SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦૭૯ કહે જે સામાન્ય નિત્ય અને ઐન્દ્રિયક છે પરંતુ તે તો સર્વગત (સર્વવ્યાપી) છે અને શબ્દ તો અસર્વગત છે. આ પ્રકારે કહેવામાં પ્રથમની અનિત્યત્વ સિદ્ધ કરવાની પ્રતિજ્ઞાથી ભિન્ન એવી શબ્દને અસર્વગત સિદ્ધ કરવાની અન્ય પ્રતિજ્ઞા પ્રાપ્ત થાય છે. તેથી તે પરાજય પામે છે. માટે આ પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાન. (૩) દ્રવ્ય ગુણોથી ભિન્ન છે, કારણ કે રૂપ આદિ ગુણોથી ભિન્ન એવી કોઈ વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. આ રીતે કહેનાર વાદીની પ્રતિજ્ઞા અને હેતુ એ બંને વચ્ચે દેખીતો વિરોધ છે. જો દ્રવ્ય ગુણોથી ભિન્ન જ હોય તો રૂપાદિથી ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. એવો હેતુ સંભવે જ નહિ. કારણ કે દ્રવ્ય પોતે જ ભિન્ન છે. અને જો ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ નથી થતી એ હેતુ જ સત્ય હોય તો ગુણોથી દ્રવ્ય ભિન્ન છે એ પ્રતિજ્ઞા મિથ્યા છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા (સાધ્ય) અને હેતુના પારસ્પરિક વિરોધવાળું કથન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાવિરોધ નિગ્રહસ્થાન. (૪) ઐન્દ્રિયકત્વ હેતુથી શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરનાર વાદીને પ્રતિવાદી પ્રથમની જેમ નિત્ય સામાન્ય દ્વારા વ્યભિચારનું દૂષણ આપે ત્યારે વાદી તે દૂષણ દૂર કરવાને બદલે એમ કહે જે કોણ શબ્દને અનિત્ય કહે છે ? આ રીતે કહેવામાં પોતાની પ્રથમની પ્રતિજ્ઞાનો અપલાપ (પરિત્યાગ) થતો હોવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાસંન્યાસ નિગ્રહસ્થાન છે. (૫) પૂર્વોક્ત જ ઉદાહરણમાં સામાન્ય દ્વારા ઐન્દ્રિયકત્વ હેતુને વ્યભિચારદૂષણ આપતાં વાદી તે દૂષણનો ઉદ્ધાર કરવા માટે પ્રથમના હેતુમાં એક નવું વિશેષણ લગાડી કહે જે માત્ર ઐન્દ્રિયકત્વ એ અનિત્યત્વસાધક હેતુ નથી પણ જાતિવિશિષ્ટ ઐન્દ્રિયત્વ અનિત્યત્વનો સાધક હેતુ છે. આમ કહેવામાં બીજા જ હેતુનું ઉપાદાન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે હેત્વન્તર નિગ્રહસ્થાન. (૬) કૃત્વહેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી વાદી અપ્રાસંગિક કહેવા બેસી જાય (જેમ કે, “હેતુ એ ફ્રિ ધાતુ અને તુ પ્રત્યય ઉપરથી બનેલું પદ છે-પદ એ વ્યાકરણમાં નામ, આખ્યાત, ઉપસર્ગ, અને નિપાતભેદથી ચાર પ્રકારનું બતાવવામાં આવ્યું છે.” વળી આગળ વધી નામ આખ્યાત વગેરે વિશે પણ પોતાનું વૈયાકરણપણું ઠાલવવા બેસી જાય તો અપ્રસ્તુત બોલવાથી તે પરાજય પામે છે, માટે તે અર્થાન્તર નિગ્રહસ્થાન. (૭) કોઈ વાદી એમ કહે જે શબ્દ અનિત્ય છે કારણ કે “” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy