SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ૦ અનેકાન્ત ચિંતન છે. આ એમની કલ્પનાચાતુરી એ ઉંમરે કેટલી અસાધારણ ! એ જ રીતે તેવીસમે વર્ષે વેદાંતસંમત બ્રહ્માદ્વૈત અંતે માયાવાદનું તેમની સમજ પ્રમાણે અયુક્તપણું બતાવવા એક ચતુષ્કોણ આકૃતિ (૬૩) ખેંચી તેમાં જગત, ઈશ્વર, ચેતન, માયા આદિના ભાગો પાડી કેટલી કલ્પનાશક્તિ દાખવી છે ! અહીં મુખ્ય પ્રશ્ન એ નથી કે તેમનું માયાવાદનું નિરસન કેટલું મૂળગામી છે ? પણ પ્રશ્ન એ છે કે તેઓ જે વસ્તુને ઠીક કે ગેરઠીક સમજતા, તેને તેમ દર્શાવવાનું કલ્પનાબળ તેમનામાં કેટલું હતું ! પ્રશ્નોત્તર શૈલીથી વસ્તુ ચર્ચવાનું કલ્પનાબળ તો આપણે તેમની નાની ઉંમરમાં જ નિહાળીએ છીએ (‘મોક્ષમાળા’-૧૦૨ આદિ.) બાવીસમે વર્ષે ક્યારેક તેઓ ઊંડા મનનની મસ્તીમાં પોતાના પ્રિય આધ્યાત્મિક વિકાસક્રમ-ગુણસ્થાન—ના વિચારભુવનમાં પ્રવેશે છે અને પછી એ ચિંતનવિષયને વાણીમાં વ્યક્ત કરતાં એક મનોહર સ્વલક્ષી નાટકીય નેપથ્યની છાયાવાળો કલ્પનાત્મક સંવાદ રચે છે (૬૧), અને બહુ જ સરલતાથી ગુણસ્થાનની વસ્તુ રોચક રીતે વિશ્લેષણપૂર્વક દર્શાવે છે—જેમ આગળ જતાં એ જ વસ્તુ આકર્ષક રીતે ભાવના દ્વારા ‘અપૂર્વ અવસર’ એ પઘમાં દર્શાવે છે. જૈન કે જૈનેતર કોઈ પણ ગુણસ્થાનના જિજ્ઞાસુ વાસ્તે આ સંવાદ કંટાળો આપ્યા સિવાય બોધક સાબિત થાય એવો છે. ધર્મ, અર્થ આદિ ચાર પુરુષાર્થોનાં નામ અને તેનો પ્રસિદ્ધ અર્થ સર્વવિદિત છે, પણ શ્રીમદ્ પોતાની આધ્યાત્મિક પ્રકૃતિ પ્રમાણે કલ્પનાબળે ચારે પુરુષાર્થનો આધ્યાત્મિક ભાવમાં જ અર્થ ઉપજાવે છે (૭૬). એ કરતાં પણ વધારે સરસ અને પક્વ કલ્પનાબળ તો જુવાન ઉંમરે, પણ તેમના જીવનકાળમાં હિસાબે ત્રીસ વર્ષને ઘડપણે કરેલ જ્ઞાન અને અજ્ઞાનનું પૃથક્કરણ દર્શાવતાં આંટીવાળું અને આંટી વિનાનું એ સૂતરના દાખલામાં છે. દિગ્બમનો દાખલો, જે સર્વત્ર બહુ જાણીતો છે, તેની સાથે ઘૂંચવાળા અને કૂંચ વિનાના સૂતરના દાખલાને ઉમેરી તેમણે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનું વાસ્તવિક અંતર જે પ્રગટ કર્યું છે, [૭૦૪-(૩)] તે તેમની અંત સુધી દૃષ્ટાંત ઘટાવી અર્થ વિસ્તારવાની, વક્તવ્ય સ્થાપન કરવાની કલ્પનાચાતુરી સૂચવે છે. તર્કપટુતા શ્રીમમાં કેવી સૂક્ષ્મ અને નિર્દોષ હતી, એ એમનાં લખાણોમાંથી અનેક સ્થળે ચમત્કારિક રીતે જાણવા મળે છે. કેટલાક દાખલાઓ ટાંકું ઃ સત્તરમા વર્ષના પ્રારંભમાં મૂછનો દોરોય ફૂટ્યો નહિ હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy