SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિંદુનો પરિચય - ૨૦૧ માન્ય નથી. જૈનપરંપરા વસ્તુમાત્રમાં પરિણામિત્વ સિદ્ધ કરવા સત્ત્વને સદ્ધતું ઠરાવે છે, ત્યારે તે અન્યપરંપરાસંમત નથી હોતો. એવા જ દાખલાઓ બીજી પરંપરાઓને સંમત એવા અનુમાન પ્રકારો વિશે સરલતાથી આપી શકાય. આમ હોવાથી અને કેટલેક સ્થળે વસ્તુસ્વભાવની વિચિત્રતાને લીધે હેતુના અનેક પ્રકારો પડી જાય છે. કોઈ હેતુ એવો હોય છે કે તેની પક્ષથી ભિન્ન સ્થળમાં અવયવ્યાપ્તિ બતાવી શકાતી નથી, પણ વ્યતિરેકવ્યાપ્તિ બતાવી શકાય છે. એવા કેવલવ્યતિરેકી હેતુને પણ સદ્ધતુમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક હેતુ એવા હોય છે કે તેની વ્યતિરેકવ્યાપ્તિ વાસ્તવિક વિપક્ષમાં મળતી જ નથી. તેવા કેવલાન્વયી હેતુને પણ સદ્ધતુમાં સ્થાન મળ્યું છે. જ્યાં સીધી રીતે હેતુનું અસ્તિત્વ પક્ષમાં બતાવાતું ન હોય ત્યાં પણ તેને સદ્ધતુ માની લેવામાં કેટલાકને કશો પણ બાધ દેખાતો નથી. જ્યાં અન્વય અને વ્યતિરેક બને સુલભ હોય ત્યાં તો સદ્વૈત વિશે મતભેદને સ્થાન જ નથી. આ રીતે પક્ષ અને સાધ્ય આદિના વૈવિધ્યને લીધે તેમ જ સાંપ્રદાયિક માન્યતાભેદને લીધે લિંગના અનેક પ્રકારો પડી જાય છે. તે બધામાંથી વ્યાપ્તિને દર્શાવતું કોઈ એક જ સ્વરૂપ નક્કી કરવું તે સરલ નથી. તેમ છતાં એવું સ્વરૂપ નક્કી કરી તે પ્રમાણે પોતપોતાની તર્કપરંપરા સ્થાપવાના અનેક પ્રયત્નો થયા છે. દરેક પ્રયત્નકાર પોતાની જ રીતમાં અન્ય પરંપરાઓની રીતોને સમાવવાનો પણ પ્રયત્ન કરે જ છે. દા. ત. અર્થપત્તિને જુદું પ્રમાણ માનનાર મીમાંસક આદિ અન્યથાનુપપત્તિનો જ મુખ્ય આશ્રય લઈ તેને આધારે ઈષ્ટ સિદ્ધ કરે છે ત્યારે એ જ અર્થપત્તિના બધા દાખલાઓને, અર્થપત્તિને અનુમાનમાં સમાવનાર બધા જ તાર્કિકો, પોતાની પક્ષ-સપક્ષવિપક્ષની કલ્પના દ્વારા અનુમાનમાં ઘટાવે છે. અન્વયવ્યાપ્તિને આવશ્યક અનુમાનાંગ લેખનાર જ્યારે પક્ષભિન્નમાં તે દર્શાવવી અશક્ય હોય ત્યારે પક્ષના એક જ ભાગમાં અગર પક્ષની અંદર જ તે ઘટાવી લે છે. વ્યતિરેકવ્યાપ્તિને આવશ્યક અનુમાનાંગ લેખનાર વાસ્તવિક વિપક્ષ ન હોય ત્યાં પણ કલ્પનાથી વિપક્ષ સરજી તેથી વ્યાવૃત્તિ દર્શાવી વ્યતિરેકવ્યાપ્તિ ઘટાવે છે. પક્ષસત્ત્વને આવશ્યક અનુમાનાંગ લેખનાર ગમે તે રીતે હેતુમાં પક્ષસત્ત્વ ઘટાવે છે. આમ દાર્શનિકોમાં વ્યાપ્તિદર્શક સ્વરૂપો વિશે મતભેદની પરંપરાનો ઈતિહાસ બહુ પ્રાચીન છે. દિનાગ પહેલાં પણ અંતર્થાપ્તિ દ્વારા અનુમાન કરવાની પરંપરા હતી. જ્યારે પક્ષથી ભિન્ન સપક્ષ કે વિપક્ષ જેવું કશું જ ન હોય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy