SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા છે ૪૩ ઉત્તરમીમાંસાનો સમાવેશ થાય છે. આ - અ. (૧) વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદ ઋષિએ કાળતત્ત્વને અંગે ચાર સૂત્રો રચ્યાં છે. તેમાં પ્રથમ સૂત્રમાં કાળતત્ત્વને સ્વતંત્ર સ્થાપિત કરવા કેટલાંક લિંગો વર્ણવ્યાં છે. તે કહે છે કે અમુક વ્યક્તિ અમુક વ્યક્તિથી જયેષ્ઠ છે અગર કનિષ્ઠ છે, તેવી પ્રતીતિનું મુખ્ય કારણ તેમ જ વિવિધ કાર્યોમાં થતી યૌગપઘ, ચિર અને ક્ષિપ્ર પ્રતીતિનું મુખ્ય કારણ કોઈ તત્ત્વ સ્વતંત્ર હોવું જોઈએ. આ સ્વતંત્ર તત્ત્વ તે કાળ. પછીનાં ત્રણ સૂત્રોમાં તે ઋષિ કાળને દ્રવ્યરૂપ માને છે, નિત્ય માને છે, એક માને છે અને સકળ કાર્યોના નિમિત્તકારણ તરીકે ઓળખાવે છે. (૨) ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ ઋષિએ, કણાદ ઋષિની પેઠે પોતાના પંચાધ્યાયી સૂત્રગ્રંથમાં કોઈ પણ સ્થળે કાળતત્ત્વને સિદ્ધ કરવા કે તેનું સ્વરૂપ બતાવવા કાંઈ પણ કહ્યું નથી. તેનું કારણ એ છે કે તે ઋષિ પોતાના દર્શનમાં પ્રધાનપણે પ્રમાણની જ ચર્ચા કરે છે, અને પ્રમેયની બાબતમાં વૈશેષિકદર્શનને અનુસરે છે; છતાં તેઓએ એક સ્થળે પ્રસંગવશ દિશા અને છે અને મોક્ષમાં નૈયાયિકોની પેઠે બુદ્ધિ વગેરે ગુણોનો નાશ અને આનંદનો અભાવ માને છે. વાંચો :"मुक्तिस्वरूपम्-किमिदं ? स्वस्थ इति, ये ह्यागमापायिनो धर्मा बुद्धिसुखदुःखेच्छादेषप्रयत्नधर्माधर्मसंस्कारास्तानपहाय यदस्य स्वं नैजं रूपं ज्ञानशक्तिसत्ताद्रव्यत्वादि तस्मिन्नेवतिष्ठत इत्यर्थः । यदि तु संसारावस्थायामविद्यमानोऽप्यानन्दो मुक्तावस्थायां ગત રૂત્યુતે તો નિમાનિત્યો મોક્ષ થાત્ " . . . ૨. ધ. ધ. જૂ. . શાઅલપિ ઉપર રામકૃષ્ણ પ્રણીત યુ#િસ્ટેપૂરી સિદ્ધાન્તવન્દ્રિ. ત્યારે વેદાંતદર્શન પ્રધાનપણે એક જ આત્મા અગર બ્રહ્મને વાસ્તવિક સ્વીકારી, તે સિવાયનાં સકલ પ્રમેયોને માત્ર માયિક કલ્પ છે, અને મોક્ષમાં અખંડાનંદ માને છે. ૧. બીજા વર્ગમાં સાંખ્ય સાથે યોગને રાખવામાં આવ્યું છે, તે તો સમજાય તેવું છે, કારણ યોગદર્શન સવશે સાંખ્યદર્શનનાં જ પ્રમેયો સ્વીકારે છે. તે બન્ને વચ્ચેનો ભેદ ફક્ત ઉપાસનાની અને જ્ઞાનની ગૌણ-પ્રધાનતાને આભારી છે, પણ વેદાંત-દર્શન, જે પ્રમેયની બાબતમાં સાંખ્યથી બિલકુલ જુદું પડે છે, તેને સાંખ્યદર્શન સાથે રાખવાનું કારણ એ છે કે આત્મા આદિ પ્રમેયોના સ્વરૂપના વિષયમાં તે બન્નેનો પ્રબળ મતભેદ છતાં કાળના વિષયમાં તે બન્ને સમાન છે ૨. “પત્રિપાં યુજિર ક્ષિમિતિ તિફન દ્દા દ્રવ્યત્વનત્યત્વે વાયુના व्याख्याते ॥७॥ तत्त्वं भावेन ॥८॥ नित्येष्वभावादनित्येषु भावात्कारणे कालाख्येति III” વૈશેષિવન, . ૨. મા. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy