SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ · અનેકાન્ત ચિંતન આ વિશે ઇત્સિગ કહે છે કે ભિક્ષુઓની પરિષદમાં માતૃચેટની બન્ને સ્તુતિઓ ગવાતી સાંભળવી એ એક સુખદ પ્રસંગ છે. વધારામાં તે કહે છે કે આ સ્તુતિઓની હૃદયહારિતા સ્વર્ગીય પુષ્પ સમાન છે, અને તે સ્તુતિઓમાં પ્રતિપાદન કરેલ ઉચ્ચ સિદ્ધાંતો ગૌરવમાં પર્વતના ઉન્નત શિખરોની સ્પર્ધા કરનારા છે. ભારતમાં જેઓ સ્તુતિઓ રચે છે તે બધા માતૃચેટને સાહિત્યનો પિતા માની તેનું અનુકરણ કરે છે. અસંગ અને વસુબંધુ જેવા બોધિસત્ત્વો પણ માતૃચેટની બહુ પ્રશંસા કરતા. સમગ્ર ભારતમાં બૌદ્ધ ઉપાસક કે ભિક્ષુ થનાર દરેકને પાંચ કે દશ શીલનો પાઠ શીખી લીધા પછી તરત જ માતૃચેટની સ્તુતિઓ શીખવવામાં આવે છે. આ પદ્ધતિ મહાયાન, હીનયાન બને પરંપરાઓમાં પ્રચલિત છે. ઈ-સિંગ એ સ્તુતિઓની પ્રશંસા કરવા પોતાને અસમર્થ માને છે, અને તે ઉમેરે છે કે આ સ્તુતિઓના ઘણા વ્યાખ્યાકારો અને અનુકરણકારો થયા છે, ત્યાં લગી કે છેવટે પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિનાગે પણ માતૃચેટના સાર્ધશતકગત દરેક શ્લોકની આગળ એક એક શ્લોક રચી એક ત્રણસો શ્લોકનો સંગ્રહ તૈયાર કરેલો જે “મિશ્રસ્તોત્ર' તરીકે જાણીતો છે. ઈ-સિંગે પોતે સાર્ધશતકનો ચીની ભાષામાં અનુવાદ કરેલો છે અને ટિબેટન ભાષામાં તો માતૃચેટની સાર્ધશતક અને ચતુશતક એ બંને કૃતિઓનાં ભાષાંતરો છે. ચતુ શતકનું નામ ટિબેટન અનુવાદમાં વર્ણનાર્યવર્ણન એવું છે, અને એ જ નામ મધ્ય એશિયામાંથી પ્રાપ્ત અવશેષની અંતિમ પ્રશસ્તિમાં પણ છે. આ સિવાય માતૃચેટને નામે ટિબેટન ભાષામાં જે બીજી કૃતિઓ ચડેલી છે, તેની યાદી એફ ડબલ્યુ. થૉમસ મહાશયે આપેલી છે. જોકે ટિબેટન પરંપરા માતૃચેટ અને અશ્વઘોષ બન્નેને એક જ દર્શાવે છે, છતાં ખરી રીતે એ બન્ને વ્યક્તિઓ ભિન્ન ભિન્ન જ હતી અને માતૃચેટ અશ્વઘોષનો વૃદ્ધ સમકાલીન હતો. ચીની પરંપરા એ બન્નેને જુદા જુદા જ માને છે અને તે જ પરંપરા સાચી છે. આ પરંપરાનું સમર્થન ભિક્ષુ રાહુલજીએ અધ્યદ્ધશતકની પ્રસ્તાવનામાં સબળ દલીલોથી કરેલું છે. અધ્યદ્ધશતકનો પરિચય જે અધ્યદ્ધશતકનો પરિચય વાચકોને કરાવવો અહીં ઇષ્ટ છે તે મૂળ ૧. ટિબેટન ઉપરથી લગભગ અર્ધા ભાગનું અંગ્રેજી ભાષાંતર એફ. ડબલ્યુ થૉમસે કર્યું છે અને તે ઇન્ડિયન એન્ટિક્વેરી ૨૪, ૧૯૦૫, પૃ. ૧૪૫માં પ્રસિદ્ધ થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy