SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ અનેકાન્ત ચિંતન ન્યાયકુમુદચંદ્રોદય આદિ કૃતિઓમાં તે વિશે જરાયે કંટાળ્યા સિવાય ખૂબ લખેલું આપણી સામે છે. આવી ચર્ચામાં તૈયાયિકો તો કુશળ હોય જ, એટલે તેઓનું સાહિત્ય પણ તે વિશે ઊભરાવા લાગ્યું. દશમા સૈકા દરમ્યાન અભયદેવે સન્મતિતર્ક ઉપરની પોતાની ટીકામાં સ્વતઃ–પરતઃ પ્રામાણ્યની જે ચર્ચા કરી છે અને તેમાં મીમાંસક, બૌદ્ધ અને નૈયાયિકોના ગ્રંથોનો આધાર લીધો છે, તે જોતાં તે વખતે આ વિષયમાં દાર્શનિક વિદ્વાનો કેટલો વધારે રસ લેતા તે જણાઈ આવે છે. દાર્શનિકશિરોમણિ વાચસ્પતિ મિશ્રની સર્વતોગામિની પ્રતિભામાંથી પસાર થયા બાદ ન્યાયાચાર્ય ઉદયન અને નવીનન્યાયના સૂત્રધાર ગંગેશ તથા તેના પુત્ર વર્ધમાનના હાથે આ વિષય ચર્ચાયો. તેથી તે વિષયનું સાહિત્ય ઘણું જ વધી ગયું; છતાં જે કાંઈ ઊણપ રહી હોય તે મીમાંસક પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા અને વિદ્વાનું વાદિવેદસૂરિના વિશાળકાય સ્યાદ્વાદરત્નાકરે પૂરી કરી. અત્યાર સુધીમાં સ્વતઃ-પરતના સાહિત્યનું એક મોટું મંદિર તૈયાર થયું હતું. તેના ઉપર તાર્કિક ગદાધર ભટ્ટાચાર્યે પ્રામાણ્યવાદ રચી કળશ ચઢાવ્યો, અને જૈન તાર્કિક યશોવિજય ઉપાધ્યાયે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપરની પોતાની ટીકામાં આ સાહિત્યમંદિરનો પ્રામાણિક ઉપયોગ કર્યો. આ રીતે અઢારમા સૈકા સુધીમાં પ્રસ્તુત વિષયને લગતું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેનો વિચાર કરતાં જણાય છે કે મધ્યકાળમાં દાર્શનિક વિદ્વાનોની આ વિષયમાં રસવૃત્તિ ખૂબ વિકસી હતી. એની પુષ્ટિમાં વિદ્યારણ્યવિરચિત શંકરદિગ્વિજયમાંથી મંડન મિશ્રનું ઘર પૂછતાં એક બાઈએ શંકરસ્વામીને આપેલો ઉત્તર ટાંકવો બસ થશે : स्वतः प्रमाणं परतः प्रमाणं कीराङ्गना यत्र गिरं गिरन्ति । द्वारस्थनीडान्तरसंनिरुद्धा जानीहि तन्मण्डनपण्डितौकः ॥ સ. ૮, પો . ૬ સ્વતઃ-પરત ના દાર્શનિક પક્ષોનું વર્ગીકરણ સ્વતઃપ્રામાણ્ય માનનાર વર્ગોમાં ફક્ત બે જ દર્શનો આવે છે : પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા પરતઃપ્રામાણ્ય માનનાર વર્ગમાં જૈન અને બૌદ્ધ દર્શન ઉપરાંત ચાર વૈદિક દર્શનો આવી જાય છે : ન્યાય, વૈશેષિક, સાંખ્ય અને યોગ. ઉપપત્તિ વેદ ઉપર થતા આપનું સમાધાન અને કૃતિઓની પૂર્વાપર સંગતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy