SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ૦ અનેકાન્ત ચિંતન જે બાણવર્ણિત મહેલ, લાલ કિલ્લામાંનો મહેલ અને લંડનનો હેપ્ટન કોર્ટ નામનો રાજમહેલ– એ ત્રણેયની નખશિખ સરખામણી પૂરી પાડે છે અને આખા ઇતિહાસકાળમાં જુદા જુદા દેશોમાં અને જુદી જુદી રાજ્યસંસ્થાઓમાં પણ ક્રમાગત કે સ્વાભાવિક કેવું કેવું સામ્ય ઊપસી આવે છે તેનું જિજ્ઞાસાવર્ધક ચિત્ર (પૃ. ૨૦૩ થી) રજૂ કરે છે. રાજભવનની વિગતો સમજાવવા તેમણે કેટલાંક ચિત્રો પણ પાછળ આપ્યાં છે. હર્ષવર્ધન પોતાની ગુમ થયેલ વિધવા બહેન રાજ્યશ્રીની શોધમાં નીકળે છે. છેવટે તે વિધ્યાટવીમાં એક આશ્રમમાં જઈ પહોંચે છે. તે આશ્રમ દિવાકરમિત્ર નામના એક અસાધારણ બૌદ્ધ વિદ્વાન ભિક્ષુનો છે. એના વર્ણનપ્રસંગે બાણે એ આશ્રમનું હૂબહૂ ચિત્ર શબ્દોમાં રજૂ કર્યું છે. તેમાંથી આપણે અહીં તે આશ્રમમાં એકત્ર થયેલ ૧૯ દાર્શનિકો અગર ધર્મસંપ્રદાયોનો ટૂંક પરિચય કરીશું. દિવાકરમિત્ર બૌદ્ધ ભિક્ષુ છે, જયારે બાણ વૈદિક બ્રાહ્મણ છે; તેમ છતાં બાણે દિવાકરમિત્રની અસાધારણ વિદ્વત્તા અને મહત્તાનો જે નિર્દેશ કર્યો છે તે એક બાજુથી બાણની યથાર્થ તટસ્થતા સૂચવે છે અને બીજી બાજુથી તે સમયમાં પ્રસિદ્ધ એવાં વિદ્યાપીઠો કે ગુરુકુળોની યાદ આપે છે. તક્ષશિલાનું વિદ્યાપીઠ તો પ્રથમથી પ્રસિદ્ધ હતું જ, પણ બાણના સમયમાં નાલંદાની કીર્તિધજા પણ ગગનચુંબિની હતી. એ દાર્શનિકોના વર્ણનમાં બાણે તે કાળે ચાલુ પણ પરિપાક પામેલી અભ્યાસ પ્રથાનો સંકેત સુધ્ધાં કર્યો છે. વિદ્યાર્થીઓ પ્રથમ ગ્રંથપાઠ કરતા, પછી ગુરુમુખે તે તે શાસ્ત્રના સિદ્ધાંતો સાંભળી તે ઉપર શંકા-સમાધાન કરતા, ત્યાર બાદ ઈતર મંતવ્યોનું ખંડન કરતા–એ ક્રમે તુલનાત્મક અધ્યયન દ્વારા વિદ્યાને સ્થિર અને વિમળ કરતા. જે ૧૯ દાર્શનિકોનો ઉલ્લેખ બાણે કર્યો છે તે પ્રથમથી ચાલ્યા આવતા સાતમા સૈકા સુધીના અને ત્યારબાદ વિકસેલા આજ સુધીના ધાર્મિક તેમ જ દાર્શનિક ઈતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ પાથરે છે. બાણે ૧. આઈત, ૨. મસ્કરી, ૩. શ્વેતપટ, ૪. પાંડુરિભિક્ષુ, ૫. ભાગવત, ૬. વર્ણી, ૭. કેશલુંચન, ૮, કપિલ, ૯. જૈન, ૧૦. લોકાયતિક, ૧૧. કણાદ, ૧૨. ઔપનિષદ, ૧૩. ઐશ્વરકારણિક, ૧૪. કારબ્ધમી, ૧૫. ધર્મશાસ્ત્રી, ૧૬. પૌરાણિક, ૧૭. સાપ્તતત્તવ, ૧૮. શાબ્દ અને ૧૯. પાંચ રાત્રિક ધર્મપંથોનો ઉલ્લેખ કર્યો છે. આ પંથોનું ઓળખાણ છે, અગ્રવાલજીએ કુષાણ તેમ જ ગુપ્તકાલની મથુરા અને અહિચ્છત્રા આદિમાંથી પ્રાપ્ત થયેલ મૂર્તિઓ અને કલાકૃતિને આધારે તેમ જ યશસ્તિલકચંપૂ, નૈષધ મહાકાવ્ય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy