SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦૦ અનેકાન્ત ચિંતન પાશ્ચાત્ય અનેક ભાષાઓમાં લખાયેલ સાહિત્યનો તથા ભારતીય સંસ્કૃત, પ્રાકૃત, પાલી, ગુજરાતી, હિંદી આદિ ભાષાઓમાં લખાયેલ પ્રાચીનઅર્વાચીન સાહિત્યનો જે વિશાળ અને કીમતી ઉપયોગ કર્યો છે તેની યાદી જ એક સંપૂર્ણ લેખ બને એટલી છે. એ સમગ્ર આધારભૂત સામગ્રીના આકલનનો તેમ જ તેને આધારે લખાયેલ પ્રસ્તુત સાંસ્કૃતિક અધ્યયનનો વિચાર કરું છું ત્યારે એમ લાગ્યા વિના નથી રહેતું કે લેખકે નાનકડા લાગતા પ્રસ્તુત પુસ્તકની ગાગરમાં મહાભારતનો સાગર સમાવી દીધો છે. પૂર્વકાલીન અને સમકાલીન સંસ્કૃતિનાં અનેકવિધ પાસાંઓ અને અંગોનું જે પ્રતિબિંબ પ્રત્યક્ષ અનુભવ દ્વારા તેમ જ અનેક શાસ્ત્રોના કવિત્વસમુચિત અધ્યયન દ્વારા બાણની પ્રતિભામાં પડેલું અને જે તેણે કાદમ્બરી અને હર્ષચરિત એ બે કૃતિઓમાં શબ્દબદ્ધ કરેલું છે તેનું સર્વાગીણ અધ્યયન કરી તેને સાહિત્ય-જગત સમક્ષ સુચારુ અને વિશદ રૂપમાં રજૂ કરવાની ઊંડી નેમ શ્રીયુત અગ્રવાલ સેવે છે. એવા સમગ્ર સાંસ્કૃતિક અધ્યયનની દૃષ્ટિએ શું શું કરવું આવશ્યક છે તેનો નિર્દેશ પ્રસ્તુત હર્ષચરિતની ભૂમિકામાં સાત મુદ્દારૂપે તેઓએ કર્યો છે. તેનો સાર એ છે કે કાદમ્બરી અને હર્ષચરિતનું શુદ્ધ તેમ જ પ્રામાણિક સંસ્કરણ તૈયાર કરવું. સાથે સાથે સુલભ બધી પૂર્વ ટીકાઓને આધારે તેના શ્લેષમાં છુપાયેલ અર્થોનાં રહસ્યો પ્રકટ કરવાં. તદુપરાંત બને કૃતિમાંના શબ્દોનો સમ્મિલિત પૂર્ણ કોશ-ઈન્ડેકસ વરબોરમ તૈયાર કરવો, અને એ બન્ને કૃતિઓને આધારે બાણની સંપૂર્ણ સાંસ્કૃતિક સામગ્રીનું ઐતિહાસિક દૃષ્ટિએ વિવેચન, ઈત્યાદિ. આવા સર્વાગીણ કામને સફળતાપૂર્વક પૂરું કરવાની પાકી ધારણા હોવા છતાં તે ક્રમે ક્રમે યોગ્ય રીતે થઈ શકે એવી ધીર અને દીર્ઘ દૃષ્ટિથી તેમણે પ્રથમ હર્ષચરિતનું સાંસ્કૃતિક અધ્યયન કર્યું અને તે જ પ્રસ્તુત પુસ્તકમાં રજૂ કર્યું છે. બાણની બીજી અને મોટી કૃતિ કાદમ્બરીનું એવું સાંસ્કૃતિક અધ્યયન કરવું અને પ્રકાશિત કરવું એ હજી બાકી છે એમ ઉપર ઉપરથી જોતાં જરૂર લાગે, પણ તેમની અત્યાર સુધીની તૈયારી અને તે કામ માટે પોષેલો સંકલ્પ એ બધું જોતાં બાકીનું કામ તેઓ જ પતાવશે; પતાવશે એટલું જ નહિ, પણ વિશેષ સારી રીતે પતાવશે એ વિશે મને લેશ પણ શંકા નથી. જ્યારે મેં તેમની પાસેથી જાણ્યું કે તેમણે હૈદરાબાદમાં બાણની કાદમ્બરી વિશે વ્યાખ્યાનો આપવાનું હમણાં જ સ્વીકાર્યું છે ત્યારે મારી પ્રતીતિ વધારે દઢ બની. પ્રસ્તુત હર્ષચરિતના અધ્યયન દ્વારા તેમણે બાણનાં પૂર્વકાલીન અને સમકાલીન અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy