SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ • અનેકાન્ત ચિંતન સિદ્ધ કરવો હોય ત્યાં પણ તેઓ સાક્ષાત્ કે પરંપરાથી તાદાભ્યને તદુત્પત્તિનો જ નિયમ ઘટાવી સ્પષ્ટ ઘોષણા કરે છે કે – "कार्यकारणभावाद्वा स्वभावाद्वा नियामकात् । अविनाभावनियमोऽदर्शनान्न न दर्शनात् ॥" –પ્રમાવા. રૂ, રૂ. આ જ મુદ્દાને ધર્મકીર્તિએ હેતુબિંદુમાં સવિશેષે સ્પર્યો છે. હેતુબિંદુમાં હેતુનું લક્ષણ દર્શાવતાં ત્રણ રૂપો વર્ણવાયેલાં છે : પક્ષમાં સત્ત્વનો નિયમ, સપક્ષસત્ત્વ અને વિવેક્ષાસત્ત્વ. આ ત્રણ રૂપો તર્કશાસ્ત્ર જેટલાં તો જૂનાં છે. તર્કશાસ્ત્ર એ દિનાગ અને પ્રશસ્તપાદ પહેલાંની કૃતિ છે એ વિશે શંકા નથી, ભલે તેના કર્તા અને સમય વિશે ચોક્કસ નિર્ણય ન હોય. વસુબંધુએ પણ નૈરૂખનો સ્વીકાર કર્યો છે. જુઓ ન્યાયવા. પૃ. ૧૩૬, તાત્પર્ય. પૃ. ૨૯૮) સાંખ્યકારિકાની માઠરવૃત્તિમાં પણ એ જ ત્રણ રૂપો ગણાવ્યાં છે. તર્કશાસ્ત્ર અને માદરવૃત્તિ બન્નેનો ચીની અનુવાદ પરમાર્થે કરેલો છે. ન્યાયસૂત્ર કે તેના ભાષ્યમાં જોકે રૂપોની સંખ્યા ગણવાની નથી, પણ હેતુસ્વરૂપનું વર્ણન એમ સૂચવતું લાગે છે કે તેમને પણ ત્રણ રૂપો જ માન્ય હશે. આ ત્રણ રૂપમાં ઉમેરો કરી પાંચ રૂપ માનનાર અને છ રૂપ માનનાર કોણ કોણ છે તે ચોક્કસ થતું નથી, પણ ધર્મકીર્તિએ પાંચ અને છ , રૂપનું ખંડન કર્યું છે તે ઉપરથી એમ લાગે છે કે પ્રશસ્તપાદ અને ધર્મકીર્તિ વચ્ચેના સમયમાં ક્યારેક પાંચ અને છ રૂપની કલ્પના હેતુલક્ષણમાં દાખલ થયેલી છે. જૈનપરંપરા અન્યથાનુપપત્તિને જ હેતુનું એક સ્વરૂપ માને છે. એનો સામાન્ય નિર્દેશ ન્યાયાવતાર(કા. ૨૨)માં છે. ધર્મકીર્તિએ જૈનસંમત એકરૂપનું ખંડન નથી કર્યું; એનું કારણ ગમે તે હોય, છતાં આગળ જતાં શાંતરક્ષિત અને ધર્મકીર્તિનો વ્યાખ્યાકાર કર્ણનોમી જૈન તાર્કિકસંમત અન્યથાનુપપત્તિ સ્વરૂપ એકરૂપનું પણ ખંડન કરે છે (તત્ત્વસંગ્રહ કા. ૧૩૬૪, કર્ણ. પૃ. ૯). - કાર્યથી કારણના સાધક ધૂમ-વતિ જેવાં અનેક અનુમાન પ્રકારો સર્વસંમત છે. તેમ છતાં જુદી જુદી તત્ત્વજ્ઞાનની માન્યતાવાળી અનેક પરંપરાઓ હોવાથી દરેક પરંપરાના કેટલાક અનુમાનપ્રકારો એવા હોય છે કે તે સર્વસંમત હોતા નથી. જયારે બૌદ્ધપરંપરા વસ્તુમાત્રમાં અનિત્યત્વ સિદ્ધ કરે ત્યારે તેને મતે સત્ત્વ હેતુ સદ્ધતું છે, પણ અન્ય પરંપરાઓને તે અનુમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy