SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૧૧ સંસ્કૃતમાં જર્નલ ઑફ ધી બિહાર એન્ડ ઉડીસા રિસર્ચ સોસાયટી, પુસ્તક ૨૩, ખંડ ૪(૧૯૩૭)માં છપાયેલ છે. એનું સંપાદન શ્રી કે. પી. જાયસવાલ અને ભિક્ષ રાહુલજીએ કર્યું છે. આ સંસ્કરણ જે લિખિત પ્રતિને આધારે પ્રસિદ્ધ થયું છે, તે લિખિત પ્રતિ ભિક્ષ રાહુલજીએ ટિબેટમાંથી મેળવેલી અને તે મૂળે ઈ. ૧૧મા સૈકાના સુનયશ્રીમિત્ર નામક નેપાલી વિદ્વાનની માલિકીની હતી, જેણે નેપાલમાં પાટણ નગરમાં એક વિહાર સ્થાપ્યો હતો અને જે મૂળ સંસ્કૃત ગ્રંથોનાં ટિબેટન ભાષાંતર કરવા ટિબેટમાં ગયો હતો. એ લિખિત પ્રતિ શ્રી રાહુલજીએ પોતાની ત્રીજી ટિબેટ યાત્રામાં મેળવી હતી. આ પ્રતિ ક્યાંથી કેવી રીતે અને કેવા સંજોગોમાં તેમને મળી તેમ જ આ પ્રતિની લંબાઈ પહોળાઈ વગેરેનું શું સ્વરૂપ છે એનું વર્ણન બહુ જ રોચક છે છતાં અહીં તે જતું કરવું પડે છે, કેમ કે મારો આશય આ સ્થળે મુખ્યપણે અધ્યદ્ધશતકના બાહ્ય-આંતર હાર્દને જ બતાવવાનો છે. પરંતુ જેઓ શોધખોળ અને ભારતીય વિદ્યા-સંપત્તિમાં રસ ધરાવતા હોય તેઓ પૂર્વોક્ત જર્નલના પુસ્તક નં. ૨૧, ૨૩ અને ૨૪માં પ્રસિદ્ધ થયેલ ટિબેટમાંની શોધ વિશેના શ્રી રાહુલજીના લેખો અવશ્ય વાંચે. તેમાંથી તેઓ બહુ જ નવીન જ્ઞાતવ્ય વસ્તુ મેળવી શકશે. પ્રસ્તુત અધ્યદ્ધશતકનું ટિબેટન ભાષાંતર પણ શ્રી રાહુલજીને પ્રાપ્ત થયેલું. એનું ચીની ભાષાંતર થયેલું છે એ વાત તો પહેલાં કહેવાઈ ગઈ છે; પણ એના તો તોખારિયન ભાષાંતરના અવશેષો સુધ્ધાં પ્રસિદ્ધ થયા છે. આ વિવિધ ભાષાંતરો એટલું પુરવાર કરવા માટે બસ છે કે અનેક શતાબ્દીઓ લગી પ્રસ્તુત અધ્યદ્ધશતકની ખ્યાતિ અને પ્રચાર જુદા જુદા દેશોમાં રહ્યાં છે. એના જન્મસ્થાન ભારતમાંથી એ ભલે અદશ્ય થયું હોય, છતાં તે અનેક રૂપોમાં ભારત બહાર પણ આજે વિદ્યમાન છે. અધ્યદ્ધશતકના પર્યાય તરીકે મેં સરલતા ખાતર સાર્ધશતક શબ્દ માતૃચેટના પરિચયમાં વાપર્યો છે. બન્ને શબ્દનો અર્થ એક જ છે અને તે અર્થ એટલે “એકસો પચાસ સંખ્યાના શ્લોકોનું સ્તોત્ર'. અધ્યદ્ધશતક એ નામનું ટિબેટન ઉપરથી સંસ્કૃત રૂપાંતર “શતપંચાશિકાસ્તોત્ર એવું પણ કરવામાં આવ્યું છે. તેમ છતાં એ સ્તોત્રનું અસલ નામ તો અધ્યદ્ધશતક જ છે. એમાં ખરી રીતે પડ્યો એકસો પચાસ નહિ પણ એકસો ત્રેપન મળે છે, જે બધાં માતૃચેટરચિત જ ભાસે છે. પચાસ ઉપર ત્રણ પદ્યો વધારે હોવા છતાં એ અર્ધ શબ્દથી સોના અર્થ તરીકે ગણવામાં આવ્યાં છે. સામાન્ય રીતે લોકો એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy