SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૦૯ માતૃચેટનો પરિચય માતૃચેટનાં જન્મસ્થાન, જાતિ, માતા-પિતા, વિદ્યા અને દીક્ષાગુરુ તેમ જ શિષ્ય પરિવાર આદિ વિશે હજી લગી કશું જાણવા મળ્યું નથી. તેમના વિશે અત્યારે જે કાંઈ થોડી માહિતી આપવી શક્ય છે, તે પ્રો. વિન્તનિસ્ત્રના લખાણને આધારે જ. તેથી અહીં એ લખાણનો આવશ્યક સારભાગ આપવો પ્રાપ્ત છે. સમ્રાટ કનિષ્ક, જેના દરબારમાં કવિ અશ્વઘોષ હોવાનું મનાય છે, તેણે માતૃચેટને પણ પોતાની રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ માતચેટે વૃદ્ધત્વને કારણે આવી ન શકવા બદલ ક્ષમા માંગવાપૂર્વક એક પત્ર જવાબમાં કનિષ્કને લખ્યો હતો. એ પત્ર ટિબેટન ભાષામાં અનુવાદિત થયેલ મળે છે અને તે “મહારાજ કણિકાલેખ” નામે સુપ્રસિદ્ધ છે. આ પત્રનું અંગ્રેજી ભાષાંતર એફ. ડબલ્યુ. થોમસ મહાશયે “ઇંડિયન એન્ટિક્વેરી (૩૨, ૧૯૦૩ પૃ. ૩૪૫)માં પ્રસિદ્ધ કર્યું છે. આ પત્ર ૮૫ પદ્યોનું એક લઘુકાવ્ય છે. એ પદ્યોમાં બુદ્ધના આદેશ પ્રમાણે નૈતિક જીવન ગાળવાનો ઉપદેશ મુખ્યપણે ગ્રથિત છે. કરણાથી ઊભરાતાં એ પદ્યોમાં કવિ માતચેટ છેવટે સમ્રાટને બહુ જ ઉત્સુકતાથી નમ્ર વિનંતીપૂર્વક કહે છે કે તારે વન્ય પશુઓને અભયદાન આપવું અને શિકાર છોડી દેવો. - સાતમા સૈકામાં જ્યારે ચીની યાત્રી ઇ-સ્નિગ ભારતમાં પ્રવાસ કરતો હતો, ત્યારે માતૃચેટની પ્રસિદ્ધ કવિ તરીકેની ખ્યાતિ હતી અને તેણે કરેલ બુદ્ધ-સ્તોત્રો જ્યાં-ત્યાં સર્વત્ર ગવાતાં. તે વખતે ઈ-ત્સિગે જે એક લોકવાર્તા સાંભળેલી તે માતચેટની ખ્યાતિ પુરવાર કરી આપે છે. એકદા બુદ્ધ ભગવાન જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક બુલબુલ મધુર સ્વરમાં ગાવું શરૂ કર્યું જાણે કે બુદ્ધની જ સ્તુતિ કરતી હોય ! તે ઉપરથી બુદ્ધ શિષ્યોને ભવિષ્યવાણી કરી કહ્યું કે આ બુલબુલ અન્યદા માતૃચેટરૂપે અવતરશે. માતૃચેટની સૌથી વધારે પ્રસિદ્ધ સ્તુતિઓ બે છે: એક ચતુર શતક, જેમાં ચારસો પડ્યો છે અને બીજી સાર્ધશતક, જેમાં દોઢસો પદ્યો છે. આ બન્ને સ્તુતિઓના ખંડિત અવશેષો મધ્ય એશિયામાંથી મળેલ લિખિત ગ્રંથોમાંથી મળી આવ્યા છે. આ સ્તુતિઓ સાદી તેમ જ અનલંકૃત કિંતુ સુંદર ભાષામાં રચાયેલ શ્લોકબદ્ધ કૃતિઓ છે અને તે સ્તુતિઓની, બાહ્ય આકારથી અસર થાય તે કરતાં તેમાં ગ્રથિત પવિત્ર ભાવોની ધાર્મિકો ઉપર વધારે અસર થતી. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy