SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ - અનેકાન્ત ચિંતન બહિર્લાપ્તિ બતાવવી શક્ય ન હોય, છતાં સાધ્ય સિદ્ધ કરવું હોય ત્યારે અંતર્થાપ્તિનો જ આશ્રય લેવો પડે છે. આવો આશ્રય લેનાર પરંપરાએ હેતુનું સ્વરૂપ અન્યથાનુપપત્તિમાત્રમાં ઘટાવ્યું. આ સિદ્ધાંત શરૂઆતમાં અમુક દાખલા પૂરતો જ રહ્યો, પણ જ્યારે બહિર્બાપ્તિના પક્ષપાતીઓએ તેની સામે વાંધા રજૂ કર્યા ત્યારે અંતર્થાપ્તિના સમર્થકોએ બહિવ્યક્તિ હોય છતાં પણ નિષ્ણાતો સમક્ષ તેને દર્શાવવાની જરૂર નથી રહેતી એ વસ્તુસ્થિતિનો લાભ લઈ સાર્વત્રિકપણે બહિર્બાપ્તિની નિરર્થકતા સાબિત કરવા પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાંથી અન્યથાનુપપત્તિમાત્રને હેતુસ્વરૂપ માનનાર તેમ જ અંતર્થાપ્તિનો જ પક્ષ કરનાર એક પરંપરા સ્થિર થઈ કે જે જૈન તર્કશાસ્ત્રમાં દેખાય છે. એ જ રીતે કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી લિંગની પણ પરંપરા સ્થિર થઈ. આ બધું બન્યું જતું હતું ત્યારે પણ એક ઐરૂપ્યની પરંપરા ચાલુ જ હતી, જે પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એ ત્રણ તત્ત્વોને વ્યાપ્તિના અનિવાર્ય અંગ લેખતી. તે પરંપરા પક્ષથી ભિન્ન સપક્ષ ન હોય ત્યારે પક્ષના એકદેશને જ સપક્ષ માની લે અને વાસ્તવિક વિપક્ષ ન હોય ત્યાં પણ કાલ્પનિક વિપક્ષ ઊભો કરી તેથી વ્યાવૃત્તિ ઘટાવે અને ઘણી વાર એક સંભવિત સ્પષ્ટ અંગમાં બીજા અંગનો અર્થગતિથી સમાવેશ ઘટાવે અને છેવટે ત્રરૂપ્ય સિદ્ધ કરે. આ પરંપરાનું સચોટ સમર્થન દિનાગે કરેલું ને તે જ હેતુબિંદુમાં વિસ્તારથી ચર્ચાયેલું છે. તે એટલે લગી કે કોઈએ દિનાગ આદિ દ્વારા સમર્થિત નૈરૂધ્યનો વિરોધ કરતાં પંચરૂપ્ય, પરૂપ્ય કે એકરૂપનું સમર્થન કરેલું, તે બધાનું નિરસન ધર્મકીર્તિ અને તેના વ્યાખ્યાકારો કરે છે. અને આ જ કારણથી ધર્મકીર્તિ સ્વભાવ. કાર્ય તેમ જ અનુપલંભ એ ત્રણે હેતુપ્રકારોમાં અન્વય અને વ્યતિરેક વ્યાપ્તિ બન્નેના નિશ્ચય આવશ્યક સમજી તે કેવી રીતે થાય છે તે દર્શાવે છે. હેતુનાં વ્યાપ્તિદર્શક પક્ષસત્ત્વ આદિ ત્રણ રૂપો સ્વીકાર્યા છે, તે ઉપરથી જ ત્રણ હેત્વાભાસોની જૂની પરંપરા ચાલી આવતી. એ જ પરંપરાનું દિનાને સમર્થન કર્યું અને ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિક તેમ જ ન્યાયબિંદુમાં અતિવિસ્તારથી તે તે એક, બે કે ત્રણ સ્વરૂપને અભાવે કેવી કેવી રીતે હેત્વાભાસ બને છે તે બતાવ્યું, અને હેત્વાભાસો પણ ત્રણ જ છે એમ ૧. અકલંકગ્રંથત્રય પૃ. ૧૭૭. ૨. તર્કશાસ્ત્ર પૃ. ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy