SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન • ૨૨૯ પાંચમું પુસ્તક પ્રસ્તુત “હર્ષચરિત એક સાંસ્કૃતિક અધ્યયન' એ છે. હર્ષચરિત એ બાણની ગદ્ય આખ્યાયિકા છે. કાદમ્બરીના વિશ્વવિખ્યાત નામે બાણને પણ વિશ્વવિખ્યાત કરેલ છે અને એને વિશે વાછિછું નત્સિર્વમ્ એવી સંસ્કૃત વાયકા પ્રસિદ્ધ છે. બાણ ઈ. સ.ના સાતમા સૈકામાં હયાત હતો. એના પહેલાં પણ સંસ્કૃત અને વિવિધ પ્રાકૃત ભાષાઓના અનેક ગદ્યપદ્ય કવિ-વિદ્વાનો જાણીતા છે, જેનો બાણે પણ કાદમ્બરીની પ્રસ્તાવનામાં જ સમ્માનપૂર્વક નિર્દેશ કર્યો છે. કાદમ્બરી રચાયા પછી તરત જ સંસ્કૃત અને પ્રાકૃત કવિ-વિદ્વાનોએ તેના અનુકરણમાં ગદ્યકથાઓ લખી છે અને બાણના હર્ષચરિતની પ્રથમથી ચાલતી અનુકરણપરંપરા પણ આગળ ચાલતી રહી છે. કાદમ્બરીના અનુકરણમાં રચાયેલ યશસ્તિલકચમ્પ અને તિલકમંજરી એ બે ગદ્યકાવ્યોનો નિર્દેશ અહીં જરૂરી છે. બન્નેના લેખક જૈન છે, પણ યશસ્તિલકના લેખક સોમદેવ એ જૈન આચાર્ય છે, જયારે ધનપાલ જૈન પણ બાહ્મણ છે. બન્ને કાદમ્બરીની અનુકૃતિ હોવા છતાં યશસ્તિલક કરતાં તિલકમંજરીની ભાત જુદી પડે છે. યશસ્તિલકના સાંસ્કૃતિક અધ્યયનરૂપે પ્રો. કૃષ્ણકાંત હિન્દીકીનો એક અભ્યાસગ્રંથ નામે “યશસ્તિલક એન્ડ ઇંડિયન કલ્ચર' અંગ્રેજીમાં હમણાં જ પ્રસિદ્ધ થયો છે, જેમાં લેખકનો ગંભીર અભ્યાસ પ્રતિબિંબિત થયેલો છે. પ્રસ્તુત પુસ્તકમાં ડૉ. અગ્રવાલે હર્ષચરિતને અવલંબી તેમાં આલેખાયેલ કે સૂચવાયેલ ભારતીય સંસ્કૃતિને લગતાં અનેક પાસાંઓનું ઐતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, ઇતર, લલિતકળા, શાસનપટ્ટ, સિક્કા અને સાહિત્યિક પુરાવાઓને આધારે નિરૂપણ કર્યું છે અને તે તે નિરૂપણની સજીવ રજૂઆત માટે તેમણે ૨૮ ફલકો ઉપર ૧૦૦ જેટલાં ચિત્રો, પણ આપ્યાં છે, જેમાંનાં કેટલાંક તો ઉપલબ્ધ મૂર્તિ, મકાનખંડ, વાસણ, અલંકાર, વસ્ત્ર, સિક્કા, ચિત્ર આદિ અનેકવિધ સામગ્રી ઉપરથી ફોટા લઈ.. તૈયાર કરાવેલાં છે. અને જયાં એવી સામગ્રી મળી નથી ત્યાં બાણનું નિરૂપણ સ્પષ્ટ કરવા તેમણે પોતે નિરૂપિત વસ્તુની પોતાની જ કલ્પનાથી આકૃતિ રચી તેનાં ચિત્રો આપ્યાં છે. આ ચિત્રસામગ્રીને લીધે તેમણે તે તે વસ્તુનું કરેલ નિરૂપણ વાંચનારને એટલું પ્રતીતિકાર થાય છે કે જાણે નિરૂપિત વસ્તુને સામે જ જોઈ જ રહ્યો હોય. પરંતુ સાંસ્કૃતિક અધ્યયન તૈયાર કરવામાં એમણે ઉપર સૂચવેલ શિલ્પ, સ્થાપત્ય આદિની અનેકવિધ સામગ્રી ઉપરાંત જર્મન, ફ્રેંચ, અંગ્રેજી આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy