SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન • ૨૩૭ પ્રબોધચંદ્રોદય નાટક આદિ અનેકવિધ સાહિત્યિક પુરાવાઓને આધારે કરાવ્યું છે. સાથે સાથે હર્ષચરિતના જ પાંચમા ઉલ્લાસમાં શ્લેષ દ્વારા નિર્દેશેલ ૨૧ પંથોની પ્રસ્તુત ૧૯ પંથો સાથે સરખામણી પણ કરી છે. એ ઓળખાણ અને સરખામણીનો ટૂંક સાર એ છે કે આહતુ, જેતપટ અને કેશલુંચન એ ત્રણ ફિરકાઓ જૈન પરંપરાના છે અને એ યાદીમાં આવતું નવમું જૈન વિશેષણ બૌદ્ધ પરંપરાનું સૂચક છે. અત્યારે આપણે “જૈન” પદ સાંભળતાં જ મહાવીરના અનુયાયીઓનો બોધ કરીએ છીએ, પણ બાણના સમય સુધીમાં જૈન વિશેષણ મહાવીરના અનુયાયીઓ માટે ખાસ પ્રચલિત ન હતું. “જિન” શબ્દ ઉપરથી જૈન પદ બને છે. જિન શબ્દ જેમ મહાવીર આદિ તીર્થકરોનો સૂચક છે તેમ જ તે તથાગત આદિ ઇતર શ્રમણોનો પણ સૂચક છે. તેમ છતાં તે વખત સુધીમાં “જૈન” પદ મોટે ભાગે બૌદ્ધ સંપ્રદાય માટે વપરાતું અને અત્યારે જાણીતા જૈન ફિરકાઓ તે કાળમાં અન્ય અન્ય વિશેષણો દ્વારા ઓળખાતા. અત્યારે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથ એમ ચાર મુખ્ય જૈન ફિરકાઓ છે, પણ બાણના સમયમાં મુખ્ય ત્રણ હતા ? દિગંબર, શ્વેતાંબર અને યાપનીય. આ ત્રણ ફિરકાઓ અનુક્રમે આહંત, જેતપટ અને કેશલુંચન એવાં વિશેષણોથી બાણે નિર્દેશ કર્યાનું તારણ શ્રી અગ્રવાલજીએ કાઢ્યું છે. એ ગમે તેમ હો, છતાં એ ખરું કે બાણ જૈન પરંપરાના તત્કાલીન બધા ફિરકાઓથી પરિચિત હતો. યાપનીય સંઘ આજે જુદું અસ્તિત્વ નથી ધરાવતો, પણ તે કાળે પ્રધાનતા ભોગવતો. યાપનીય સાધુઓ રહેલા નગ્ન એટલે દિગંબર, પણ ઘણી બાબતોમાં શ્વેતાંબરજેતપટને મળતા આવતા, તેથી આખરે એ સંઘ જુદું અસ્તિત્વ ગુમાવી દિગંબર-શ્વેતાંબરમાં જ સમાઈ ગયો છે. મસ્કરી એટલે શૈવો કે પાશુપતો. તેઓ મસ્કર એટલે દંડ ધારણ કરતા. પાંડરિભિક્ષુ એ આજીવક પરંપરાના ભિક્ષુઓ. મહાવીરના સમકાલીન અને પ્રતિસ્પર્ધી ગોશાલકની પરંપરામાં થનારા ભિક્ષુઓ આજીવક કહેવાતા. તેઓ પણ નગ્ન રહેતા. આજે આજીવક પરંપરા જુદી નથી રહી, પણ મારી દષ્ટિએ ગિરનાર, હિમાલય વગેરેમાં રહેતા નાગા બાવાઓની પરંપરામાં તે રૂપાંતર પામી છે. વર્ણી તે નૈષ્ઠિક બ્રહ્મચારીનો વર્ગ. કપિલ એ સાંખ્ય. લોકાયતિક એ ચાવૉક. કણાદ વૈશેષિક અને અશ્વરકારણિક એ નૈયાયિક. ઔપનિષદ એ પ્રાચીન વેદાંતી. કારંધમી એ રસાયન બનાવનાર ધાતુવાદી. ધર્મશાસ્ત્રી એ સ્માર્ત. પૌરાણિક એ પુરાણજીવી. સાપ્તતત્તવ એ કર્મકાંડી મીમાંસક–જે સપ્તાતંતુ એટલે યજ્ઞ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy