SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨૦ અનેકાન્ત ચિંતન તે દ્વારા જ અનુવાદક કે સંપાદક પસંદ કરવાનું, અને વસ્તુ તૈયાર થયા પછી તપાસાવવાનું કામ કરાવી, ત્યાર પછી જ પુસ્તક પ્રેસમાં આપવાની ગોઠવણ કરવી ઘટે. એ મંડળ તરફથી અત્યાર લગીમાં પ્રગટ થયેલ સંખ્યાબંધ પુસ્તકો જ્યારે જોઉં છું, ત્યારે મૂળપાઠ, અનુવાદ, ભાવકથન, સંશોધન આદિની ઢગલાબંધ અક્ષમ્ય ભૂલો જોઈ વ્યાપારી જૈન સમાજને હાથે હણાતા સાહિત્યના તેજસ્વી આત્માનું દૃશ્ય અનુભવું છું. ‘શ્રીમદ્ રાજચંદ્ર’નો હિન્દી કે કોઈ પણ ભાષામાં અનુવાદ કરવાની રુચિવાળા પણ તેમના ઘણા ભક્તો છે. તેમનું પણ ધ્યાન ખેંચવુ આવશ્યક છે. શ્રીમદ્દ્ની ભાષા ગુજરાતી છે, પણ તે તેમની ખાસ ભાષા છે. ગુજરાતી ભાષામાં નવયુગમાં જૈન તત્ત્વચિંતન તેમણે જ પ્રથમ કરેલું અને લખેલું હોવાથી, તેમની ભાષાએ સ્વાવલંબી વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. તેમાં ચર્ચાયેલા વિષયો સેંકડો ગ્રંથોમાંથી અને કાંઈક સ્વતંત્ર ભાવે ઊંડા ચિંતનમાંથી આવેલા છે. તેથી અનુવાદકની પસંદગીમાં મુખ્ય ત્રણ બાબતો ધ્યાનમાં નહિ રખાય તો એ અનુવાદો નામના જ થશે : પહેલી એ કે તેણે શ્રીમદ્ની ભાષાનો માતૃભાષા જેટલો જ તલસ્પર્શી પરિચય કરેલો હોવો જોઈએ. બીજી બાબત એ કે એમાં ચર્ચેલા વિષયોનું તેણે પક્વ અને સ્પષ્ટ પરિશીલન કરેલું હોવું જોઈએ. અને ત્રીજી બાબત એ છે કે જે ભાષામાં અનુવાદ કરવાનો હોય તેમાં લખવાનો તે સિદ્ધહસ્ત હોવો જોઈએ. આટલા પૂરતી સગવડ કરી આપવામાં કે મેળવવામાં જે ખર્ચ યોગ્ય રીતે સંભવતો હોય, તે કરવામાં વૈશ્યવૃત્તિ જરાય ન સેવતાં ટાણા વખતની ઉદારવૃત્તિનું અવલંબન કરવું જોઈએ. ૧ - ‘શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો'(ગૂજરાત વિદ્યાપીઠ)માંથી ઉદ્ધૃત ૧. શ્રી ‘રાજચંદ્રનાં વિચારરત્નો'(ગૂજરાત વિદ્યાપીઠ)માંથી ઉદ્ભુત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy