SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? ૦ ૩૩ અનુક્રમે સ્વતઃ–પ્રામાણ્ય અને પરતઃ-પ્રામાણ્યની કલ્પના જન્મી. વિષય અને સાહિત્યનો ક્રમિક વિકાસ પહેલાં તો ઉપરની કલ્પના વેદ અને તેને લીધે મુખ્યપણે શબ્દપ્રમાણના પ્રદેશમાં હતી, પણ ધીરે ધીરે વેદ-નિત્યત્વવાદીએ સમગ્ર પ્રમાણમાં તે કલ્પના લંબાવી અને કહ્યું કે પ્રત્યક્ષ, અનુમિતિ કે અન્ય કોઈ પણ જાતનું જ્ઞાન હોય તે દરેક સ્વભાવથી યથાર્થ હોય છે. જો આગંતુક દોષ ન હોય તો તેમાં અપ્રામાણ્ય આવતું જ નથી. અનિત્યવાદીએ પણ પોતાની કલ્પનાને લંબાવી કહ્યું કે શાબ્દિક જ્ઞાન હોય કે અન્ય જ્ઞાન, દરેકમાં પ્રામાણ્ય કાંઈ સ્વાભાવિક નથી, તે તો ફક્ત કારણના ગુણથી આવે છે–જેવી રીતે કારણના દોષથી અપ્રામાણ્ય. આ રીતે શબ્દ-પ્રમાણમાં જન્મેલી સ્વતઃ–પરતની કલ્પના સમગ્ર પ્રમાણના પ્રદેશમાં ફેલાઈ. તેવી જ રીતે પહેલાં સ્વતઃપરતની વાદભૂમિ મુખ્ય ભાગે પ્રામાણ્યની ઉત્પત્તિ હતી; તેનો ધીરે ધીરે વિકાસ થતાં પ્રામાણ્યની જ્ઞપ્તિ અને તેનાં કાર્યો સુધી તે વિસ્તરી. તેથી અત્યારે સ્વતઃ-પરતની ચર્ચા પ્રામાણ્યની ઉત્પત્તિ, જ્ઞપ્તિ અને કાર્યના વિષયમાં જોઈએ છીએ. જેમ જેમ ચર્ચાના વિષયની સીમા વધતી ચાલી અને તેની વિશદતા પણ થતી ચાલી તેમ તેમ તેનું સાહિત્ય પણ વિકસ્યું. આપણે જોઈએ છીએ કે ઉપનિષના પ્રાચીન જમાનામાં સ્વતઃ–પરત ની ચર્ચાના “શબ્દનું નિયત્વઅનિત્યત્વ' જેવા કેટલાક અંશો માત્ર છૂટાછવાયા નિરુક્ત જેવા ગ્રંથોમાં અસ્પષ્ટ રૂપમાં મળે છે. ક્રમે તેનો વિકાસ થતો ચાલ્યો, પણ છેક ચોથીપાંચમી શતાબ્દી સુધીમાં એ ચર્ચાનું સાહિત્ય બહુ નહોતું વધ્યું. સ્વતઃપક્ષમાં શબરસ્વામીનું શાબરભાષ્ય અને પરત પક્ષમાં બૌદ્ધાચાર્ય દિનાગના, જૈનાચાર્ય સિદ્ધસેનના તથા સમંતભદ્રના ગ્રંથો–એટલું જ સાહિત્ય ત્યાર સુધીમાં આ વિષયને લગતું મુખ્યપણે કહી શકાય, પણ કુમારિલના શ્લોકવાર્તિકમાં સ્વતઃપક્ષની ખૂબ ચર્ચા થતાં જ બૌદ્ધ, જૈન અને નૈયાયિકો તેની વિરુદ્ધ ઊતરી પડ્યા. શાંતરક્ષિતકૃત તત્ત્વસંગ્રહ અને નાલંદા વિદ્યાપીઠના તંત્રના અધ્યાપક કમલશીલની (આશરે ઈ. સ. ૭૫૦) તે ઉપરની ટીકા સિવાય આજે સંસ્કૃત બૌદ્ધ ગ્રંથો આપણી સામે ન હોવાથી તે વિશે મૌન જ ઠીક છે. પણ જૈન વિદ્વાન વિદ્યાનંદે પોતાની અષ્ટસહસ્ત્રી, શ્લોકવાર્તિક આદિ કૃતિઓમાં તથા પ્રભાચન્ટે પોતાની પ્રમેયકમલમાર્તડ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy