SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા ૦૪૧ અત્યારના શોધકો ભલે તાપક્રમની ન્યૂનાધિકતા અને વાતાવરણની ભિન્નતા સ્વીકારે, પણ પ્રાચીન કાળમાં એમ મનાતું હતું કે આ દેખાતાં પ્રાકૃતિક સ્થૂળ અને સૂક્ષ્મ એ બધાં પરિવર્તનો માત્ર તાપક્રમ કે હવાપાણીની ભિન્નતા ઉપર જ અવલંબેલાં નથી. તે ઉપરાંત પણ બધાં પરિવર્તનોનું કાંઈ ખાસ કારણ હોવું જોઈએ; એનું કારણ માન્યા સિવાય પ્રાચીન કાળના લોકોની બુદ્ધિ પરિવર્તનોનો ખુલાસો કરી શકતી નહિ, અને તેથી જ જૂના જમાનામાં કાળતત્ત્વ ઉપર વિચાર થવા લાગ્યો. આ વિચાર તત્ત્વજ્ઞાનમાં દાખલ થયો અને તેણે મતભેદની અનેક પાઘડીઓ પહેરી. ભારતવર્ષ તાત્ત્વિક વિચાર માટે પ્રસિદ્ધ છે; ખાસ કરીને પરોક્ષતત્ત્વનો વિચાર કરવામાં તો તે એકલું જ છે. એટલે આજે આપણે સંક્ષેપમાં જોઈશું કે કાળના સંબંધમાં ભારતીય તત્ત્વજ્ઞાન શું કહે છે. કાળના સંબંધમાં દર્શનભેદ : ભારતીય દર્શન મુખ્યપણે ત્રણ ભાગમાં વહેંચાય છે : વૈદિક, જૈન અને બૌદ્ધ. ક. વૈદિક સાહિત્યનો મૂળ આધાર વેદ અને ઉપનિષદો છે. વેદો અને ઉપનિષિદોમાં તત્ત્વવિચારણાનાં છૂટાંછવાયાં બીજ છે, પણ તેમાં તે વિચારણાઓએ સ્પષ્ટ, ક્રમબદ્ધ અને સયુક્તિક દર્શનોનું રૂપ પ્રાપ્ત નથી કર્યું. તેથી જ આપણે વેદ કે ઉપનિષદોમાંથી કાળતત્ત્વને લગતી ચોક્કસ માન્યતાઓ મેળવવા અશક્ત છીએ. એ માન્યતાઓ મેળવવા દર્શનકાળ તરફ આવવું જોઈએ અને દાર્શનિક સાહિત્ય તપાસવું પડશે. વૈદિક દર્શનોના સ્થૂલ રીતે-છ ભાગ કરવામાં આવે છે : વૈશેષિક, ન્યાય, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. કાળતત્ત્વની માન્યતાઓ સ્પષ્ટ સમજવા માટે એ છ દર્શનોના બે વર્ગો કરવા ઉચિત છે : પહેલા વર્ગને સ્વતંત્ર કાળતત્ત્વવાદી અને બીજાને અસ્વતંત્ર કાળતત્ત્વવાદીના નામે ઓળખીશું. (અ) પ્રથમ વર્ગમાં વૈશેષિક, ન્યાય અને પૂર્વમીમાંસાનો સમાવેશ થાય છે. ૧. કૌશીતકિ, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, મૈત્રી આદિ અનેક ઉપનિષદોમાં અનેક સ્થળે પ્રસંગે પ્રસંગે ‘કાળ’ શબ્દનો ઉલ્લેખ થયો છે, તે બધા પ્રસંગો વાંચનાર અને વિચારનારને આ મારું કથન સ્પષ્ટ થશે, ‘કાળ’ શબ્દના પ્રયોગનાં સ્થળો માટે ‘ઉપનિષદ્વાક્વકોશ’ જોવો. ૨. પ્રથમ વર્ગમાં વૈશેષિક દર્શન સાથે ન્યાયદર્શન અને પૂર્વમીમાંસાને રાખવાનું કારણ એ છે કે તે બન્ને દર્શનો પ્રમેયના સંબંધમાં મુખ્યપણે વૈશેષિક દર્શનની માન્યતાનાં Pr Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy