SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ - અનેકાન્ત ચિંતન નથી. સામાનું ખંડન કરતાં અર્થપત્તિથી તેનો અમુક પક્ષ ભલે માની લેવામાં આવે પણ તે વિધિરૂપે પોતાના પક્ષની સ્થાપના કરતો નથી અને તેથી તેને પોતાના પક્ષનું ખંડન કરવાની ફિકર હોતી જ નથી. ગમે તે રીતે વિપક્ષનું ખંડન કરવું એ જ તેનું ધ્યેય હોય છે. જ્યારે જલ્પમાં તેમ નથી હોતું. તેમાં તો બંને પક્ષકારોએ પોતપોતાના પક્ષ સ્પષ્ટ રૂપે જ સ્વીકારી તેને સાધવાનું જોખમ વહોરેલું હોય છે. જલ્પ અને વિતંડા બંને કથાનો ઉદ્દેશ ગમે તે રીતે વિજય મેળવવાનો જ હોવાથી તેમાં બંને પક્ષકારોને સત્યાસત્ય જોવાનું નથી હોતું. કોઈ પણ રીતે વિપક્ષીને પરાભવ આપવો એ એક જ વૃત્તિથી આ કથા ચાલતી હોવાને લીધે તેમાં બંને પક્ષકારો જાણી જોઈને છળ અને જાતિરૂપ અસદુત્તરનો પ્રયોગ સુધ્ધાં કરી શકે છે. અને દરેક જાતનાં નિગ્રહસ્થાનોનું ઉદ્દભાવન કરી સામાને પરાજયની નજીક લાવવાનો યત્ન પણ કરી શકે છે. વિજયેચ્છાથી ઉન્મત્ત થયેલ વાદીઓ કાંઈ પરાજય સ્વીકારવા તૈયાર ન હોય એટલે જલ્પ અને વિતંડાત્મક કથાને પ્રસંગે અંકુશ મૂકે અને એક પક્ષને તેનો પરાજય સ્વીકારાવે તેવો પ્રભાવશાળી મધ્યસ્થ અને સભાસદોની પણ જરૂર હોય છે. પણ વાદમાં એમાંનું કશુંયે હોતું નથી. વાદકથા તત્ત્વનિર્ણયની ઇચ્છાથી પ્રેરાયેલ બે અથવા વધારે સહાધ્યાયીઓ વચ્ચે અગર તો ગુરુ-શિષ્ય વચ્ચે ચાલે છે. તેથી તેમાં અસત્યને જાણી જોઈને અવકાશ નથી. એટલે વાદમાં છળ તથા જાતિનો બુદ્ધિપૂર્વક પ્રયોગ અગર નિગ્રહસ્થાનનું ઉદ્દભાવન સંભવતું જ નથી. ૧૩. પ્રયોજન :– ઉપરના વર્ણનથી એ તો સ્પષ્ટ જ છે કે વાદકથાનું પ્રયોજન તત્ત્વનો નિર્ણય અને જલ્પ તથા વિતંડાનું પ્રયોજન વિજય પ્રાપ્તિ એ છે. છતાં મહર્ષિ ગૌતમ, પોતાના શાસ્ત્રમાં વર્ણવેલા સોળ પદાર્થ, જેમાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનનો પણ સમાવેશ થાય છે, તેના તત્ત્વજ્ઞાનને મોક્ષપ્રાપ્તિનું અંગ માને છે એ એક જાતનો વિરોધ છે. જ્યાં તે છળ, જાતિ અને નિગ્રહસ્થાનરૂપ અસત્ પ્રમાણો, અને ક્યાં જલ્પ અને વિતંડામાં વિજયેચ્છાજનિત ચિત્તમાલિન્ય અને ક્યાં તેના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ ! એ દેખીતો વિરોધ છે. પણ આ વિરોધ મહર્ષિ ગૌતમના ધ્યાન બહાર તો નથી જ. ન્યાયશાસ્ત્રનો સૂત્રધાર એ મહર્ષિ ઉક્ત વિરોધનો પરિહાર કરવા જલ્પ અને વિતંડાકથાનો ઉપયોગ કઈ સ્થિતિમાં કરવો એ પણ જણાવે છે. તે કહે છે કે વિજય દ્વારા કોઈ ભૌતિક લાભ કે ખ્યાતિ પ્રાપ્ત કરવાના હોય તો તેવો વિજય મેળવવા જલ્પ અને વિતંડાનો પ્રયોગ ન કરવો. વિજયનું સાધ્ય પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy