SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ૦ અનેકાન્ત ચિંતન પુસ્તક મેં એવું નથી જોયું કે જેને ‘શ્રીમદ્ રાજચંદ્ર'નાં લખાણો સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિકતાની દૃષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ, શ્રીમાં લખાણોનું ભારે મૂલ્ય છે. છેલ્લા ત્રણચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જૈન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકોની ચોમેરથી અનવરત માંગણી થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાઓએ પોતપોતાની શકયતા પ્રમાણે આવી માંગણીને પહોંચી વળવા કાંઈ ને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમ જ નાનાંમોટાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધાં વિશે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે એ બધા પ્રયત્નો અને લગભગ એ બધું સાહિત્ય શ્રીમનાં લખાણો સામે બાલિશ અને કૃત્રિમ જેવું છે. એમનાં લખાણોમાંથી જ અક્ષરેઅક્ષર અમુક ભાગો તારવી, અધિકારીની યોગ્યતા અને વય પ્રમાણે, પાઠ્યક્રમ ઘડી કાઢવામાં આવે કે જેમાં કોઈ પણ જાતના ખર્ચ, પરિશ્રમ આદિનો બોજ નથી, તો ધાર્મિક સાહિત્ય વિશેની જૈન સમાજની માગણીને આજે પણ એમનાં લખાણથી બીજાં કોઈ પણ પુસ્તકો કરતાં વધારે સારી રીતે સંતોષી શકાય એમ છે. એમાં કુમારથી માંડી પ્રૌઢ ઉંમર સુધીના અને પ્રાથમિક અભ્યાસીથી માંડી ઊંડા ચિંતક સુધીના જિજ્ઞાસુ માટેની સામગ્રી મોજૂદ છે. અલબત્ત, એ સામગ્રીનો સદુપયોગ કરવા વાસ્તે અસંકુચિત અને ગુણગ્રાહક માનસ ચક્ષુ જોઈએ. શ્રીમદ્દ્ની સમગ્ર ઉંમર કરતાં વધારે વખત અભ્યાસમાં ગાળનાર, શ્રીમદ્દ્નાં ભ્રમણ અને પરિચયક્ષેત્ર કરતાં વધારે વિસ્તૃત ક્ષેત્રમાં રખડનાર, અને વિવિધ વિષયના અનેક વિદ્યાગુરુઓને ચરણે સાદર બેસનાર મારા જેવો અલ્પ પણ ધારે તો એમનાં લખાણોમાં ખામીઓ બતાવી શકે; પરંતુ જ્યારે એમની માત્ર આપબળે વિદ્યા મેળવવાની, શાસ્ત્રો વાંચવાની, તત્ત્વચિંતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમ જ પ્રવાહબદ્ધ લખવાની અને તે પણ ઘરઆંગણે રમતા કુમારની ઉંમરથી તેમ જ વ્યાપારધંધા આદિની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે—ત્યારે શ્રીમદ્ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહિ પણ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. જૈન સમાજ માટે તો એ વ્યક્તિ ચિરકાલ લગી આદરણીય સ્થાન સાચવી રાખશે એમાં શંકા જ નથી. તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમનાં લખાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy