SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિંદુનો પરિચય ૦ ૨૦૩ સ્થાપ્યું. હેતુબિંદુમાં પ્રમાણવાર્તિક કે ન્યાયબિંદુની પેઠે આ બાબતનું વિશદીકરણ નથી, માત્ર હેત્વાભાસની સૂચના છે. ઉપર્યુક્ત મુખ્ય વિષય ઉપરાંત હેતુબિંદુમાં અનેક એવા વિષયો સ્પષ્ટપણે ચર્ચ્યા છે, જે બૌદ્ધ પરંપરાની ખાસ વિશેષતા લેખાય છે; જેમ કે, જાતિ કે સામાન્યવાદનું નિરસન, અપોહરૂપ સામાન્યનું સ્થાપન, વિશેષમાત્રની અર્થાત્ ક્ષણિકત્વની સિદ્ધિ અને પરિણામે નિર્હેતુકવિનાશવાદ, નિર્વિકલ્પક પ્રત્યક્ષમાત્રનું પ્રામાણ્ય અને તેમ છતાં સવિકલ્પક અનુમાનમાં પારંપરિક પ્રામાણ્યનું ઉપપાદન, કાર્યકારણભાવ તેમ જ સામગ્રીજન્ય એકસ્વભાવત્વનું સમર્થન, સહકારિત્વનું સ્વરૂપ અને અભાવનું સ્વરૂપ. આ બધા વિષયો એવા છે કે એકનું સમર્થન કરવા જતાં બીજાઓનું સમર્થન અનિવાર્ય બની જાય છે. આ વિષયોમાં ક્ષણિકત્વ જ કેન્દ્રસ્થાને છે. એને સિદ્ધ કરતાં બીજા વિષયોનું સમર્થન આવશ્યક બની જાય છે. ધર્મકીર્તિ પહેલાં ઘણા લાંબા વખતથી આ વિષયોનું સમર્થન બૌદ્ધ દૃષ્ટિએ થતું આવેલું. દા. ત. નિર્હેતુકવિનાશવાદ જેવા વિષયોની ચર્ચા મૈત્રેયનાથના યોગચર્માભૂમિશાસ્ત્ર જેટલી તો જૂની છે જ (જુઓ દર્શનદિગ્દર્શન પૃ. ૭૧૮, યોગચર્માભૂમિ-ચિંતામયીભૂમિ ૧૧). તે બધી ચર્ચાઓનું સંકલન તેમ જ વિશદીકરણ ધર્મકીર્તિના પ્રમાણવાર્તિક જેવા ગ્રંથોમાં દેખાય છે. હેતુબિંદુમાં પણ ધર્મકીર્તિએ આ વિષયો અતિસ્પષ્ટપણે ચર્ચ્યા છે, અને તેમ કરતાં જે જે વિરોધી વાદો સામે આવતા ગયા તે બધાનું નિર્દય અને છતાં સપરિહાસ (દા. ત. પૃ. ૬૭) નિરસન કર્યું છે. ધર્મકીર્તિએ હેતુબિંદુમાં સ્પષ્ટ ચર્ચાઓ કરી છે ખરી, પણ ચર્ચિત વિષયો એટલા બધા સૂક્ષ્મ અને ગંભીર છે કે જિજ્ઞાસુ માત્ર તેટલા વિવેચનથી પૂર્ણપણે સંતોષાતો નથી; એટલે એવા વિસ્તૃતરુચિ જિજ્ઞાસુઓની દૃષ્ટિએ અર્ચટે પોતાની ટીકામાં મૂળ ચર્ચિત બધા જ વિષયોને તેના યથાર્થ રૂપમાં વિસ્તારથી ચર્ચ્યા છે. એટલે તેની ટીકા એક એક વિષય પરત્વે બૌદ્ધ વિચારસરણીનું ચિત્ર રજૂ કરે છે અને ધર્મકીર્તિનાં કેટલાંક મર્માળાં વાક્યોનું હાર્દ તલસ્પર્શીપણે પ્રગટે કરે છે. આ ઉપરાંત અર્ચટે એવા પણ થોડા વિષયો ચર્ચ્યા છે કે મૂળમાં જેનું કોઈ સૂચન નથી; દા. ત. આદિવાક્ય વિશેની ચર્ચા. [૫] હેતુબિંદુનો પ્રભાવ અને ઉપયોગ અર્ચટની ટીકા દ્વારા હેતુબિંદુનો પ્રભાવ વ્યાપક રીતે ઉત્તરકાલીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy