SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ “શ્રીમદ્ રાજચંદ્ર–એક સમાલોચના ૦ ૨૮૧ વાંચ્યા સિવાય એમને વિશે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવા એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પોતાનું સ્થાન ગુમાવવા જેવું છે. “શ્રીમદ્ રાજચંદ્રનું અંતિમ સંસ્કરણ જોઈ ગયા પછી તે સંસ્કરણની કેટલીક ખટકે એવી ખામીઓ તરફ તેમના અનુગામીઓનું લક્ષ ખેંચવું યોગ્ય ધારું છું. એ ખામીઓ હશે ત્યાં સુધી “શ્રીમદ્ રાજચંદ્રનું મહત્ત્વ વિદ્વાનો યોગ્ય રૂપમાં આંકી નહિ શકે. ખામીઓ પરિશિષ્ટ અને શુદ્ધિવિષયક છે. પ્રથમ તો વિષયાનુક્રમ હોવો જોઈએ. કેટલાંક પરિશિષ્ટોમાં પહેલું તેમાં આવેલા ગ્રંથ અને ગ્રંથકારો વિશેનું; બીજું, તેમાં આવેલાં અવતરણો વિશેનું, તેનાં મૂળ સ્થળો સાથે; ત્રીજું, તેમાં આવેલા બધાય વ્યાખ્યા કરેલ કે વ્યાખ્યા કર્યા વિનાના પારિભાષિક શબ્દોનું; ચોથું, એમાં ચર્ચેલા વિષયો મૂળમાં જે જે ગ્રંથમાંથી લેવામાં આવ્યા હોય, તે ગ્રંથોનાં સ્થળો અને જરૂર હોય ત્યાં પાઠો દર્શાવનારું-એમ અનેક દૃષ્ટિથી મહત્ત્વનાં બીજાં પણ પરિશિષ્ટ આપવા જરૂરી છે. એમણે પોતાનાં લખાણોમાં વાપરેલ સંસ્કૃત કે પ્રાકૃત શબ્દ કાયમ રાખીને પણ જ્યાં તેમાં વિકૃતિ હોય ત્યાં સાથે કોષ્ટકમાં તે દરેક શબ્દનું શુદ્ધ રૂપ આપવાથી કાંઈ પુસ્તકનું મહત્ત્વ ઘટતું નથી. આ પ્રસંગે શ્રીમદૂના સ્મારકરૂપે ચાલતી સંસ્થાઓ વિશે સૂચન કરવું પ્રાસંગિક છે. હું જાણું છું ત્યાં સુધી એમના સ્મરણરૂપે બે પ્રકારની સંસ્થાઓ છે : કેટલાક આશ્રમો અને પરમશ્રુતપ્રભાવક મંડળ. આશ્રમોની બાબતમાં તો એટલું જ સૂચવવું બસ થશે કે તે તે આશ્રમના સંચાલકોએ અને ત્યાં રહેનારાઓએ, શ્રીમદે સૂચિત શાસ્ત્રાભ્યાસ, મનન અને આપમેળે નિર્ણય બાંધવાની વૃત્તિનો જ વિકાસ થાય એ રીતે વ્યવસ્થિત અભ્યાસ અને ચિંતનક્રમ ગોઠવવો જોઈએ. તેમની ચરણપાદુકા કે છબી આદિની સુવર્ણપૂજા કરતાં તેમની સાદગી અને વીતરાગભાવનાને બંધબેસે તેમ જ વિચારકોની દૃષ્ટિમાં પરિહાસ ન પામે એવી જ યોગ્ય ભક્તિ પોષવી ઘટે. પરમશ્રુતપ્રભાવક મંડળે આજ સુધીમાં વ્યાપક દૃષ્ટિએ રાષ્ટ્રીય ભાષામાં અનુવાદિત અનેક પુસ્તકો બહાર પાડ્યાં છે. એ પ્રયત્ન પ્રથમ દષ્ટિએ અત્યાર લગી સ્તુત્ય ગણાય, પણ અત્યારે ઊભી થયેલી સાહિત્યવિષયક માગણી અને થયેલ વિકાસક્રમને લક્ષમાં લેતાં, હવે એ મંડળે સંપાદન-મુદ્રણનું દૃષ્ટિબિંદુ બદલવું જ જોઈએ. પુસ્તકોની પસંદગી, અનુવાદની પદ્ધતિ, તેની ભાષા તથા પ્રસ્તાવના, પરિશિષ્ટ આદિ કેવાં અને કેટલાં હોવાં જોઈએ એનો નિર્ણય કરવા વાસ્તે એ મંડળે ઓછામાં ઓછા બે-ત્રણ વિદ્વાનોની સમિતિ બનાવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy