SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૬૫ બૌદ્ધ આચાર્યોની વાદકુશળતા અને તે વિષયની રસવૃત્તિ જેમ તેઓના પોતાના સાહિત્યમાં જોઈ શકાય છે, તેમ પ્રતિવાદી ગણાતા જૈન અને વૈદિક સાહિત્યમાં પણ તેઓ પ્રમાણપત્રુ તરીકે નોંધાયા છે. ચીની યાત્રી હ્યુએન્સંગ પણ પોતાના શ્રદ્ધાસ્પદ ગુરુ બૌદ્ધ ભિખુઓની અનેક વાદકથાઓને અને તેમાં મળેલા વિજયોને નોંધે છે. વૈદિક વિદ્વાનોમાં વાત્સ્યાયન પછી શબરસ્વામી, કુમારિલ ભટ્ટ અને ઉદ્યોતકર એ બધાના સાહિત્યમાં વાદકથાનું જ બળ અને ખંડનમંડનની તૈયારી જણાય છે. શ્રીમાનુ શંકરાચાર્યનો વાદકથા દ્વારા થયેલો દિગ્વિજય ચક્રવર્તીના શસ્ત્ર દ્વારા થયેલ દિગ્વિજય જેટલો જાણીતો છે અને રસપૂર્વક ગવાય છે. આ સમયના જૈન, બૌદ્ધ અને વૈદિક એ બધા સંપ્રદાયોના સાહિત્યની કરે એ વિષયનો તેઓનો ચેલો એક શ્લોક વાદીદેવસૂરી વિરચિત “પ્રમાણનયતત્ત્વાલોકાલંકારની રત્નપ્રભકૃત રત્નાકરાવતારિકા ટીકામાં ઉદ્ધત છે. તે આ પ્રમાણે :विरुद्धं हेतुमुद्भाव्य वादिनं जयतीतरः । आभासान्तरमुद्भाव्य पक्षसिद्धिमपेक्षते ॥ રત્ના. પૃ. ૧૮૪, પરિચ્છેદ ૮, સૂત્ર ૨૨. વિદ્યાનંદ સ્વામીનું તો જીવનકાર્ય જ વાદવિવાદમાં બીજાઓને જીતવાનું અને સ્વધર્મની પ્રતિષ્ઠા કરવાનું હતું. તેઓએ અનેક સ્થળે પ્રતિવાદીઓને જીત્યાનો ઉલ્લેખ શિલાલેખ સુધ્ધાંમાં છે. તેઓની ગ્રંથરચનાશૈલી પણ એ જ વાતની પોષક છે. તેમના પાત્રકેસરી નામમાં ખાસ એ જ ધ્વનિ છે. વિદ્યાનંદ સ્વામીએ એક પત્ર પરીક્ષા નામનો નાનકડો ગ્રંથ લખેલો છે. જેમાં પત્ર એટલે ન્યાયવાક્ય કેવું હોવું જોઈએ તેની મીમાંસા છે. તે ગ્રંથમાં તેઓએ અક્ષપાદના પંચાવયવ વાક્યને અને બૌદ્ધ સંપ્રદાયના અવયવત્રયાત્મક વાક્યને ખાસ દૂષિત કરી જૈન સંપ્રદાયને સંમત પત્ર(ચાયવાક્ય)ની સર્વશ્રેષ્ઠતા સિદ્ધ કરી છે અને બતાવ્યું છે કે ન્યાયવાક્યમાં બે, ત્રણ, ચાર, પાંચ, છ એ અનુક્રમે દશ સુધી અવયવો, અધિકારી શ્રોતાની અપેક્ષાએ, યોજી શકાય છે. ન્યાયવાક્યમાં અમુક એક જ અવયવની સંખ્યા માનવી તે એકાંત છે એમ બતાવી તેઓએ ન્યાયવાક્યમાં અવયવની સંખ્યા સુધ્ધાંમાં અનેકાંતદષ્ટિ ગોઠવી છે. તેઓએ પત્ર પરીક્ષામાં કુમારનંદી ભટ્ટારકનાં કેટલાંક પદ્યો ઉદ્ધત કર્યા છે અને તે બધાં ન્યાયવાક્યની પરીક્ષાને લગતાં છે. તેથી કુમારનંદી નામના કોઈ પ્રસિદ્ધ આચાર્ય જેઓ વિદ્યાનંદ પહેલાં થયેલા તેઓએ પણ આ વિષયમાં ગ્રંથ લખ્યાનું સ્પષ્ટ સૂચન થાય છે. ૧. શંકરદિગ્વિજય આદિ ગ્રંથો જોવાથી આ બાબત સ્પષ્ટ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy