SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા આર્યોની વિચારશીલતાનો અભ્યાસ કરવા ઇચ્છનારે તેઓના વિચારની સરણી અને વિચારના વિષયો તપાસવા જોઈએ. અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ વિષયોમાં આર્યોની બુદ્ધિ દોડી છે. આ લેખમાં તે બધા વિષયો ઉપરના તેઓના વિચારની નોંધ લેવાનો ઉદ્દેશ નથી. આ લઘુ લેખ દ્વારા એટલું જ પ્રદર્શન કરવા ધારેલ છે કે કાળના સંબંધમાં આર્યોના વિચાર પ્રાચીન સમયમાં કેવા હતા અને તેમાં વખત જતાં કેવું અને કેટલું પરિવર્તન થયું. વિશ્વની વિવિધતા અને કાળતત્ત્વઃ જગતની વિવિધતાનું ઊંડાણ બુદ્ધિના ઊંડાણ કરતાંયે ઘણું છે. તેથી હજુ સુધી બુદ્ધિ જગતની વિવિધતાનો પાર પામી શકી નથી, પણ તે પાર પામવા તો અલક્ષિત કાળથી મથ્યા કરે છે. મનુષ્યજાતિની બુદ્ધિએ અનેક વિવિધતા સાથે એ પણ વિવિધતા જોઈ કે એક જ ક્ષેત્ર કે દેશની અંદર જુદે જુદે વખતે ઋતુભેદ અને કાર્યભેદ દેખાય છે, ભિન્ન ભિન્ન દેશોમાં એક જ વખતે ઋતુભેદ અને કાર્યભેદ નજરે પડે છે, એક જ દેશમાં એક જ વખતે જાતજાતનાં ફળો કે અનાજોનો પાક એકસરખો નથી આવતો. હેમંત અને શિશિર ઋતુમાં અમુક જાતનાં ફળોની પ્રધાનતા હોય છે, તો વસંત અને ગ્રીષ્મમાં બીજી જાતનાં ફળોની, જયારે વર્ષા અને શરદ ઋતુમાં કોઈ ત્રીજી જાતનાં ફળોનો ઉત્સવ હોય છે. એક વખત જુવાર, બાજરો વગેરે ધાન્યો ખેતરોને શણગારે છે, ત્યારે બીજી વખતે ઘઉં, ચણા વગેરે સ્પર્ધાથી તે કામ કરે છે. એક વખતે ગરમી કપડાંને લેતાં રોકે છે, જ્યારે બીજી વખતે કેટલોક વખત ખોરાક સિવાય ચલાવી શકાય, પણ કપડાં સિવાય ચલાવી શકાતું નથી. એક વખત એવો હોય છે કે જયારે મેઘનું દર્શન વ્રત ખાતર પણ દુર્લભ હોય છે, ત્યારે બીજો વખત એવો * પણ આવે છે કે સૂર્યદર્શનના નિયમવાળાઓને કેટલાક દિવસો સુધી તેનું દર્શન ન થવાથી ઉપવાસ કરવા પડે છે. આ પ્રાકૃતિક ફેરફારોના મૂળ કારણ તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy