્દને અગર તે જ અર્થને ફરી કહેવામાં પુનરુક્ત નિગ્રહસ્થાન પ્રાપ્ત થાય છે. એક વાર શબ્દ અનિત્ય છે એમ કહી ફરી તેમ જ કહેવું તે શબ્દપુનરુક્તિ-નિગ્રહસ્થાન અને શબ્દ અનિત્ય છે એમ કહી વિનાશી છે એ રીતે બીજા વાક્યથી તે જ અર્થ કહેવો તે અર્થપુનરુક્ત. જ્યાં અનુવાદનો પ્રસંગ હોય ત્યાં પુનરુક્તનિગ્રહન નથી ગણાતું; જેમ કે નિગમન વાક્યમાં હેતુ અને પ્રતિજ્ઞાવાયનો અનુવાદમાત્ર કરવામાં આવે છે. (૧૪) જે વાત ત્રણ વાર વાદીએ કહી હોય અને સભા પણ જેને સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેનું પુનઃ ઉચ્ચારણ ન કરી શકે તો તે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy