SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય સ્વતઃકે પરતઃ ? • ૩૯ વિષયને વાસ્તવિક રૂપમાં ગ્રહણ કરવાની જ્ઞાનની શક્તિ, અને કાર્ય એટલે એ શક્તિ દ્વારા પ્રકટતો વિષયનો યથાર્થ ભાસ. આ કાર્યને ઘણી વાર પ્રમાણનું કાર્ય પણ કહેવાય છે. કાર્યના વિષયમાં સ્વતઃવાદી કહે છે કે પોતાની સામગ્રી ઉપરથી પ્રમાણ ઉત્પન્ન થયું કે લાગતું જ કોઈની અપેક્ષા રાખ્યા સિવાય તે પોતાનું પૂર્વોક્ત કાર્ય કરે છે. આમ માનવામાં તેઓ એવી દલીલ આપે છે કે જો પોતાનું કાર્ય કરવામાં પ્રમાણને કારણગુણોનું જ્ઞાન અગર સંવાદની અપેક્ષા રાખવી પડે તો જરૂર અનવસ્થા થઈ જાય. ત્યારે પરતઃવાદી કહે છે કે પ્રમાણ પોતાનું કાર્ય કરવામાં સંવાદની અપેક્ષા રાખે જ છે, અને તેમ છતાં અનવસ્થાનો જરાયે ભય નથી. કારણ એ છે કે સંવાદ એટલે અર્થક્રિયાજ્ઞાન. આ જ્ઞાન ફલરૂપ હોઈ તે બીજાની અપેક્ષા સિવાય જ સ્વતઃ નિર્મીત અને સ્વતઃ કાર્યકારી છે. પ્રવર્તક જ્ઞાન પોતાનું કાર્ય કરવામાં અથક્રિયાજ્ઞાનની અપેક્ષા રાખે, તેથી અર્થક્રિયાજ્ઞાનને પણ પોતાના કાર્યમાં અન્ય તેવા જ્ઞાનની અપેક્ષા રાખવી જોઈએ એવો એકાંત નથી. ખાસ મુદ્દો તો એ છે કે જ્ઞાનનું કાર્ય માત્ર અર્થનું ભાન પ્રકટાવવું એટલું જ છે. હવે જ્યારે પ્રમાણના કાર્યમાં જ્ઞાનસામાન્યના કાર્ય કરતાં વાસ્તવિકતાનો ઉમેરો થાય છે ત્યારે એટલું માનવું જોઈએ કે પ્રમાણના કાર્યમાં દેખાતી આ વિશેષતા કોઈ કારણને લીધે આવેલી હોવી જોઈએ. તે કારણ એ જ સંવાદ. તેથી પ્રમાણનું કાર્ય પણ પરતઃ માનવું ઘટે. આ બન્ને પક્ષની માન્યતાનો આધાર જ્ઞપ્તિની પેઠે છે; એટલે કે સ્વત પક્ષની મનોવૃત્તિ એક કોઈ સાર્વત્રિક નિયમ જોવા તરફ છે. તેથી તે દરેક જ્ઞાનને સ્વતઃકાર્યકારી માની લે છે, જ્યારે પરત પક્ષની મનોવૃત્તિ અનુભવને સામે રાખી ચાલવા તરફ છે. તેથી તે કોઈ એક નિયમમાં ન બંધાતા જ્યાં જેવો અનુભવ થાય ત્યાં તેવું માની લે છે. – કાન્તમાલા, ૧૯૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy