SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ૦ અનેકાન્ત ચિંતન કાળને નિમિત્તકારણરૂપે વર્ણવી એમ સૂચન કર્યું છે કે તેઓ કાળતત્ત્વના સંબંધમાં વૈશેષિકની માન્યતાને મળતા છે. (૩) પૂર્વમીમાંસાના પ્રણેતા જૈમિનિ ઋષિએ પોતાનાં સૂત્રોમાં કાળતત્ત્વ સંબંધી કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ સ્પષ્ટ છે, અને તે એ કે તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મકાંડવિષયક વૈદિક મંત્રોની વ્યવસ્થા કરવાનો છે. છતાં પૂર્વમીમાંસાના પ્રામાણિક અને સમર્થ વ્યાખ્યાકાર પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા ઉપરની ટીકા યુક્તિસ્નેહપ્રપૂરણી સિદ્ધાન્તચંદ્રિકામાં પં. રામકૃષ્ણે કાળતત્ત્વ સંબંધી મીમાંસક મત બતાવતાં વૈશેષિક દર્શનની જ માન્યતાનો સ્વીકાર કરેલો છે. ફક્ત તેઓ વૈશેષિક દર્શનથી એટલી જ બાબતમાં જુદા પડે છે કે વૈશેષિકો કાળને જ પરોક્ષ માને છે અને તેઓ મીમાંસકોને મતે કાળને પ્રત્યક્ષ માને છે. બ. (૧) સાંખ્યદર્શનમાં સ્વતંત્ર અને મૂળ તત્ત્વ બે છે : પ્રકૃતિ અને પુરુષ. આ બે સિવાય કોઈ તત્ત્વ તે દર્શનમાં સ્વતંત્ર સ્વીકારાયેલ નથી. આકાશ, દિશા અને મન સુધ્ધાં સાંખ્યદર્શનમાં પ્રકૃતિના વિકારો છે. તેથી તે દર્શનમાં ‘કાળ’ નામનું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તે દર્શન પ્રમાણે કાળ એ એક પ્રાકૃતિક પરિણમનમાત્ર છે. પ્રકૃતિ નિત્ય છતાં પરિણમનશીલ છે. આ સ્થૂળ અને સૂક્ષ્મ જડ જગત પ્રકૃતિનો વિકારમાત્ર છે. વિકાર અને પરિણામની પરંપરા ઉપરથી જ વિશ્વગત બધા કાળસાધ્ય વ્યવહારોની ઉપપત્તિ સાંખ્યદર્શનના મૂળ સૂત્રમાંથી જ તરી આવે છે. 3 (૨) યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ પોતાનાં સૂત્રોમાં કાળતત્ત્વના સ્વરૂપના સંબંધમાં સ્વલ્પ પણ સૂચન કર્યું નથી, પણ તે દર્શનના પ્રામાણિક ભાષ્યકાર વ્યાસ ઋષિએ ત્રીજા પાદના બાવનમા સૂત્રની વ્યાખ્યા કરતાં પ્રસંગે કાળતત્ત્વનું સ્પષ્ટ સ્વરૂપ આલેખ્યું છે, જે બરાબર યોગદર્શનમાન્ય સાંખ્યદર્શનના પ્રમેયોને બંધબેસતું છે. તે કહે છે કે મુહૂર્ત, પ્રહર, દિવસ આદિ લૌકિક કાળ-વ્યવહારો બુદ્ધિકૃત છે—કલ્પનાજનિત છે. તે કલ્પના ક્ષણોના બુદ્ધિકૃત નાનામોટા વિભાગો ઉ૫૨ અવલંબેલી છે. ક્ષણ એ ૧. જુઓ વિશ્લેશાતાાશષ્યેવં પ્રજ્ઞ: ' . ૨. આ. શ્. સૂ. ૨૩. ૨. “નામ્ભાર્જ વૈશેષિજાવિવપ્રત્યક્ષ: હ્રાત: જિન્તુ પ્રત્યક્ષ ડ્વ, અસ્મિન્સને મયોપલબ્ધ ત્યનુભવાત્। અરૂપસ્યાઽવ્યાાશવત્ પ્રત્યક્ષત્ન મવિષ્યતિ ।' અ. ૨, પા. ૨, અધિ. , સૂ. . ૩. “વિધાતાના ારાદ્રિમ્ય ।" સાંપ્રવન, અ. ૨, સૂ. ૧૨. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy