SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન - ૫૯ તત્ત્વનો નિશ્ચય જ હોવો જોઈએ. એટલે કે પોતાને અગર પોતાના સંપ્રદાયના અનુયાયીઓને થયેલા તત્ત્વનિશ્ચય ઉપર કોઈ બીજા વાદીઓ આવી આક્રમણ કરતા હોય અને તેવી સ્થિતિમાં તત્ત્વનિશ્ચયમાં વિક્ષેપ પડતો હોય તો તે તત્ત્વનિશ્ચયની રક્ષા કરવા અનિષ્ટ છતાં પણ જલ્પ અને વિતંડાનો વિજિગીષુભાવે જરૂ૨ પ્રયોગ કરવો. આનું સમર્થન કરતાં તે એક મજેદાર દાખલો આપે છે. તે કહે છે કે કાંટાઓ જાતે અનિષ્ટ હોઈ હેય છે. છતાં વાવેલ બીજની, અને અંકુરોની રક્ષા કરવા વાડ દ્વારા કાંટાનો પણ ઉપયોગ થાય છે. આ દાખલામાં બીજાંકુરની રક્ષા કરનાર કાંટાની વાડ સાથે તત્ત્વનિશ્ચયની રક્ષા કરનાર જલ્પવિતંડા-કથાની સરખામણી મહર્ષિની સમર્થનકુશળતા સૂચવે છે. મહર્ષિ એમ સૂચવતા જણાય છે કે પ્રૌઢ દશાએ પહોંચેલાં અને દૃઢમૂલ થયેલાં વૃક્ષો માટે કાંઈ કાંટાની વાડની જરૂર નથી હોતી. તેવું વૃક્ષ તો પોતાનાં ઊંડાં મૂળને બળે જ કેવળ પશુઓથી નહિ પણ વાયુ અને મેઘના ભયંકર ઝપાટાથી સુધ્ધાં સુરક્ષિત છે. તેવી રીતે જેઓને દૃઢ અને ઊંડો તત્ત્વનિશ્ચય થયેલો હોય છે તેઓ કોઈ પણ વિરોધીના ગમે તેવા આક્રમણથી ડગતા જ નથી એટલે તેઓને જલ્પ કે વિતંડાની મદદ લેવાની જરૂર નથી. પણ એવા તત્ત્વનિશ્ચયવાળા ગણ્યાગાંઠ્યાં હોય છે. સામાન્ય જનસમુદાય તો હંમેશાં અમુક સંપ્રદાય પ્રમાણે તત્ત્વનિશ્ચય સ્વીકાર્યા છતાં ડગમગતી જ સ્થિતિમાં હોય છે, અને તેથી તેઓનો તત્ત્વનિશ્ચય માત્ર અંકુર જેવો કોમળ અને અસ્થિર હોય છે. એટલે સંપ્રદાયના તેવા લોકોને સ્થિર રાખવા ખાતર જલ્પ અને વિતંડાકથા આવશ્યક છે અને તે રીતે તે મોક્ષનું અંગ પણ છે. જલ્પ અને વિતંડાના ઉપયોગની મહર્ષિની આ સૂચના એક બાજુ વિદ્વાનોમાં મનુષ્યસ્વભાવ પ્રમાણે ઉત્પન્ન થતી અટિત વિદ્યાસ્પર્શી અને તજન્ય દુષ્પરિણામો ઉપર અંકુશ મૂકે છે અને બીજી બાજુએ તત્કાલીન તથા પૂર્વકાલીન વિદ્વાનોની વિદ્યાગોષ્ઠી અને સાંપ્રદાયિક આવેશમાંથી ચડસાચડસી કેવી થતી હોવી જોઈએ એ તરફ લક્ષ ખેંચે છે. મહર્ષિ જાણે છે કે સંપત્તિ અને સંતતિની મમતા તો મનુષ્ય અને ઇતર પ્રાણી વચ્ચે એક સરખી સમાન છે જ; પણ મનુષ્યની વિશેષતા તેના વિચારની મમતામાં છે. મનુષ્ય જે વિચાર (પછી તે ગમે તેવો હોય) બાંધે અગર સ્વીકારે છે, તેમાં અહંત્વનો ૧. ન્યા. સૂ. અ. ૪, આ. ૨, સૂ. ૪૭-૪૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy