SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨૦ અનેકાન્ત ચિંતન રૂપરામ બોલતા ને લખતા. બાવીસેક વર્ષની ઉંમરે શ્રીમદ્ તેમની પાસે પહોંચ્યા. તેમણે મહીપતરામને સવાલો પૂછવા માંડ્યા. સરચિત્ત મહીપતરામે સીધા જ જવાબો આપ્યા. આ જવાબના ક્રમમાં શ્રીમદ્રે તેમને એવા પકડ્યા કે છેવટે સત્યપ્રિય મહીપતરામે શ્રીમદ્ના તર્કબળને નમી સ્પષ્ટપણે સ્વીકારી લીધું કે આ મુદ્દા વિશે મેં કાંઈ વિચાર્યું નથી. એ તો ઈસાઈ સ્કૂલોમાં જેમ સાંભળ્યું તેમ કહું છું, પણ તમારી વાત સાચી છે (૮૦૮). શ્રીમદ્ અને મહીપતરામનો આ વાર્તાલાપ મઝિમનિકાયમાંના બુદ્ધ અને આશ્વલાયનના સંવાદની ઝાંખી કરાવે છે. સત્સત્ વિવેક-વિચારણાબળ અને તુલનાસામર્થ્ય શ્રીમમાં વિશિષ્ટ હતાં. જૈન પરંપરામાં હંમેશાં નહિ તો છેવટે મહિનાની અમુક તિથિઓએ લીલોતરી શાક આદિ ત્યાગવાનું કહ્યું છે. જૈનો વ્યાપારી પ્રકૃતિના હોઈ, તેમણે ધર્મ સચવાય અને ખાવામાંય અડચણ ન આવે એવો માર્ગ શોધી કાઢ્યો છે. તે પ્રમાણે તેઓ લીલોતરી સૂકવી સુકવણી ભરી રાખે છે અને પછી નિષિદ્ધ તિથિઓમાં સુકવણીનાં શાકો એટલા જ સ્વાદથી ખાઈ લીલોતરીનો ત્યાગ ઊજવે છે. આ બાબત શ્રીમદ્ના લક્ષમાં નાની જ ઉંમરે આવી છે. તેમણે ‘મોક્ષમાળા'માં (૫૩) એ પ્રથાની યથાર્થતા-અયથાર્થતા વિશે જે નિર્ણય આપ્યો છે, તે તેમનામાં ભાવી વિકસનાર વિવેકશક્તિનો પરિચાયક છે. આર્દ્રા બેસે ત્યારથી કેરી જૈન પરંપરામાં ખાસ નિષિદ્ધ મનાય છે. ત્યારે સવાલ થાય છે કે શું આર્દ્ર પછી કેરી ન જ ખાવી ? અગર તો તે વિકૃત થઈ જ જાય છે ? એનો જવાબ તેમણે આપ્યો છે તે કેટલો સાચો છે ! તેઓએ કહ્યું કે આર્દ્રાનો નિષેધ ચૈત્ર-વૈશાખમાં ઉત્પન્ન થનાર કેરીને આશરીને છે; નહિ કે, આર્દ્રમાં અગર ત્યાર બાદ ઉત્પન્ન થનાર કેરીને આશરીને (૫૨૧). આ તેમનો વિવેક કેટલો યથાર્થ છે, તેની પરીક્ષા કરવા ઇચ્છનાર જૈનોએ આર્દ્ર પછી યુ. પી., બિહાર આદિમાં કેરી જોવા અને ખાવા જવું ઘટે. વેશના આછકડાપણા વિશે એમણે દર્શાવેલો વિચાર તેમની વ્યવહારકુશળતા સૂચવે છે. તેઓ સુઘડતામાં માનવા છતાં આછકડાપણાથી યોગ્યતા ન વધવાનું કહે છે, અને સાદાઈથી યોગ્યતા ન ઘટવાનું કહે છે. ખૂબી તો એમના પગાર ન વધવા-ઘટવાના દાખલામાં છે. આ રહ્યા તેમના શબ્દો : ‘પહેરવેશ આછકડો નહિ છતાં સુઘડ એવી સાદાઈ સારી છે, આછકડાઈથી પાંચસોના પગારના કોઈ પાંચસો એક ન કરે અને યોગ્ય સાદાઈથી પાંચસોના ચારસો નવ્વાણું કોઈ ન કરે’ (૭૦૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy