SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ? • ૩૫ કરવાનું બુદ્ધિસાધ્ય કામ જૈમિનીયદર્શને લીધું, તેથી તેણે સ્વતઃપ્રમાણની ટૂંકી ને ટચ સરસ ઉપપત્તિ ઉપસ્થિત કરી. વેદાન્તદર્શનનું કાર્ય વ્યવસ્થિત થયેલ વેદમાંથી બ્રહ્મનું તાત્પર્ય બતાવવાનું હતું, તેથી તે જૈમિનીયદર્શનની સ્વતઃપ્રમાણની કલ્પનાને ચર્ચા કર્યા સિવાય માની લે તે સ્વાભાવિક જ છે. વેદના પ્રામાણ્યમાં વાંધો લેનાર જૈન અને બૌદ્ધ દર્શનને પરતઃ પ્રામાણ્યની બુદ્ધિગમ્ય કલ્પના રજૂ કર્યા સિવાય ન ચાલે. તેથી તેઓનો તે પક્ષ પણ સહજ જ થયો. ન્યાય અને વૈશેષિક દર્શનો તર્કપ્રધાન હોઈ બુદ્ધિગમ્ય તર્કનો વિરોધ ન જ કરી શકે, તેથી તેઓએ પરત- પ્રામાણ્યનો પક્ષ સ્વીકાર્યો, પણ તેમ છતાંયે ઈશ્વરને વચ્ચે લાવી વેદનું પ્રામાણ્ય સાચવ્યું. સાંખ્ય અને યોગ, એ આખા વિષયમાં બહુધા ન્યાય અને વૈશેષિકને અનુસરતા હોવાથી તેઓને તેથી જુદા પાડી શકાતા નથી. આ રીતે દરેક દર્શનનો પક્ષ-ભેદ, પોતપોતાના સાધ્ય પ્રમાણે, સ્વતઃ- પરતની ચર્ચામાં યોગ્ય જ છે. બંને પક્ષકારોની મુખ્ય દલીલો અને તેનું તાત્પર્ય ઉત્પત્તિઃ ઉત્પત્તિના વિષયમાં સ્વતઃવાદીનું મુખ્ય મંતવ્ય એ છે કે જ્ઞાન જે સામગ્રી-(કારણસમૂહ)થી ઉત્પન્ન થાય છે, તે જ સામગ્રીથી જ્ઞાનમાં સત્યતા પણ આવે છે; અર્થાત્ જ્ઞાનની સત્યતા માટે જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત અન્ય કોઈ પણ કારણની અપેક્ષા નથી. આથી ઊલટું, જ્ઞાનની અસત્યતા માટે જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત અન્ય કારણની અપેક્ષા રહે છે. તે અન્ય કારણ દોષરૂપ સમજવું. જેમ અપ્રામાણ્ય એ પોતાની ઉત્પત્તિમાં જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત દોષની અપેક્ષા રાખે છે, તેમ પ્રામાણ્ય કોઈ અધિક કારણની અપેક્ષા નથી રાખતું. તેથી જ જ્યારે જ્ઞાનોત્પાદક સામગ્રીમાં દોષો ન હોય ત્યારે જ્ઞાન ઉત્પન્ન થવા સાથે જ પ્રામાણ્ય ઉત્પન્ન થાય છે અને તેથી તે સ્વતઃ ઉત્પન્ન કહેવાવું જોઈએ. | ઉત્પત્તિમાં પરતઃવાદીનું કહેવું એમ છે કે જેવી રીતે અપ્રામાણ્ય એ પોતાની ઉત્પત્તિમાં દોષારૂપ અધિક કારણની અપેક્ષા રાખે છે, તેવી રીતે પ્રામાણ્ય પણ અધિક કારણની અપેક્ષા રાખે જ છે; આ કારણ તે ગુણરૂપ છે. જેમ જ્ઞાનોત્પાદક સામગ્રીમાં દોષ ન હોય તો તજ્જન્ય જ્ઞાનમાં અપ્રામાણ્ય પણ ન આવી શકે, તેમ તેવી સામગ્રીમાં ગુણ ન હોય તો તજ્જન્ય જ્ઞાનમાં પ્રામાણ્ય પણ ન આવી શકે. દોષ, જે અપ્રામાણ્યનું ખાસ કારણ છે, તે જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy