SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ • ૨૫૧ ૫. મોક્ષનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેઓ ટૂંકીટચ પણ સમર્થ એક દલીલ એ આપે છે કે જો શુભાશુભ પ્રવૃત્તિનું ફળ કર્મ હોય તો એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ શું નિષ્ફળ? નિવૃત્તિ તો પ્રયત્નથી સધાય છે, એટલે તેનું ફળ પ્રવૃત્તિના ફળથી સાવ જુદું જ સંભવે. તે ફળ એ જ મોક્ષ. ૬. મોક્ષના ઉપાય વિશેની શંકા ઉઠાવી તેનું સમાધાન કરતાં ઉપાયનું નિરૂપણ કર્યું છે. અને એમાં સમગ્ર ગુણસ્થાનક્રમની–આધ્યાત્મિકતા ઉત્ક્રાન્તિના ક્રમની મુખ્ય મુખ્ય ચાવીઓ અનુભવ દ્વારા જ રજૂ કરી હોય તેવો સ્પષ્ટ ભાસ થાય છે. એમણે કેવળજ્ઞાનની નિર્વિવાદ અને સહજ એવી જે વ્યાખ્યા કરી છે તે સાંપ્રદાયિક લોકોએ ખાસ લક્ષ આપવા જેવી છે. એમના આ નિરૂપણમાં ઉપનિષદોના 'તત્વમસિ” વાક્યનું તાત્પર્ય આવી જાય છે અને સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપનું પ્રતિપાદન પણ થઈ જાય છે. શ્રીમદ્ અનુભવપૂર્વક ઉચ્ચારે છે કે બધા જ જ્ઞાનીઓનો નિશ્ચય એક છે. એમાં પંથ, જાતિ, મત, વેશ આદિને કશો જ અવકાશ નથી. આ રીતે છે કે બાર મુદ્દાના નિરૂપણનો ઉપસંહાર એમણે જે ઉલ્લાસ અને જે તટસ્થતાથી કર્યો છે તે આપણા ઉપર તેમના અનુભવની છાપ મૂકે છે. પછી શ્રી રાજચંદ્ર શિષ્યને થયેલ બોધબીજ-પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. એમાં શિષ્યને મોઢે અહોભાવના ઉદ્ગારો ટાંકી જે સમર્પણભાવ વર્ણવ્યો છે તે જેમ કવિત્વની કળા સૂચવે છે તેમ તાત્ત્વિક સિદ્ધિનો પરમ આનંદ પણ સૂચવે છે, જે વાંચતાં મન કુણું થઈ જાય છે અને એ અહોભાવનો અનુભવ કરવાની ઊર્મિ પણ રોકી રોકાતી નથી. છેવટે આખો ઉપસંહાર પણ મનનીય છે. જિજ્ઞાસ “આત્મસિદ્ધિ આપમેળે જ વાંચે અને તેનો રસ માણે એ દૃષ્ટિથી અહીં તેનો પરિચય તદન સ્કૂલ રીતે મેં કરાવ્યો છે. એમાંની દલીલોની પુનરુક્તિ નકામી છે. શ્રી રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં જૈન પરિભાષાને આશરી જે વસ્તુ નિરૂપી છે. તે જૈનેતર દર્શનમાં પણ કેવી કેવી રીતે નિરૂપાઈ છે એનો વાચકને ખ્યાલ આપવો જરૂરી છે, જે ઉપરથી તત્ત્વજિજ્ઞાસુ એટલું સહેલાઈથી સમજી શકશે કે આત્મવાદી બધાં દર્શનો ભિન્ન ભિન્ન પરિભાષા દ્વારા પણ કેવી રીતે એક જ ગીત ગાઈ રહ્યાં છે ! જૈન દર્શન જીવ કે આત્માને નામે જડથી ભિન્ન જે તત્ત્વ નિરૂપે છે, તેને ન્યાય-વૈશેષિક દર્શનો જીવાત્મા કે આત્મા કહે છે અને સાંખ્ય-યોગ તેને પ્રકૃતિથી ભિન્ન પુરુષ કહે છે, જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy